Thursday, September 20, 2012

વો ભારત

                      વો ભારત

જહાં ડાલ ડાલ પર સોને કી, ચીડિયાં કરતી થી બસેરા
                               વો ભારત દેશ થા મેરા
જહાં સૂરજ સબસે પહેલે આકર, દેખે નયા બખેડા
                             અબ-વો ભારત રહા હે મેરા.....

જીસે ગાંધી સુભાષ ભગતસિંઘ ને, આઝાદી દીલવાઇ
પર એક ચિનગારી ઐસી ભડકી, ભીડ ગયે ભાઇ ભાઇ
ઔર ઐસા ચલા અંધેર કે અબતક, નિકલા ન સહી સવેરા...

કુછ નેતા આયે વોટ માંગને, મીઠી મીઠી બાત બનાઇ
જૈસે હી મીલગઇ કુરસી ઉનકો, નાની યાદ દિલાઇ-હમકો-
જહાં સચ્ચાઇ સે સેવા હોતી,    ભ્રષ્ટાચાર હે ફેલા...

અબ ઐસે જુઠે મહાનુભાવ કુછ, ડાલે દિલ્હી ડેરા
ઔર ઐસી પકાઇ ખીચડી મિલકર, સંકટ બઢ ગયા ગહરા
અબ જીસકી પદવી જીતની બડી હો, ઉતના ભરે હે થેલા...

કોઈ માનવ સમજ કે રબડી મલાઇ, ખાતા પશુ કા ચારા
કોઈ તેલ નિકાલા તૈલગી ઐસા, ફસ ગયા દેશ બેચારા
કોઈ અફસર અપની વરદી ઉતારી,  રાધા રૂપ બાનાયા...

કોઈ મહેતાજી ને કરકે દલાલી, નરસિંહ નામ લજાયા
કોઈ સુખીરામ ને દૂરભાષ કર, ભરકસ માલ કમાયા
કહિં કલંક દેતા તોપ કા ગોલા, કહિં શબ પેટી ને ઘેરા...

જાગો ભારત કે લોગો જાગો,  યે હે તુમ્હારી ગલતી
તુમ ના ચુનતે ઐસે ભક્ષક તો, ઉસકી એક ના ચલતી
અબ "કેદાર" લાલચ ધન કા છાંડી, ઢુઢલો સહી સહારા...

સાર:-એક જમાનો હતો કે જ્યારે મારી આ ભારત માતાને વિશ્વ એક ધનાઢ્ય, શિક્ષણ કે કોઈ પણ ક્ષેત્રે ઉચ્ચ કોટી ના મહાન દેશ તરીકે ઓળખતું, દેશ વિદેશ ના વિદ્યાર્થીઓ અહીં શિક્ષા ગ્રહણ કરવા આવતા, અનેક જાતના તેજાના, ફળ ફૂલ, અનાજ અને દ્રવ્યો અહીં ઉત્પન્ન થતાં, અનેક દેશો સાથે વ્યાપારીક સંબંધો હતાં, અરે ઈશ્વરને પણ અહીં અવતાર ધરવા ની ઇચ્છા થતી, અનેક રાજ્યોમાં બટાયેલો આ દેશ હોવા છતાં કોઈ માંઈ નો લાલ મારા ભારત પર ખરાબ નજર કરવાની ચેષ્ટા ન કરી શકતો. પણ આજે ? પારસી લોકો ને પોતાનાં વતન માં જ્યારે પોતાનું અસ્તિત્વ જોખમાતું લાગ્યું ત્યારે મારા ભારત ને એક નેક, વિશ્વાસ પાત્ર અને સુરક્ષિત માનીને વસવાટ કરવા માટે યોગ્ય ગણી ને અનુમતિ સાથે અહીં વસ્યા અને દુધમાં સાકર ની જેમ ભળી ગયા. પણ એક એવી નિમ્ન કોટી ની કોમ પણ આવી જેણે આપણા ભલા ભોળા લોકો ને ભરમાવી, ભટકાવીને આપણા દેશને કોરી ખાધો.  
પછી સમય આવ્યો આઝાદી માટે લડત નો, અનેક લોકોએ શહીદ થઈને, અનેક પ્રકારના બલિદાનો આપીને, જાન માલ ના ભોગે આપણને સ્વતંત્રતા અપાવી, પણ આ ગંદી કોમ યેન કેન પ્રકારે આપણા ભ્રષ્ટ, બેઈમાન અને જેના માટે આપણા શબ્દ કોશમાં કદાચ શબ્દ પણ ન મળે એટલાં અધમ લોકો માં પોતાનો વારસો છોડતા ગયા. આ વારસદારો, કે જેને સત્તા અને ધન ના ઢગલા સિવાય કોઈજ સંબંધ નથી,-કોઈ પણ ભોગે,- હાજી કોઈ ના પણ ભોગે સત્તા પર ટકી રહીને વ્યભિચાર,આતંક અને દુરાચાર આચરતા આ લોકો સામે મુઠ્ઠીભર યોગ્ય લોકો અ સહાય બની ને રહી જાય છે, જે ના પાપે આજે આપણે અનેક પ્રકાર ના કષ્ટો ભોગવી રહ્યાં છીએ, ત્યારે અમારા જેવા લોકો થી આવા કાવ્યો ન રચાય તો જ નવાઈ કહેવાય.
પણ હજુ સમય છે, આપણા પાસે મત આપવા જેવો રામ બાણ ઇલાજ છે, માટે મારી સર્વે લોકોને એકજ વિનંતી છે કે કોઈ પણ લાલચ માં આવ્યા વિના જો યોગ્ય વ્યક્તિને મત આપીને નેતગીરી સોંપશો તો ભારત માતાનો સુવર્ણ યુગ લાવવો અશક્ય નથી, પણ જો કોઈ પણ પ્રકાર ના પ્રલોભન માં આવીને મત દાન કરશો તો તમો તો કદાચ કોઈ સુવિધા ભોગવશો, પણ બાકીના આપના દેશ બાંધવોના જીવન ભર દોષી રહેશો.  
જય ભારત.    
 

માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Wednesday, September 19, 2012

વો કલરવ કહાં ગયા?

      વો કલરવ કહાં ગયા?

વિદ્યા મંદિર કે પાંસ ગુજરતે, મૈને દેખા એક તમાશા
બોજ ઢો રહી ગધે કી ભાંતી,   દેશ કી ઉજ્વલ આશા...

નીંદ કે મારે આધે શહર ને, છોડા નહિ થા બિસ્તર
નન્હા ફૂલ તબ દૌડ રહાથા,    ઠુંસકે પુસ્તક દફતર..

દેખ કે ઐસી હાલત ઉસકી, આંખ મેરી ભર આઇ
બાલ ચરિત્ર કા હનન કરે જો,  કૈસી પઢાઈ યે આઇ..

ભોર ભયે કભી તરુવર પર નિત, ચીડિયાં ચેહકા કરતી
ઘર આંગનમેં માસૂમ ટોલી,   કિલકારી થી કરતી...

ગોટી લખોટી ગિલ્લી ડંડા,  છુપા છૂપી સબ છુટા
ભૂલ ગયા બચપન અબ બચ્ચા, મિત્ર ન બાલ લંગોટી..

ભૈડ બકરીસા ભરકર બાલક,  દૌડતી ઓટો રિક્ષા
પાઠ શાલાસે ટ્યૂશન ભાગે,    શિક્ષા હે યા પરીક્ષા..

જીસકી નહિ જરૂરત ઐસે,  વિષય ઉસે ના પઢાવો
યે કુદરત કી અમૂલ્ય દેન હે,  યંત્ર ના ઉસે બનવો...

ભોલાપન ઉસકા મત છીનો,  કુછ કરો ઉનપર ભી દયા
"કેદાર" કહીં ના પ્રશ્ન યે ઉભરે, "વો કલરવ કહાં ગયા"?...

સાર:-વહેલી સવારે મોર્નિંગ વોક પર જતાં એક વિદ્યામંદિર ની પાસેથી પસાર થતી વેળાએ મેં જોયું તો નાના નાના ભુલકાઓ માલ વાહક ગધેડાઓ ની માફક પુસ્તકો ઠાંસી ઠાંસી દફતર નો ભાર ઊપાડી ને ભણવા જઈ રહ્યા હતા, અમારા જેવા ચાલવા જનારાઓ સિવાય હજુતો મોટા ભાગે લોકો પથારીમાં જ પડ્યા હશે, ત્યારે આ ભુલકાઓ ને જોતાં મને ખૂબ દુખ થયું કે કેવી ભણતર ની પધ્ધતિ આવી છે કે જે બાળકો નું બાળપણ છીનવી રહી છે. 
એક જમાનો હતો, સવાર ના પહોરમાં જ્યારે પક્ષીઓ જાડ ની ડાળીઓ પર કિલકારી કરતાં, બાળકો શેરી ગલીઓમાં ભેળા મળી ને ગિલ્લી ડંડા કે લખોટી જેવી રમતો કે આંધરો પાટો જેવી રમતો રમતા, ત્યારે તેમને યોગા કે કસરત અલગ થી કરવાની જરૂર ન પડતી, કે કોઈ યોગ ગુરુ ની પણ શિબિર ભરવા જવું ન પડતું, કે કોઈ જિમ માં જઈને શરીર ને સુદ્દઢ બનાવવા સમય કાઢી ને નાણા ખરચવા ન પડતા.
જ્યારે આજે ? ઓવર લોડેડ વાહનો માં જેમ ઠાંસી ઠાંસીને માલ ભરાય છે તેમ રિક્ષા ઓ કે અન્ય વાહનો માં બાળકો ને ભરીને વહન કરાય છે. અને એની માસૂમિયત જે વિષય ની તેને કદાચ ક્યારેય પણ જરૂર પડવાની નથી તેવા અનેક ફાલતુ વિષયો ના બોજ નીચે કચડાઈ ગઈ છે. જેને ડૉક્ટર કે વૈજ્ઞાનીક બનવું હોય તેને બળવાની તારીખો યાદ કરી ને સમય વેડફવો શા કામનો ? એના બદલે એટલો સમય પોતાના જોઇતા વિષયો ભણવામાં વિતાવે તો તે વધારે સારું પરિણામ લાવી શકે, અને ઉચ્ચ કોટી નો ડૉક્ટર કે વૈજ્ઞાનીક બની શકે. એજ રીતે જો દરેક જોઈતાજ વિષયો ભણાવાય તો મારા ભારતીય બાળકોને વિદેશ માં કહેવાતી ઉચ્ચ શિક્ષા લેવા જવું ન પડે, પણ વિદેશીઓ અહીં ભણવા આવે અને ઈશ્વરની આ બચપણ રૂપી ભેટ ને યંત્ર ન બનાવતાં એવી રીતે કેળવવી જોઈએ કે ક્યારેય કોઈ ને પસ્તાવાનો વારો ન આવે કે "વો કલરવ કહાં ગયા?"   
માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

Friday, September 14, 2012

આજીજી

આજીજી
ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો

જેવો ઘડ્યો છે મુજને એવોજ છું હું દાતા, કરૂં કર્મ સઘળા જે લખિયા વિધાતા.

ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ, ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો, અજ્ઞાની મને જાણી સ્વીકારો જગતાતા..

કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા, ભજ્યાં થોડા ભગવન્ ઘણી વળગી છે માયા
રહે અંત વેળા તુજ રટણા મન અંદર, મીઠી નજરું ની વૃષ્ટિ વરસાવો ભગવંતા..

કરું પ્રાર્થના નિત દિલથી તમારી, સુણો વિશ્વ કરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્, વિનવું સદા નાથ તમને ઓ તાતા...

કરૂં સર્વે કર્મો ડરીને તમોથી, ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિતડું તુજ શરણે ઓ સ્વામી, વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..

કરું ગાન ત્યારે મન તારામાં લાગે, માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે
છે "કેદાર" કેરી એક વિનતિ અવિનાશી, સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..

સાર:- હે ભગવન, આપે મને જેવો બનાવીને આ જગતમાં મોકલ્યો છે, અને વિધાતાએ
જેવા મારા લેખ લખ્યા છે, એવાજ કર્મો હું કરૂં છું, મંત્રોની કે શ્લોકો ની
સમજણ કે યજ્ઞ યાગ જાણતો નથી, માટે જે કાલા વાલા કરૂં તેજ મંત્રો ગણી
લેજો.
પ્રભુ આ સંસારની માયા મને વળગી છે, તેથી મેં જાણ્યે અજાણ્યે પાપો કિધા
હશે, પણ તારી થોડી વંદના કે પ્રાર્થના ભજનો ગાઈને કરી છે તે તો મને ખબર જ
છે, તેથી મારા અંત કાળે તારી આ વંદના મારા મુખમાં રહે એવી અમી દ્ગષ્ટિ
મારા પર રાખજે, અને તારી આ વંદના નું સુખ સદા મારા પર રહે એવી દયા કરજે.
હે ઈશ્વર હું કોઈ ખોટું કાર્ય ન કરૂં અને સદાએ સત કર્મો કરતો રહું,
શ્વાસે શ્વાસ માં તારાજ નામનો અવિરત પ્રવાહ વહેતો રહે, મારૂં મન આ સંસાર
ની માયામાં મોહે નહીં અને સદા તારા ચરણોમાં વળગેલું રહે એજ અભ્યર્થના.
જય માતાજી.
માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના
બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો,
અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને
મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Wednesday, September 12, 2012

ડેરો

ડેરો

ફંદે ફસાયો હો પડ્યો ડેરો છે ડોક માં, મોહ માયા નો હો પડ્યો ડેરો
છે ડોક માં...

જૂઠું બોલ્યા વિના જગમાં જીવાય નહિ, ખોટું લીધા વિના ખરચો કઢાય નહિ
નાણું ભેગું
થાય નહિ હો...

નગદ નારાયણ નું નામ મુખ થી જાય નહિ, નર નારાયણ નું ભજન સુખે થાય નહિ
પણ-સમય વેડફાય નહિ હો...

દાન પુણ્ય દક્ષિણા ખર્ચા બધા ખોટા, આપે ભૂખ્યા ને અન્ન હરિવર છે
મોટા
આમાં વચમાં પડાય નહિ હો...

પાપ પુણ્ય કર્મ દોષ હરિ ને હવાલે, જનની જોરૂ પિતા પુત્ર સોંપ્યા ઉપર વાલે
એને
છોડાય નહિ હો...

ક્રોધ જો ન કરીએ તો સતાવે સંસારી, સીધા સદા રહીએ તો ભીડ પડે ભારી
જગ માં
જીવાય નહિ હો...

સુખ માં સંઘરી લો દુ:ખે કામ આવે, હોય ગાંઠ નાણું લોક દોડી દોડી આવે
લક્ષ્મી
વપરાય નહિ હો...

સત્ય વચન સત્ય કર્મ સત યુગ માં શોભે, કળિયુગ માં કર્મ બધાં કરવા સંજોગે
મોકો
ચુકાય નહિ હો....

સ્વર્ગ નરક કોણે દીઠાં ભ્રાંતિ છે ખોટી, શાસ્ત્ર વેદ મંત્ર
બધાં વાતો કરે મોટી

ભ્રમ માં પડાય નહિ હો...

પામ્યો મનુષ્ય દેહ એજ સ્વર્ગ સાચું, બંગલા મોટર નોકર ચાકર સુખ માં સદા રાચું
સ્વર્ગ
બીજું હોય નહિ હો..

પછી- આવે બુઢાપો ધોળી ધજાયું ફરુકે, તૂટે ખુમારી ને કેડ વાંકી ઝુકે
હવે-
પાછું વળાય નહિ હો...

આવે જ્યારે યમ ના તેડા સમજણ સૌ આવે, જીવન બધું એળે ખોયું સત્ય સમજ આવે
પણ -
તૂટ્યું સંધાય નહિ હો...

આપે પ્રભુજી જો અવસર એક આવો, રામ નામ રટણ કરી લઉં જીવન નો લહાવો
ભૂલ
આવી થાય નહિ હો...

આવી જગત માં જીવ ફરી થી ફસાતો, "કેદાર" કરુણા એજ ભૂત ભૂલી જાતો
આમ ચોરાશી
તરાય નહિ હો...

સાર-ભજન, ગરબા જેવી રચનાઓ કરતાં કરતાં ક્યારેક આજના સંજોગો જોતાં
જોતાં,અને આજના ઘણા સ્વાર્થી લોકોના વર્તન જોતાં જોતાં ક્યારેક એવી પણ
રચનાઓ બની જાય છે જે ભજન કે ગરબા થી અલગ જ છાપ છોડે છે. જેમકે શ્રી
મેઘાણી ભાઇએ પણ ચીલો ચાતરીને લખ્યું છે કે "ધરતી તણા પગલે પગલે, મૂઠી ધાન
વિના નાના બાળ રડે. ત્યારે હાય રે હાય કવિ તુજને, સંધ્યા તણા શેણે ગીત
ગમે"

પ.પુ.બ્ર. નારાયણ સ્વામી ભજન ની શરૂઆત કરતાં પહેલાં ઘણી વખત એક માળા
ગવરાવતાં, જેના શબ્દો હતાં -"ગુરુજી ના નામ ની હો માળા છે ડોક મા". પછી
ખોટું બોલાય નહીં ખોટું ખવાય નહિ, ખોટું લેવાય નહિ હો ..વગેરે વગેરે.. પણ
મને થાય છે કે આજના આ યુગમાં મોટા ભાગે માનવી એટલો બધો સ્વાર્થી થઈ ગયો
છે કે એ બધા નિયમો પાળવાની વાત તો જવાદો, ઊલટો અલગજ વિચાર ધારા ધરાવતો થઈ
ગયો છે. જોકે છેલ્લે કોઈ કોઈ ને પસ્તાવો થતો પણ હશે, પણ ત્યારે ઘણું
મોડું થઈ જાય છે. આજનો મોટા ભાગ નો માનવ માને છે કે આ બધા નિયમો તો
સતયુગમાં પાળવા માટેના હતા, અત્યારે આ બધું ન ચાલે, આજે ડોક માં માળા
નહિં પણ મોહ માયાનો ડેરો પડ્યો છે, અને તેથી એના ફંદામાં માનવ (બધા નહિં,
અમુક લાલચુ,લોભી, કામી અને કપટી)એવો ફસાયો છે કે બીજું કશું વિચારબી જ
સકતો નથી, તે માને છે કે ખોટું કર્યા વિના આ મોંઘવારી માં નિર્વાહ ચાલેજ
નહીં, દેવ દર્શન,ભજન,દાન પુણ્ય કરવાનો હજુ વખત નથી થયો, એતો નિવૃત થયા
પછીજ કરાય, અને ભૂખ્યા દુખિયાને ઈશ્વર સાંચવી લે, આપણે ઈશ્વરના કાર્યમાં
વચ્ચે ન પડાય, અને શાસ્ત્રો અને વેદો માં જે સ્વર્ગ કે નરકની વાતો થાયછે
તે કોને પ્રમાણિત કર્યું છે? આજનું ભૌતિક સુખ મળે એજ સ્વર્ગ, માટે કોઈ પણ
રીતે ધન મેળવો અને સંઘરો, ધન હશે તો તમને બધાંજ સુખ મળી રહેશે, અને લોકો
તમારી પાંસે દોડતા આવશે.
આવા ભ્રમ માં રચતો માનવ જ્યારે બુઢાપો આવે અને શરીર ઘટે, અંગો મગજનો હુકમ
માનવાની ના પાડે, નજર ની બારી બંધ થવા લાગે, ત્યારે ખ્યાલ આવે કે હવે તો
બહુ મોડું થઈ ગયું, પણ જો પ્રભુ એક મોકો માનવ જન્મ નો આપે તો એવું જીવન
વ્યતિત કરું કે સિદ્ધો જ મોક્ષનો માર્ગ મળી જાય.
કદાચ ઈશ્વર દયા કરે અને માનવ બનાવે, તો પાછો આ જીવ એજ માયામાં ફસાઈ ને
અથડાતો રહે છે.
આતો બધી ઊપર વાળાની ચોપાટ છે. બસ એના પર બાજી છોડીદો, જેમ રમાડે તેમ
રમ્યા કરો, જય માતાજી.
માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના
બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો,
અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને
મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Tuesday, September 11, 2012

ડોશી શાસ્ત્ર

ડોશી શાસ્ત્ર

આજે અમારા મિત્ર મંડળમાં મૃત્યુ થયા પછી થતી ક્રિયા વિષે ચર્ચા ચાલી, (જે
મોટે ભાગે એક બીજાને ઊકસાવીને જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી થતી હોય છે,
બાકી સર્વે મિત્રો સમજદાર અને ધાર્મિક વૃતી ધરાવનારા જ છે.) જેમકે શબ ને
નવડાવવું કપડા બદલવા વગેરે વગેરે..આ બધી ક્રિયાઓ ફાલતુ છે, પ્રાણ ગયા પછી
શું નહાવું ને શું કપડા બદલવા ? શબ ને દફનાવો કે અગ્ની દાહ દો શો ફરક
પડે? આબધું ડોશી શાસ્ત્ર છે એવી દલીલો થઈ, અને અંતે ફરી ફરીને મારી પાસે
જવાબ મેળવવા પર આવી, મેં મારી બુદ્ધિ પ્રમાણે આ જવાબ આપ્યો, જો આપ કોઈને
યોગ્ય કે અયોગ્ય લાગે તો આપનું મંતવ્ય જરૂરથી આપવા આશા રાખું છું.

શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ જ્યારે પ્રાણ શરીર નો ત્યાગ કરે ત્યારે
તેને સર્વ પ્રથમ ગાયના છાણથી લીપેલી ભૂમી પર રાખવામાં આવે છે, ત્યાર બાદ
ત્યાં ગાય ના ઘી નો દીવો અને અગરબત્તી કે સગવડ ધરાવતા લોકો પર્ફ્યૂમ નો
છંટકાવ કરે છે. ત્યાર બાદ સ્નાન કરાવીને નવા અથવા ધોયેલા વસ્ત્રો પહેરાવે
છે, ત્યાર બાદ સફેદ વસ્ત્ર/ચૂંદડી કે જ્ઞાતિના રિવાજ મુજબનું વસ્ત્ર
ઓઢાડીને એક દોણીમાં અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કરી ને શ્મશાન માં દાહ આપી
દેવામાં આવે છે. શ્મશાનમાં ગયેલા દરેક લોકો યોગ્ય સ્થળે કે ઘેર આવીને
સ્નાન કરેછે, અને ત્યાર બાદ ઉઠમણું કે બેસણું યોગ્ય સમયે રાખવામાં આવે
છે. મોટા ભગે થોડા ઘણા ફેરફાર સાથે આજ રિવાજ હોય છે.

દરેક શરીર માં કરોડોની સંખ્યામાં જીવ જંતુ પોષણ પામે છે, જ્યારે શરીર
માંથી પ્રાણ નીકળે ત્યારે આ બધા જંતુઓને હવા પાણી અને ખોરાક મળતો બંધ થાય
છે, તેથી તે બધા આ શરીરમાંથી નીકળવા લાગે છે, આપણે શાસ્ત્ર કે ડોશી
શાસ્ત્ર મુજબ સર્વ પ્રથમ જીવ નીકળે ત્યારે શબ ને પવિત્ર ગણાતા ગાયના
છાણથી લેપન કરેલી ભોંય પર રાખીએ છીએ, જેથી એ બધા જંતુઓ એ છાણમાં ચોટી
જાય છે અને હવામાં ફેલાતા નથી, છતાં કોઈ બચે તો તે ઘીનો દીવો કેજે ખરેખર
તો આ જીવો માટે ઝેરી છે, અથવા અગરબત્તી ના ધુમાડાથી મરણ પામે છે. પણ
અસંખ્ય જીવો આટલાંથી ન મરે તો દેહ ને સ્નાન કરાવાય છે જેથી તે પાણી માં
વહી જાય, છતાં પણ છેલ્લા ઉપાય પ્રમાણે વસ્ત્રનું આવરણ ઓઢાડીને અગ્નિ દાહ
આપી દેવામાં આવે છે. દોણી માં અર્ધ સળગતો અગ્નિ ધુમાડો કરે છે જે જંતુને
દૂર ભગાડે છે કે મારે છે, ત્યાર બાદ શ્મશાન માં અગ્નિ દાહ આપી દેવાય છે
જેથી કોઈ પણ પ્રકારનું પ્રદુષણ એ દેહ થકી થતું ટળે છે. જે લોકો શ્મશાન
માં ગયા હોય તેને કદાચ આ દેહ બળતો હોય ત્યારે કોઈ એવા તત્વો કે ગેસ નીકળે
કે જે તેમને નુકસાન કરે તેવા હોય તો તેની કાળજી લેવા માટે નહાવાનું જરૂરી
ગણવામાં આવ્યું છે.

મારા મતે પહેલાના જમાનામાં એવ કોઈ સાધનો નહાતા કે ટી વી જેવી સુવિધા ન
હતી, તેથી આવી બધી સમજણ કદાચ આપી શકાતી નહીં હોય તેથી ધર્મ કે ડોશી
શાસ્ત્ર જે કહો તેના નામે આવા બધા નિયમો બનાવી ને ફરજિયાત અમલમાં મુકાતા.

શું હજુ આપણે આને ડોશી શાસ્ત્ર કહેશું? કે કોઈ મહાન ચિંતકો ની સમજણ ગણશું
તે આપે નક્કી કરવાનું છે.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com