Friday, October 10, 2025

૧૫૯, હરિ સરણમાં જાવું



 ૧૫૯, હરિ સરણમાં જાવું

તા. ૨.૧૦.૨૫.

ઢાળ:- પુ. નારાયણ બાપુએ ગાયેલ ભજન "મારે સામે કિનારે જાવું." જેવો.


મનવા મારે હરિ સરણમાં જાવું, 

મોહ મયાના કૂપમાં ડુબાડ્યો તેં, મંડૂક મારે નથી થાવું...


ખખડી ગયો છે મારો ખટારો, માલ ભર્યો નહીં સારો. 

કર્મનો કચરો પાપના પોટલાં, છુટી જાય ગાંઠ ગંઠાવું..મારે


માયા કેરો વરસાદ થયો છે, કરમે કીચડમાં ફસાયો. 

ભોમિયો સાચો કોઈ ભાળ બતાવે, વિકટ આ વાટ વટાવું..મારે..


ઊબડખાબડ અવરોધ ઘણાં છે, માર્ગ ખૂટે નહીં મારો. 

વારે વારે ઉબેટ બહુ અઘરા, કેમ કરી પાર લગાવું....મારે


જ્ઞાની જન કોઈ માર્ગ બતાવે, લક્ષ્ય સમજાવે સાચો, 

નારાયણ જેવા મહા માનવ મળે તો, ગોવિંદ ગાન લગાવું...મારે


"કેદાર" કરુણાનિધિ કરુણા કરો હવે, ભાર સહ્યો નથી જાતો, 

મહેર કરો મહારાજ જો મુજ પર, ઠાલે ઠાલા થઈ જાવું..મારે


હે પ્રભુ, આપે આ જીવને માનવ બનાવીને આ જગતની માયા રુપી કૂવામાં ધકેલી દીધો છે, પણ મારે એ કૂવાનો દેડકો નથી બનવું, મારે તો હરિ ભજન કરીને શિવ તત્વમાં પાછું ફરવું છે, પણ હવે આ કાયા જીર્ણ થવા લાગી છે, એમાં પણ જુના ખટારામાં જેમ ભંગાર માલ ભરીને જેમ તેમ દોરડા બાંધીને નીકળતા એમ નીકળી પડ્યો છું. ચારે બાજુ તારી માયાનો વરસાદ અને મારા કુકર્મોનું કીચડ થઈ ગયું છે, આમાં માર્ગ પણ દેખાતો નથી, તો મંજિલ કેમ મળશે?

  તેં સંસાર એવો બનાવ્યો છે કે કોઈને કોઈ લાલચમાં ફસાઈ જવાય છે, અનેક પ્રકારની અડચણો આવ્યા કરે છે, કોઈ સાચો ભોમિયો પણ મળતો નથી જે માર્ગ બતાવે, નારાયણ જેવો કોઈ સાચો ગુરુ મળે તો તારા ભજન કરતાં કરતાં જગતના સર્વે કર્મોનો ભાર ખાલી કરીને તારા સુધી પહોંચાડીદે. બસ એજ અપેક્ષા છે.


૧૫૮, मेरे गोपाल आये हैं.


 ૧૫૮, मेरे गोपाल आये हैं.

૨૭.૯.૨૫.

सजालो अपने गुलशन को, मथुरा में श्याम आये हैं।

जगत उद्धार करने को, मेरे गोपाल आये हैं.....


मामाकी केदमें प्रगटे, रक्षसके ध्यान से छटके, 

दीखाये बिरजमें लटके, गोपीयनके प्रान आये हें...


माखनकी मटुकीयां फोडी, खूंटी से गो बाला छोडी, 

ग्वालोंकी छा गई टोली, ये माखन चोर आये हें...


दैत्यको मोक्ष दिलवाया, ईन्द्रको बल भी दीखलाया, 

गोवर्धन ढाल बनवाया, गिरिधर लाल आये हें


कंसको मारकर मोहन, मुक्त पित्रु मात करवाया, 

स्वर्ण नगरीको बनवाया, द्वारिका नाथ आये हें. 


"केदार"की एक ही अरजी, ह्रिदयमें राखीयो हरजी 

निरंतर नामकी माला, येही बस आश लाये हें...


૧૫૭, માધવકી મેહર


 ૧૫૭, માધવકી મેહર

૧૬.૯.૨૫

ઢાળ:-ફિલ્મી ગીત..નગરી નગરી દ્વારે દ્વારે...જેવો

मेहर करी माधवने मुझ पर, मुख में राम रस आया रे

सुर लगा जब श्याम सुंदर से, शब्द ज़ुबां पर आया रे 


मन मन्दिरमे बैठके मोहन,  मुरली ऐसी बजाई रे 

गूंज उठा हरि नाम अंतर में,  छबि माधव मन भाई रे 

ठुमक ठुमक मन नाचन लागा,  शब्द फूट फूट कर आया रे

 

समज न आया राग भैरवी,  मालकौंस दरबारी रे 

ताल त्रिताल ना हिंच कहेरवा,  ना कोई तान लगाई रे 

फिरभी कृपा कृपालकी बन गई,   भजन ग्रन्थ बन पाया रे

 

दीन "केदार" की एक ही अरजी,  भक्तको भूल ना जाना रे 

रहे निरंतर नाम जुबापे,  राम भजन धुन गाना रे 

अंतर मन में दरश आपका, हरदम आके दिलाना रे 


Saturday, September 6, 2025

૧૫૬, भावसे भजन कर
राग:- जनम तेरो बातों ही बीत गयो. जैसा
તા. ૪.૯.૨૫.
भजन तु भाव से कर ले, अंतर अवधेश को धरले        भूखा हे भाव का भूधर, प्रसादी प्रेम रस धर ले

ना उनको राग की आशा, ना झूठे बोल की भाषा       वो जाने मनकी परिभाषा, निखालस नाद तु कर ले

अश्रु आए जो अखियन में, समझ मन लागा चरणन में     हरदम हरि का भजन करके, नैया भव पार तु कर ले

भजन "केदार" क्या किन्हा,  तद्यपि बहुत कुछ दीन्हा     दयानिधि दीन की आशा, शामिल सेवकमे तु करले

ભાવાર્થ:- મિત્રો, બ્રહ્મ લીન નારાયણ બાપુ, સ્વ. કવિ શ્રી "દાદ" જેવાના વચનો અને મારા વાંચન- શ્રવણનો નિચોડ મને એકજ લાગ્યો કે નવધા ભક્તિ માંહેની એક ભક્તિ એટલે ભજન ગાયન, પણ આ ભજન ભાવ પૂર્ણ હોવું જોઈએં. ઈશ્વર દયાળુ છે, એને કોઈ રાગ-રાગણી આવડતી હોય તો જ ભજન થાય એવું નથી, અવાજ- તાલ-ઢબ ગમે તેવા હોય એની પરવાહ એ કરતો નથી, એ પોતાને ગમે એવો તાલ-ઢબ બધું ગોઠવી લેશે, બસ સારા શબ્દોમાં ભરપૂર ભાવ હોવો જોઈએં, ભાવ વિનાના ભજનનો કોઈ ફાયદો થતો નથી. તને ઘડનારો તારા બધા મનોરથ જાણે છે, માટે દંભ કરવાથી કોઈ ફાયદો નથી. અને જ્યારે તારી આંખમાં ભાવ સભર અશ્રુ બિંદુ આવે ત્યારે સમજી લેજે કે તારા હ્રદયમાં સાચો ભાવ-ભક્તિ જાગી છે, અને આવા ભજન કરીને તારા જીવનની નાવડીને તું ભવસાગર પાર કરી શકીશ.
હે નાથ, મેં ભજનો તો ગાયા છે પણ એના પ્રમાણમાં તેં મને જે આપ્યું છે એ તો મારી લાયકાતથી અનેક ગણું છે, ફક્ત ભૌતિક સુખ સમજનારા કદાચ ધન-દોલતને સાચું સુખ માનતા હશે, પણ ૮૧, વર્ષે હજુ મારું શરીર તંદુરસ્ત છે, વાહન ચલાવું છું, સારા અવાજમાં તારા ભજન ગાઈ શકું છું, આંખ-કાન-દાંત સો ટકા સાથ આપે છે, શું આ મારા માટે અઢળક નથી? છતાં માનવ છું, લાલચ તો હોયજ, માટે એક આશા છે કે તું મને તારા સેવક ગણમાં સ્થાન આપજે એજ અભ્યર્થના છે.
જય નારાયણ.


 

Wednesday, July 30, 2025

155, સાચી આરાધના

               સાચી આરાધના
તા.૩૦.૭.૨૫.
ઢાળ- જો આનંદ સંત ફકીર કરે....જેવો..

જે ભજન કરે ભવ પાર કરે, ભક્તિ સરીખું કોઈ ધ્યાન નથી
જો ભાવ ધરી ભૂધરને ભજે, ભજન વિના કોઈ જ્ઞાન નથી...

રાત બધી ભલે રાગ કરે, રાઘવથી ના અનુરાગ કરે
દુખિયાના દુખ ના દિલમાં ધરે, દામોદર ના દરકાર કરે
પર પીડનું આંખમાં અશ્રુ ભરે, એ થી ઉત્તમ કોઈ ગાન નથી....

પોથી ભણીને પંડિત બને, ભલે પિંગળ શાસ્ત્રનો જ્ઞાતા બને
કોઈ તાલ કે વાદ્ય પ્રવીણ બને, દેશ વિદેશ વિખ્યાત બને
માધવની છબી ના મનમાં ધરે, પોપટિયા પંડિતોનું મૂલ્ય નથી...

ઠગ ભક્તથી ના ઠાકોર ઠરે, એ તો ભાવ ભૂખ્યો ના ઠાઠ કરે
કોઈ વિધ વિધ ભાતનો ભોગ ધરે, કોઈ પૌવા ધરીને પ્રણામ કરે 
તુલસીદલ પ્રેમ કરી પીરસે, એ થી મોટું નૈવેદ્ય નથી...

નારાયણ નામનો જાપ કરે, નંદલાલ રટણમાં નાચ કરે
રાધા માધવ મન વાસ કરે, અવધેશને દિલથી યાદ કરે 
ભક્તોના હ્રદયમાં ભાવ ભરે, "કેદાર" કનૈયો દૂર નથી....

ભાવાર્થ:- હે માનવ આ સંસારમાં ભજન-ભક્તિ કરવા સિવાય કોઈ સાચું સુખ નથી, જે ભાવ સાથે ભક્તિ કરે છે તે આ ભવસાગરમાં તરી જાય છે, માટે ભક્તિ કરો. હા, પણ ભક્તિ કે ભજન ફક્ત રાગડા તાણવાથી ભગવાન પ્રસન્ન થતો નથી, એના માટે દિલથી આરાધના કરવી પડે, પારકાની પીડા સમજવી પડે, ભણી-ગણીને કે કોઈ વાદ્યમાં પારંગત બનવાથી નિષ્ણાત બની શકાય, પણ ભક્ત બનાતું નથી, અને ભક્ત ન બનાય કે મનમાં ભક્તિ ન જાગે તો ઈશ્વર પ્રસન્ન થતો નથી,અને તો એવા ભજન કરવાનો કોઈ ફાયદો થતો નથી, માટે ભાવ સહિત ભજન કરો.
જય નારાયણ. 


 

Friday, June 27, 2025

152, લંપટ નેતાને જાણો

    લંપટ નેતાને જાણો            
તા. ૨૨.૬.૨૫.
અવદશા આજ આ કેવી, નેતા થઈ જનને લૂટે છે
સેવા કે સાદગી નામે,  કમાણી કરવા આવે છે...

બનાવી મંડળી મોટી, શપથ લઈ ઈશની ખોટી
વાણીમાં પ્રેમ વરસાવે, પ્રજાને  મૂર્ખ માને છે

પહેરી દેખાવની ખાદી, કરે છે ખૂબ બરબાદી
ભલે હો દેશની હાની, તિજોરી તર એ રાખે છે... 

બનાવે બંગલા મોટા, કરીને ખેલ સૌ ખોટા
ખજાનો ખૂબ ભરવાનો, ઇરાદો એ જ રાખે છે... 

કહું કર જોડી મતદાતા, વિચારો રાખી મન સાતા
ના ખોટા ભ્રમમાં ભટકાતા, ભારત માતા તમારી છે...

હજુ છે હાથમાં બાઝી, ના કરશો લાલસા જાજી
"કેદાર" ના ટળશે બરબાદી, ટાણું ક્યાં રોજ આવે છે...

ભાવાર્થ:-મિત્રો,ભારતમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી ચાલતીહે છે, એટલે લખાયું કે ભારતનું બંધારણ કેવું છે ? તમે પોતે તમારા રાજા નિયુક્ત કરી શકો છો, અને એ પણ પાંચ વરસ માટે, જો એ બરાબર ન લાગે તો પછી પાછા બીજાને લાવી શકો. પણ છતાં ભ્રષ્ટ, અયોગ્ય નેતા કેમ ચૂંટાઈ આવે છે? અને આપણે છાજિયાં લેતા રહીએ છીંએ, આ ભૂલ કોની છે? અમુક તો છાપેલ કાટલાં, દેશ વિરોધી કાર્યો કરે, જાહેર મંચ પર દુશ્મનોને સાથ આપવાની વાતો કરે, ગુંડાઓ છાકટા બનીને ફરે, આપણને દબાવીને પૈસા પડાવે, બહેન દીકરીઓની લાજ ખુલ્લે આમ લૂંટાય, પાછા એમના સંતાનો એનાથી પણ સવાયા દાદાગીરી કરે અને આપણે રડીએ કે આ દેશ હવે રહેવા જેવો રહ્યો નથી. અરે ભાઈ આ બધું મત આપતાં પહેલાં કેમ ન વિચાર્યું? થોડી લાલચમાં કે ભ્રમમાં કેમ ફસાયા? સૌથી પહેલાંતો તમે જવાબદાર છો. તમે દેશ દ્રોહી છો, આજે ઈમાનદાર લોકો રાજકારણમાં આવતા નથી કે ચૂંટાતા નથી, ચૂંટાય તો ભ્રષ્ટ લોકો સુખે કામ કરવા દેતા નથી. જો ઇમાનદાર લોકો ચૂંટાશે તો સરકારી નોકરો પણ ફરજિયાત ઈમાનદાર બનશે, અત્યારેતો લાંચ લેતા પકડાય તો લાંચ આપીને છુટી જાય એવો તાલ છે. આ બધા દુખનું કારણ આપણે મતદાતા છીંએ. બાકી જ્યાં રામ-કૃષ્ણ જેવાને અવતાર લેવા માટે ભારતમાં આવવું પડતું હોય એ ભૂમી રહેવા માટે યોગ્ય ન હોય?    


 

153, કળિયુગનો જોગી

      કળિયુગનો જોગી
તા. ૨૬.૬.૨૫.
પહેર્યા ભગવા બન્યો જોગી, નીયત તો જગ ઠગવાની છે
બચીને ચાલજો મિત્રો, ઘોર કળિયુગ આવ્યો છે...

સાચા કોઈ શાસ્ત્ર ના જાણે, જીવે જોગવાઈ પરમાણે
થોડા મંત્રોમાં ભરમાવી, જગતમાં જાળ નાખે છે...

લજાવે વ્યાસ ગાદીને,  સંગે તકસાધુને લઈને
ભજનનો ભેદ ના જાણે, ફકત બુમરાણ આદરે છે...

શોધીને લાલચુ જનને, બનાવી મૂર્ખ માનવને
ચાલાકી હાથની કરીને, ચમત્કારો બતાવે છે...
 
અગર મોકો મળે મોટો, બની બેસે મુનિ મોટો
ન રાખે ધન તણો તોટો, અજબ આદેશ આપે છે...

સંદેશો યમ તણો આવે,  કારી હવે કોઈ ના ફાવે     
"કેદાર" પોતેતો ડૂબે છે, અન્યને પણ ડુબાવે છે... 

ભાવાર્થ:-મિત્રો, અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે, પહેલાં કોઈ પ્રશ્ન હોય તો ગુરુ કે સંતો પાસે એનું સમાધાન-સાંત્વના લેવા જવાતું, પણ અત્યારે તો એવા ઘણાં બાવા ફાટી નીકળ્યા છે કે "બાવો" શબ્દ સાંભળીને પણ આદર આવતો નથી. કોઈ તપ નહીં, કોઈ સાધના-અભ્યાસ નહીં બસ દેખાવ એવો કરે જાણે જ્ઞાનનો ભંડાર હોય. પાંચ પચીસ શબ્દો ગોખીને અને હાથ ચાલાકી અજમાવીને લોકોને ઠગવાનો ધંધો કરી બેઠાં છે. જો કોઈ મોકો મળી જાય તો ધન-દોલત કમાવામાં કોઈ પરહેજ ન રાખે, ભલે પછી એ કોઈ પણ માર્ગે આવતી હોય. આવા લોકોથી બચવાની જરૂર છે. 
   પણ ઈશ્વરના દરબારમાં પાઈ-પાઈ કે એક એક પળનો હિસાબ થાય છે, અને સજા પણ થાય છે, આપણાં દુર્ભાગ્ય છે કે એ સજા દેખાતી નથી એટલે ડર લાગતો નથી. આમાં હું પણ એટલોજ જવાબદાર છું, સાચા સંતો બધું સમજાવે છે, પણ આ માયાને સમજાવવી ખૂબ અઘરી છે. 
જય શ્રી રામ.  


 

154, ધરતીનો ઉમંગ

 ધરતીનો ઉમંગ
તા. ૨૭.૬.૨૫-અષાઢી બીજ.
આવી આવી આવી અષાઢી બીજરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ
હૈયે મારે ઊઠ્યો અનેરો આનંદરે, ભીંજાયો મારો આતમા રે લોલ... 

બાર બાર મહિનાથી તરશ્યું આ અંતર મારું, તૃપ્તિ પામ્યું છે આજે પ્યાસું આ હૈયું મારું  
કોરી મારી ચૂંદલડી ભીંજાઈરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

કાળી કાળી વાદળીમાં વીજલડી ચમકે, હૈયું હરખાયું મારું મનડું છે હરખે  
અંતરમાં મારા ફૂટ્યા ઉમંગના બીજરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

ટહુકે મોરલિયોને થનગન છે નાચે, નાચે છે ધરતી પુત્રો આનંદમાં રાચે  
ભરાશે હવે ધન ધાન્યના ભંડારરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

વસુંધરામાં હવે ફોરમ ફેલાશે, ઊભરાશે નદીઓ નાળા સરોવર લહેરાશે
"કેદાર" કીધા મેઘરાજાએ મંડાણરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...


 

Thursday, May 8, 2025

149, વાલી વધ.


વાલી વધ.


ઢાળ= મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.....ગવાય છે એવો.
તા. ૫.૩.૨૫
સમદરશીની મોટી શાખ તમારી, ભેદ શાને મનમાં ભરો 
કરુણાના સાગર, રઘુકુલ યાદ કરો.... 

મેં જાણ્યું પ્રભુ ધર્મને કાજે, માનવ દેહ ધરો
સુગ્રીવ સંગે ભલે હેત ઉભરાતું, મુજથી કાં વેર કરો...

વેલ લતાનો આશરો લઈને, સર સંધાન કરો 
લાંછન લાગે પ્રભુ રાઘવ કુળને, એવા ન કાર્ય કરો...

હે વાલી મહા પાપ કર્યું તેં,  ન્યાય કર્યો મેં ખરો
પુત્રી સમાણી પર નારી હરી તેં, એ થી ન જાય ઊગરો...

મોક્ષ મળે હરી હાથે હણાતા, હવે- એક ઉપકાર કરો
અંગદ સુત મુજ આશરે તમારે, કૃપાનીધી કરુણા કરો 

આપ્યું વચન કપિ અરજ સ્વીકારી, નિજ ગતિ પ્રાપ્ત કરો,  
"કેદાર" કરુણાના સાગર રામ રીઝે તો, ભવ સાગરને તરો...

ભાવાર્થ:- જ્યારે પ્રભુ રામ સુગ્રીવને સાથ આપીને વાલીને છુપાઈને બાણ મારે છે ત્યારે વાલી કહે છે, હે ભગવંત આપતો સમાન દૃષ્ટિ વાળા રઘુકુલ ભૂષણ, આમ અન્યાય કેમ કરો છો? હું વેરી અને સુગ્રીવ પર પ્રેમ કેમ? ત્યારે ભગવાન રામ કહે છે કે તેં મહા પાપ કર્યું છે, પુત્રવધૂ હોય કે નાના ભાઈની પત્ની અથવા બહેન, પુત્રી સમાન ગણાય, તેં એનું હરણ કર્યું છે, માટે તને મારવામાં જરા પણ દોષ નથી. અને સુગ્રીવ મારો મિત્ર છે, એના કષ્ટનું નિવારણ કરવું મારી ફરજ છે.
ત્યારે વાલી કહે છે કે પ્રભુ, આપના હાથે મરવાથી મારો મોક્ષ ચોક્કસ છે, પણ એક અરજ છે કે આ મારા પુત્ર અંગદને હું આપની સેવામાં સોંપુ છું, એને અન્યાય ન થાય એવી કૃપા કરજો.
  ભગવાન શ્રી રામે વાલીને મુક્તિ અને અંગદને યુવરાજ પદ આપ્યું. આમ જેના પર પ્રભુ રામની કૃપા થાય તે ગમે તેવો પાપી હોય તો પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
જય શ્રી રમ. 


 

150, आखिरी छलांग

150, आखिरी छलांग
                                                            
6,5, 25
भारत का दो भाग किया पर चूक हो गई शासक की, मोदीजी उम्मीद आपसे नापाकको पाठ सिखाने की।
देश समूचा मांग कर रहा, दुश्मनको सजा कडी देने की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।।

हिंदू मुस्लिम शिख इसाई, हे सब भाई हमारा, लेकिन पीठ में खंजर मारे वो कैसा भाईचारा।
गिविंदने हे बात बताई, हन ता हे तो हन ने की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 

हे पडोशी ना बदल पाएंगे, कहकर बहुत बहलाया हे, बदल डालो सोच सब ऐसी, वो तो उसको भाया हे,
पहलगांवसे पहेल करो अब, घडी हे आंख दिखानेकी, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 

लंकामे भी कुछतो न्याय था, मात को न हाथ लगाया था, पर येतो हे ऐसे राक्षस, देवों को भी डराया था।
ना कोई वहां हे विभीषण, ना संभावना ज्ञानी की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 

शेष नागके शीश पर धरती नजरें कौन उठायेगा, पर घरमे बैठे छुपे सपोले, उससे कौन बचाएगा,
"केदार" भूमि भारत को सजाने, समय हे लंका जलानेकी, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 


सर्जिकल स्ट्राइक के समय मोदीजी ने कहा था की सब इधर उधर देखते रहे और हमने हनुमानजी की तरह आसमान से छलांग लगाई थी, तो हम सब आपकी एक और आखिरी छलांग लगानेकी आतुरतासे राह देख रहें हे।


 

૧૫૦, છેલ્લી છલાંગ



                        ૧૫૦, છેલ્લી છલાંગ
૨૪.૪.૨૫
ભારતના બે ભાગ કર્યા પણ, ભૂલ હતી ત્યાં શાસનની,  મોદીજી ઉમીદ આપથી, નાપાકને પાધરું કરવાની
દેશ સમૂળો માંગ કરે છે સજા દુશ્મનને દેવાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ છે સૌ ભાઈ ભાઈ, પણ કોઈ ભાઈ ખંજર મારે કેવી એ ભલમનસાઈ
હણે એને હણો વાણી છે ગીતામાં ગોવિંદાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

પાડોશી છે ના બદલાશે કહી બહુ બહેલાવ્યા છે, બદલી નાખો આશય આજ થી દુશ્મન એ થી ફાવ્યા છે
પહેલગામથી પહેલ કરીને જરૂર છે આંખ ફેરવવાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

લંકામાં પણ ન્યાય હતો, સીતાજી સુરક્ષિત રહેતાં હતા, પણ આતો વણ શિંગા રાક્ષસ એ થી દેવ પણ ડરતા હતા
ના તો ત્યાં કોઈ વિભીષણ છે, ના છે કોઈ જ્ઞાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

શેષ નાગના શિર પર ધરતી, કોઈ ન આંખ બતાવી શકે, પણ ઘરમાં છુપાયા ભોરિંગ કાળા, એ થી કોણ બચાવી શકે
"કેદાર" ભૂમી ભરતની સજાવો બાળી લંકા રાક્ષસની, , આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની...

તા. ક. મોદીજીએ પાકિસ્તાન પર Sargical Stike કરી ત્યારે કહેલું કે "એ લોકો જમીન પર તૈયારી કરીને બેઠેલા ત્યારે આપણે હનુમાનજીની જેમ આકાશ માર્ગે હુમલો કરેલો." તા. ૨૨.૪.૨૫ ના રોજ પહેલગામ હુમલાના બદલા માટે એક વધુ કુદકાની જરૂરત છે, જે છેલ્લો હોય, પછી કોઈ જરૂર ન પડે તેથી આ લખાયું છે.