Friday, June 27, 2025

લંપટ નેતાને જાણો

    લંપટ નેતાને જાણો            
તા. ૨૨.૬.૨૫.
અવદશા આજ આ કેવી, નેતા થઈ જનને લૂટે છે
સેવા કે સાદગી નામે,  કમાણી કરવા આવે છે...

બનાવી મંડળી મોટી, શપથ લઈ ઈશની ખોટી
વાણીમાં પ્રેમ વરસાવે, પ્રજાને  મૂર્ખ માને છે

પહેરી દેખાવની ખાદી, કરે છે ખૂબ બરબાદી
ભલે હો દેશની હાની, તિજોરી તર એ રાખે છે... 

બનાવે બંગલા મોટા, કરીને ખેલ સૌ ખોટા
ખજાનો ખૂબ ભરવાનો, ઇરાદો એ જ રાખે છે... 

કહું કર જોડી મતદાતા, વિચારો રાખી મન સાતા
ના ખોટા ભ્રમમાં ભટકાતા, ભારત માતા તમારી છે...

હજુ છે હાથમાં બાઝી, ના કરશો લાલસા જાજી
"કેદાર" ના ટળશે બરબાદી, ટાણું ક્યાં રોજ આવે છે...

ભાવાર્થ:-મિત્રો,ભારતમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી ચાલતીહે છે, એટલે લખાયું કે ભારતનું બંધારણ કેવું છે ? તમે પોતે તમારા રાજા નિયુક્ત કરી શકો છો, અને એ પણ પાંચ વરસ માટે, જો એ બરાબર ન લાગે તો પછી પાછા બીજાને લાવી શકો. પણ છતાં ભ્રષ્ટ, અયોગ્ય નેતા કેમ ચૂંટાઈ આવે છે? અને આપણે છાજિયાં લેતા રહીએ છીંએ, આ ભૂલ કોની છે? અમુક તો છાપેલ કાટલાં, દેશ વિરોધી કાર્યો કરે, જાહેર મંચ પર દુશ્મનોને સાથ આપવાની વાતો કરે, ગુંડાઓ છાકટા બનીને ફરે, આપણને દબાવીને પૈસા પડાવે, બહેન દીકરીઓની લાજ ખુલ્લે આમ લૂંટાય, પાછા એમના સંતાનો એનાથી પણ સવાયા દાદાગીરી કરે અને આપણે રડીએ કે આ દેશ હવે રહેવા જેવો રહ્યો નથી. અરે ભાઈ આ બધું મત આપતાં પહેલાં કેમ ન વિચાર્યું? થોડી લાલચમાં કે ભ્રમમાં કેમ ફસાયા? સૌથી પહેલાંતો તમે જવાબદાર છો. તમે દેશ દ્રોહી છો, આજે ઈમાનદાર લોકો રાજકારણમાં આવતા નથી કે ચૂંટાતા નથી, ચૂંટાય તો ભ્રષ્ટ લોકો સુખે કામ કરવા દેતા નથી. જો ઇમાનદાર લોકો ચૂંટાશે તો સરકારી નોકરો પણ ફરજિયાત ઈમાનદાર બનશે, અત્યારેતો લાંચ લેતા પકડાય તો લાંચ આપીને છુટી જાય એવો તાલ છે. આ બધા દુખનું કારણ આપણે મતદાતા છીંએ. બાકી જ્યાં રામ-કૃષ્ણ જેવાને અવતાર લેવા માટે ભારતમાં આવવું પડતું હોય એ ભૂમી રહેવા માટે યોગ્ય ન હોય?    


 

કળિયુગનો જોગી

      કળિયુગનો જોગી
તા. ૨૬.૬.૨૫.
પહેર્યા ભગવા બન્યો જોગી, નીયત તો જગ ઠગવાની છે
બચીને ચાલજો મિત્રો, ઘોર કળિયુગ આવ્યો છે...

સાચા કોઈ શાસ્ત્ર ના જાણે, જીવે જોગવાઈ પરમાણે
થોડા મંત્રોમાં ભરમાવી, જગતમાં જાળ નાખે છે...

લજાવે વ્યાસ ગાદીને,  સંગે તકસાધુને લઈને
ભજનનો ભેદ ના જાણે, ફકત બુમરાણ આદરે છે...

શોધીને લાલચુ જનને, બનાવી મૂર્ખ માનવને
ચાલાકી હાથની કરીને, ચમત્કારો બતાવે છે...
 
અગર મોકો મળે મોટો, બની બેસે મુનિ મોટો
ન રાખે ધન તણો તોટો, અજબ આદેશ આપે છે...

સંદેશો યમ તણો આવે,  કારી હવે કોઈ ના ફાવે     
"કેદાર" પોતેતો ડૂબે છે, અન્યને પણ ડુબાવે છે... 

ભાવાર્થ:-મિત્રો, અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે, પહેલાં કોઈ પ્રશ્ન હોય તો ગુરુ કે સંતો પાસે એનું સમાધાન-સાંત્વના લેવા જવાતું, પણ અત્યારે તો એવા ઘણાં બાવા ફાટી નીકળ્યા છે કે "બાવો" શબ્દ સાંભળીને પણ આદર આવતો નથી. કોઈ તપ નહીં, કોઈ સાધના-અભ્યાસ નહીં બસ દેખાવ એવો કરે જાણે જ્ઞાનનો ભંડાર હોય. પાંચ પચીસ શબ્દો ગોખીને અને હાથ ચાલાકી અજમાવીને લોકોને ઠગવાનો ધંધો કરી બેઠાં છે. જો કોઈ મોકો મળી જાય તો ધન-દોલત કમાવામાં કોઈ પરહેજ ન રાખે, ભલે પછી એ કોઈ પણ માર્ગે આવતી હોય. આવા લોકોથી બચવાની જરૂર છે. 
   પણ ઈશ્વરના દરબારમાં પાઈ-પાઈ કે એક એક પળનો હિસાબ થાય છે, અને સજા પણ થાય છે, આપણાં દુર્ભાગ્ય છે કે એ સજા દેખાતી નથી એટલે ડર લાગતો નથી. આમાં હું પણ એટલોજ જવાબદાર છું, સાચા સંતો બધું સમજાવે છે, પણ આ માયાને સમજાવવી ખૂબ અઘરી છે. 
જય શ્રી રામ.  


 

ધરતીનો ઉમંગ

 ધરતીનો ઉમંગ
તા. ૨૭.૬.૨૫-અષાઢી બીજ.
આવી આવી આવી અષાઢી બીજરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ
હૈયે મારે ઊઠ્યો અનેરો આનંદરે, ભીંજાયો મારો આતમા રે લોલ... 

બાર બાર મહિનાથી તરશ્યું આ અંતર મારું, તૃપ્તિ પામ્યું છે આજે પ્યાસું આ હૈયું મારું  
કોરી મારી ચૂંદલડી ભીંજાઈરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

કાળી કાળી વાદળીમાં વીજલડી ચમકે, હૈયું હરખાયું મારું મનડું છે હરખે  
અંતરમાં મારા ફૂટ્યા ઉમંગના બીજરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

ટહુકે મોરલિયોને થનગન છે નાચે, નાચે છે ધરતી પુત્રો આનંદમાં રાચે  
ભરાશે હવે ધન ધાન્યના ભંડારરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

વસુંધરામાં હવે ફોરમ ફેલાશે, ઊભરાશે નદીઓ નાળા સરોવર લહેરાશે
"કેદાર" કીધા મેઘરાજાએ મંડાણરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...


 

Thursday, May 8, 2025

વાલી વધ.


ઢાળ= મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.....ગવાય છે એવો.
તા. ૫.૩.૨૫
સમદરશીની મોટી શાખ તમારી, ભેદ શાને મનમાં ભરો 
કરુણાના સાગર, રઘુકુલ યાદ કરો.... 

મેં જાણ્યું પ્રભુ ધર્મને કાજે, માનવ દેહ ધરો
સુગ્રીવ સંગે ભલે હેત ઉભરાતું, મુજથી કાં વેર કરો...

વેલ લતાનો આશરો લઈને, સર સંધાન કરો 
લાંછન લાગે પ્રભુ રાઘવ કુળને, એવા ન કાર્ય કરો...

હે વાલી મહા પાપ કર્યું તેં,  ન્યાય કર્યો મેં ખરો
પુત્રી સમાણી પર નારી હરી તેં, એ થી ન જાય ઊગરો...

મોક્ષ મળે હરી હાથે હણાતા, હવે- એક ઉપકાર કરો
અંગદ સુત મુજ આશરે તમારે, કૃપાનીધી કરુણા કરો 

આપ્યું વચન કપિ અરજ સ્વીકારી, નિજ ગતિ પ્રાપ્ત કરો,  
"કેદાર" કરુણાના સાગર રામ રીઝે તો, ભવ સાગરને તરો...

ભાવાર્થ:- જ્યારે પ્રભુ રામ સુગ્રીવને સાથ આપીને વાલીને છુપાઈને બાણ મારે છે ત્યારે વાલી કહે છે, હે ભગવંત આપતો સમાન દૃષ્ટિ વાળા રઘુકુલ ભૂષણ, આમ અન્યાય કેમ કરો છો? હું વેરી અને સુગ્રીવ પર પ્રેમ કેમ? ત્યારે ભગવાન રામ કહે છે કે તેં મહા પાપ કર્યું છે, પુત્રવધૂ હોય કે નાના ભાઈની પત્ની અથવા બહેન, પુત્રી સમાન ગણાય, તેં એનું હરણ કર્યું છે, માટે તને મારવામાં જરા પણ દોષ નથી. અને સુગ્રીવ મારો મિત્ર છે, એના કષ્ટનું નિવારણ કરવું મારી ફરજ છે.
ત્યારે વાલી કહે છે કે પ્રભુ, આપના હાથે મરવાથી મારો મોક્ષ ચોક્કસ છે, પણ એક અરજ છે કે આ મારા પુત્ર અંગદને હું આપની સેવામાં સોંપુ છું, એને અન્યાય ન થાય એવી કૃપા કરજો.
  ભગવાન શ્રી રામે વાલીને મુક્તિ અને અંગદને યુવરાજ પદ આપ્યું. આમ જેના પર પ્રભુ રામની કૃપા થાય તે ગમે તેવો પાપી હોય તો પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
જય શ્રી રમ. 


 

आखिरी छलांग
                                                            
6,5, 25
भारत का दो भाग किया पर चूक हो गई शासक की, मोदीजी उम्मीद आपसे नापाकको पाठ सिखाने की।
देश समूचा मांग कर रहा, दुश्मनको सजा कडी देने की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।।

हिंदू मुस्लिम शिख इसाई, हे सब भाई हमारा, लेकिन पीठ में खंजर मारे वो कैसा भाईचारा।
गिविंदने हे बात बताई, हन ता हे तो हन ने की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 

हे पडोशी ना बदल पाएंगे, कहकर बहुत बहलाया हे, बदल डालो सोच सब ऐसी, वो तो उसको भाया हे,
पहलगांवसे पहेल करो अब, घडी हे आंख दिखानेकी, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 

लंकामे भी कुछतो न्याय था, मात को न हाथ लगाया था, पर येतो हे ऐसे राक्षस, देवों को भी डराया था।
ना कोई वहां हे विभीषण, ना संभावना ज्ञानी की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 

शेष नागके शीश पर धरती नजरें कौन उठायेगा, पर घरमे बैठे छुपे सपोले, उससे कौन बचाएगा,
"केदार" भूमि भारत को सजाने, समय हे लंका जलानेकी, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 


सर्जिकल स्ट्राइक के समय मोदीजी ने कहा था की सब इधर उधर देखते रहे और हमने हनुमानजी की तरह आसमान से छलांग लगाई थी, तो हम सब आपकी एक और आखिरी छलांग लगानेकी आतुरतासे राह देख रहें हे।


 

છેલ્લી છલાંગ
૨૪.૪.૨૫
ભારતના બે ભાગ કર્યા પણ, ભૂલ હતી ત્યાં શાસનની,  મોદીજી ઉમીદ આપથી, નાપાકને પાધરું કરવાની
દેશ સમૂળો માંગ કરે છે સજા દુશ્મનને દેવાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ છે સૌ ભાઈ ભાઈ, પણ કોઈ ભાઈ ખંજર મારે કેવી એ ભલમનસાઈ
હણે એને હણો વાણી છે ગીતામાં ગોવિંદાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

પાડોશી છે ના બદલાશે કહી બહુ બહેલાવ્યા છે, બદલી નાખો આશય આજ થી દુશ્મન એ થી ફાવ્યા છે
પહેલગામથી પહેલ કરીને જરૂર છે આંખ ફેરવવાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

લંકામાં પણ ન્યાય હતો, સીતાજી સુરક્ષિત રહેતાં હતા, પણ આતો વણ શિંગા રાક્ષસ એ થી દેવ પણ ડરતા હતા
ના તો ત્યાં કોઈ વિભીષણ છે, ના છે કોઈ જ્ઞાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

શેષ નાગના શિર પર ધરતી, કોઈ ન આંખ બતાવી શકે, પણ ઘરમાં છુપાયા ભોરિંગ કાળા, એ થી કોણ બચાવી શકે
"કેદાર" ભૂમી ભરતની સજાવો બાળી લંકા રાક્ષસની, , આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની...

તા. ક. મોદીજીએ પાકિસ્તાન પર Sargical Stike કરી ત્યારે કહેલું કે "એ લોકો જમીન પર તૈયારી કરીને બેઠેલા ત્યારે આપણે હનુમાનજીની જેમ આકાશ માર્ગે હુમલો કરેલો." તા. ૨૨.૪.૨૫ ના રોજ પહેલગામ હુમલાના બદલા માટે એક વધુ કુદકાની જરૂરત છે, જે છેલ્લો હોય, પછી કોઈ જરૂર ન પડે તેથી આ લખાયું છે.


 

Thursday, May 9, 2024

             
અનમોલ અવસર
9.5.24. 
ઢાળ-કરો હરિ કા ભજન પ્યારે, પુ. બાપુના ભજન જેવો

ભજન કર ભાવસે પ્યારા, ફોકટ મેં ક્યોં ફસાતા હે
મિલા અનમોલ અવસર હે, વ્યર્થ મેં ક્યોં ગવાતા હે... 

રહેમ કિરતાર કો આયા, મનુજ તન મુફ્ત મેં પાયા
મોહ માયામેં ભરમાયા, હરી ના યાદ આતા હે... 

દીવાના ક્યોં બના ફિરતા, સુત દારા કે બંધન મેં
ભરા ભંડાર દૌલત કા, વહાં ના સાથ આતા હે...

પ્રભુકા નામ તૂં જપલે, નિરંતર સ્વાસો સ્વાસો મેં
પતા નહીં કબ યે રુક જાયે, પવન ઝોંકા જ્યોં આતા હે...

સમજ "કેદાર" ના પાયા, અજબ સરકાર કી માયા
જીવન ભર ભ્રમમેં ભરમાયા, અકલ મેં કુછ ના આતા હે...