Tuesday, January 11, 2011

કોણ પરખે ?

કોણ પરખે ?

કોઇ પરખી શકે પરમેશ્વર ને, એતો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી...

લંકેશ વિંધાણો વેદી હતો, દસ શિશ ચડાવ્યા શંકર ને
નિજ ભક્ત ને ભ્રાત ની લાત પરી, આમાં વૈદેહી ની વાત નથી...

હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો સ્થંભ ફાડી ને
એતો પાપ વધ્યંતું પ્રુથ્વિ ઉપર, પ્રહલાદ પર બસ ઉપકાર નથી...

શબરી સુગ્રિવ ને કેવટ ની, આરદ અવધેશે ઉરમાં ધરિ
પ્રભૂ ચૌદ વરષ વનમાં વિચર્યા, આમાં કૈકેઇ નું કૌભાંડ નથી...

આવે જ્યામ યાદ યશોદાની, નયનો ના નિર ના રોકિ શકે
ગીતા નો ગાનારો ગોવિંદો, મોહન માયા થી દુર નથી..

સુરદાસ સુદામા નરસૈયો, તુજ નામ થકિ ભવ પાર થયા
તેં ઝહેર મિરામ ના પિ જાણ્યા, "કેદાર" શું તારો દાસ નથી...

No comments:

Post a Comment