Sunday, May 18, 2014

                              નારાયણ બાપુ ની નિખાલસતા


નારાયણ સ્વામીજીએ  ભજન ગાયકીને એક અલગજ સ્થાન અપાવીને ભજન ગાયકોને એક નવો રસ્તો બતાવ્યો, અને શ્રોતા ગણને એક નવી તાજગી સાથે અને સામાન્ય સમજ પડે તેવું શાસ્ત્રીય સંગીત પણ આપ્યું, અને મારા જેવા રાગ રાગણીથી અજાણ ગાયકોને કયો રાગ કયા સમયે ગવાય તે પણ શીખવ્યું, નવા નવા રચયિતાઓની રચનાઓ ગાઈને એક નવી રચનાકારની ઓળખ ઊભી કરી, એમાં પણ "દાસ સતાર" ને તો એ ઊંચાઈ આપી કે બાપુના ચિલ ચાલનારા પણ ભજન ગાયકીને કમાવાનો રસ્તો બનાવનારા અનેક ધંધાદારી ગાયકો "સતાર"ને ગાઈને રોટલો રળવા લાગ્યા, તો ખરેખર ભજનના ચાહક ગાયકો "સતાર"ના શબ્દો પર ફિદા થઈને આંખમાં ભાવ, તો ક્યારેક આંસુ સાથે તેના ભજનો ગાવા લાગ્યા, પણ બાપુને ન સમજનારા ક્યારેક ગેર સમજ પણ ફેલાવવા લાગ્યા કે બાપુ તો ઘમંડી છે, જે તેમને નમતા રહે તેનાજ ભજનો ગાયછે. એક ખ્યાતનામ કવિની રચનામાં બાપુની કસી ગેર સમજ થઈ, બાપુએ કંઈક ટકોર કરી, મોટાભાગે આ ટકોર એક બીજા આમને સામને નહીં પણ પ્રોગ્રામ દ્વારાજ આપતા હોયછે જેથી તે જગ જાહેર હોયછે,  પેલા કવિરાજે બાપુને પોતાની રચના દ્વારા જે શંદેસ આપવાનો હતો તેની વિગત જણાવી ત્યારે બાપુએ ભજનના હજારો શ્રોતાઓ વચ્ચે પોતાની ગેર સમજની કબુલાત કરેલી. આ હતી તેમની નિખાલસતા. પણ એક મહાન સ્વર્ગસ્થ કવિના પુત્ર સાથે સામાન્ય ચર્ચા દરમિયાન બાપુએ એ કવિરાજની રચનાઓની કેસેટો બનાવવાની ઇચ્છા દર્શાવી, ત્યારે પેલા મહોદયે મંજૂરી સાથે રોયલ્ટી માટે વાત કરી ત્યારે બાપુએ એક દોહાની એક પંક્તિ સંભળાવી કે "તેરે માંગન બહોત હે તો મેરે ભૂપ અનેક" ભાઈ મારે જો રોયલ્ટી ની શરત સાથે કોઈની રચના ગાવાની હોય તો મનેતો અનેક રચનાકારો પોતાની સારી સારી રચનાઓ ગાવા માટે વિનંતી કરેછે, અને એ વાત ત્યાંજ છોડી દીધી.

નારાયણ બાપુના આવા આવાતો અનેક પ્રસંગો છે, જે સમય સમય પર રજુ કરતો રહીશ.
જય નારાયણ.

No comments:

Post a Comment