અમૂલ્ય અવતાર
ઢાળ-નારાયણ બાપુનું ગાયેલું એક ભજન છે..."અબ સોંપ દીયા ઈસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથો મેં".. ને મળતો
આપ્યો અવતાર અમૂલ્ય ઘણો, મને માનવ કેરો દેહ મળ્યો
ઉપકાર અનેરો આપ તણો, મને નારાયણ નો નેહ મળ્યો...
મને યાદ ન આવે આજ જરી, મેં કેમ ચોરાશી પાર કરી
પણ એક અરજ સરકાર ખરી, મને મુક્ત થવા નો માર્ગ મળ્યો...
સંસાર અસાર છે ધ્યાન રહે, મારા ચિત માં ગીતા નું જ્ઞાન રહે
સદા મન માં હરિ નું સ્થાન રહે, મને ગોવિંદ ગુણ રસ લાગે ગળ્યો...
મને અમૃત આપો વાણી માં, હવે જાય ના જીવન પાણી માં
હું ભાળું હરિ હર પ્રાણી માં, મને કૃષ્ણ કૃપાળુ ત્યાં જાય કળ્યો....
તને એક અરજ કિરતાર કરૂં, ભજતાં ભૂધર ભવ પાર કરૂં
ગદ ગદ થઈ ગિરિધર ગાન કરૂં, મને લાલ રિઝાવવા નો લાગ મળ્યો...
પ્રભુ દીન " કેદાર " ની વાત સુણી, હરિ રાખો મુજ પર મહેર કૂણી
હું તો રોમે રોમ છું તારો ઋણી, થોડું ઋણ ચૂકવવા નો મોકો મળ્યો...
No comments:
Post a Comment