Monday, October 9, 2023

પીર રામદેવજી


               પીર રામદેવજી

તા. ૧૭.૯.૨૩. (રામદેવ પીર નવરાત્રી.)
ઢાળ;- હરિ જન આવો હરિ ગુન ગવાય છે....જેવો

સાખી:-રામ નામ અનેક પણ, પીર પોકરણ નો એક
       અજમલ ઘર અવતાર ધરી, તાર્યા દાસ અનેક..
દ્વારિકાથી દોડી ગયો, પોખરણ ગઢ મોજાર,
તંવર કુળ અવતાર ધર્યો, ધન્ય ધન્ય સરકાર......

પીર પોખરણ ના એક મનસા રહે મારી, રાત દિવસ કરૂં રટણા તમારી...

ભક્ત અજમલે આવી ઘાયલ કીધાં, તોયે દ્વારિકાના નાથે દર્શન દીધાં
ભક્તિ ભાળીને આપ્યા,  વચનો વિચારી....રાત દિવસ કરૂં રટણા તમારી...

માસ ભાદરવો, બીજ અજવાળી, તંવર કુળની નાત ઉજાળી
ધરા રણુજા ની બની, પાવન કારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

નિજિયા ધર્મને ઉજાગર કીધો, અજ્ઞાનીઓ ને, આત્મ બોધ દીધો 
પરચા પૂર્યા છે પુરા, જગમાં બહુ ભારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

મક્કા શહેર થી, આવ્યા કોઈ ઓલિયા, ભાળી પ્રતાપ તારો, વચનો ઉચાર્યા
પીર સ્થાપીને કરી, ભક્તિ બહુ ભારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

દાસ "કેદાર" ની એકજ આશા, કદાપિ જીવનમાં ન આવે નિરાશા
નીરખે મનોહર મુરત, આંખડી અમારી..રાત દિવસ કરૂં રટણા તમારી...

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.   
ફોટો-ગુગલ ના સહયોગ થી


 

No comments:

Post a Comment