Sunday, March 8, 2026

૧૬૧, સમય પાક્યો જવાનો છે

૧૬૧, સમય પાક્યો જવાનો છે.
૯.૧૨.૨૫.
બની મહેમાન હું આવ્યો, સુખદ સહવાસ માણ્યો છે
અલવિદા આપથી કરવી, સમય પાક્યો જવાનો છે...

માં-બાપ કે પરિવારના, હશે અરમાન બહુ મોટા
પાછળથી સત્ય સૌ કહેશે, અનુભવ એ થવાનો છે...

જીવન પથ પર બહુ દોડ્યો, માર્ગ ભટકીને પણ ભાગ્યો 
સફર કેવી રહી મારી, વિઝિટ બુકમાં લખાયું છે...

કીધી છે ભૂલ પણ ભારી, કર્યો બકવાસ પણ બહોળો
કદીક મદમાં છકી જઈને, ઘણો અપરાધ કીધો છે....

ચોપડે ચિત્રગુપ્ત કેરા, હિસાબો કર્મના થાશે
અરજ બસ આપ પાસે તો, ક્ષમા કબુલાત લેવી છે...

ઘણાંએ સાથ દીધો છે, તો કોઈએ ત્રાસ પણ આપ્યો
હતા બહુ દોષ મારામાં, છતાં વિશ્વાસ કીધો છે...

કદી’ક જાણે અજાણે પણ, "કેદાર"ને યાદ તો કરજો
આપીને "દીન વાણી" મેં, હરિનો માર્ગ ચીંધ્યો છે...

ભાવાર્થ:- આ સંસારમાં હું મહેમાન બનીને આવ્યો, આપ બધા સાથે ખૂબ આનંદ માણ્યો, ૮૧, વર્ષ જીવન પથ પર મુસાફરી કરી છે, હવે સફર પુરી થવા આવી હોય એવું લાગે છે. અને ટિકિટ બધાની રિટર્ન જ હોય છે પણ ક્યારે કોની ટિકિટ કન્ફૉર્મ થઈ જશે એ કંઈ નક્કી ન કહેવાય, અને કન્ફૉર્મ થયા પછી રદ થતી નથી માટે પહેલાંથી સામાન પેક કરી લેવો સારો. કોઈ સ્થાન સારું લાગે તો કંઈ રોકાઈ થોડું રહેવાય? પાછું મુકામે પહોંચવું જ પડે છે. આ જીંદગીની સફર કેવી રહી, કેવા કર્મો કર્યા એ બધું તો ચિત્રગુપ્તના ચોપડે (વિઝિટ બુકમાં) લખાયું જ હશે, હિસાબ ત્યાં થશે, પણ મેં કરેલા કર્મો હું સાવ ભૂલ્યો નથી, પણ હવે આમાં Computerની જેમ "Undo" આવતું નથી.
  જ્યારે મારો જન્મ થયો હશે ત્યારે માં-બાપ કે અન્યને મારામાં ખૂબ આશા હશે, પણ એમાં હું કેટલો ખરો ઊતર્યો હોઈશ એ સત્ય તો પછી સૌ કહેશે. મેં અનેક ખોટા કાર્યો-પાપ કર્યા, અવગુણો પોસ્યા છે, પણ મારી કરેલી ભૂલોની દિલથી માફી વિદાય લેતાં પહેલાં લેવી છે, મને ખબર છે, આપવા જેવી હશે તો આપશો બાકીની સજા મળવાની જ છે. 
      મેં મારી સમજ મુજબ "દીન વાણી" નામક ભજનાવલી આપીને ભજન-ભક્તિરસ પીરસવાની કોસીશ કરી છે, એને માણીને ક્યારેક યાદ કરશો ને? અને બને એટલી ભાવિક ભક્તો સુધી પહોંચાડતા રહેજો.
જય માતાજી.



 

૧૬૦, ભવ સાગરની વાટે.

૧૬૦, ભવ સાગરની વાટે.
તા.૨૫.૧૦.૨૫.
ઢાળ:-નગરી નગરી દ્વારે દ્વારે..ફિલ્મી ગીત જેવો.

રાધા માધવ ભજતાં ભજતાં, ભવ સાગર તરી જાવું છે
મનમાં આશા એકજ મોહન, ગોવિંદ ગોવિંદ ગાવું છે....

મહેર કરી માધવ તેં મુજ પર, દેહ માનવનો આપ્યો છે,
માત પિતા કુળ મોટપ આપી, સમજણ પણ થોડી આપી છે
આપ્યું અધિક છે પ્રભુ મુજને પણ, ગજું ગોવિંદ ક્યાં મારું છે...

અરુણોદય સમે અંતર મનથી, અવિનાશીને યાદ કરું
આંખ ખૂલે ત્યાં રટણા રામની, મૂરતી મોહનની મનમાં ધરું
ભૂમી ભારતને ભાર ન લાગે, કરમો એવા કરવા છે..... 

સંતજનોની સેવા કરવી, ભક્તિ રસમાં નહાવું છે
કથા કીર્તન ધુન કાન ધરીને, પાવન થોડું થાવું છે
દીન-દુખિયાના દર્દને જાણી, સાચા સહાયક બનવું છે...

એક ઉપકાર પ્રભુ એટલો કરજે, અંત ઘડીને બગાડીશ ના
બોજ બનું નહીં ભૂધર ભૂલું નહીં, નારાયણને વિસારું ના
"કેદાર" કરુણાનિધિ કરુણા કરજો, ભવે ભવ ભક્તિ કરવી છે...

ભાવાર્થ:-  હે ઈશ્વર, આપે મને ભક્તિ સભર માતા-પિતાને ત્યાં સારા કુળમાં થોડી સમજણ સાથે માનવ તરીકે જન્મ આપ્યો છે, જે કદાચ મારા કર્મોથી પણ વધારે હોય, તો એક ઉપકાર પ્રભુ કરજે કે હું એવું કોઈ કામ ન કરું કે મારી જન્મ ભૂમી માટે શરમ જનક હોય. તારું ભજન ક્યારેય ભૂલું નહીં. મારી દિનચર્યા તારા ભજન-મનન અને દર્શનથી શરુ થાય, સાચા સંતોની સેવા કરવાનો લહાવો મળે, દિન-દુખિયાને કામ આવું એવું જીવન હો અને જ્યારે મારો અંત સમય આવે ત્યારે મારા મુખમાં સદા તારું ભજન હોય, કોઈને કષ્ટ ન આપું અને આવતા જન્મમાં પાછો તારો ભક્ત બનું એટલી મારી અરજી સ્વીકારી લેજે એજ અભ્યર્થના છે.


 

૧૫૯, હરિ શરણમાં જાવું

૧૫૯, હરિ શરણમાં જાવું
તા. ૨.૧૦.૨૫.
ઢાળ:- પુ. નારાયણ બાપુએ ગાયેલ ભજન "મારે સામે કિનારે જાવું." જેવો.

મનવા મારે હરિ શરણમાં જાવું, 
મોહ મયાના કૂપમાં ડુબાડ્યો તેં, મંડૂક મારે નથી થાવું...

ખખડી ગયો છે મારો ખટારો, માલ ભર્યો નહીં સારો. 
કર્મનો કચરો પાપના પોટલાં, છુટી જાય ગાંઠ ગંઠાવું..મારે

માયા કેરો વરસાદ થયો છે, કરમે કીચડમાં ફસાયો. 
ભોમિયો સાચો કોઈ ભાળ બતાવે, વિકટ આ વાટ વટાવું..મારે..

ઊબડખાબડ અવરોધ ઘણાં છે, માર્ગ ખૂટે નહીં મારો. 
વારે વારે ઉબેટ બહુ અઘરા, કેમ કરી પાર લગાવું....મારે

જ્ઞાની જન કોઈ માર્ગ બતાવે, લક્ષ્ય સમજાવે સાચો, 
નારાયણ જેવા મહા માનવ મળે તો, ગોવિંદ ગાન લગાવું...મારે

"કેદાર" કરુણાનિધિ કરુણા કરો હવે, ભાર સહ્યો નથી જાતો, 
મહેર કરો મહારાજ જો મુજ પર, ઠાલે ઠાલા થઈ જાવું..મારે

હે પ્રભુ, આપે આ જીવને માનવ શરીર આપીને આ જગતની માયા રુપી કૂવામાં ધકેલી દીધો છે, પણ મારે એ કૂવાનો દેડકો નથી બનવું, મારે તો હરિ ભજન કરીને શિવ તત્વમાં પાછું ફરવું છે, પણ હવે આ કાયા જીર્ણ થવા લાગી છે, એમાં પણ જુના ખટારામાં જેમ ભંગાર માલ ભરીને જેમ તેમ દોરડા બાંધીને નીકળતા એમ નીકળી પડ્યો છું. ચારે બાજુ તારી માયાનો વરસાદ અને મારા કુકર્મોનું કીચડ થઈ ગયું છે, આમાં માર્ગ પણ દેખાતો નથી, તો મંજિલ કેમ મળશે?
  તેં સંસાર એવો બનાવ્યો છે કે કોઈને કોઈ લાલચમાં ફસાઈ જવાય છે, અનેક પ્રકારની અડચણો આવ્યા કરે છે, કોઈ સાચો ભોમિયો પણ મળતો નથી જે માર્ગ બતાવે, નારાયણ જેવો કોઈ સાચો ગુરુ મળે તો તારા ભજન કરતાં કરતાં જગતના સર્વે કર્મોનો ભાર ખાલી કરીને તારા સુધી પહોંચાડીદે. બસ એજ અપેક્ષા છે.


 

૧૫૮, मथुरामें श्याम आये हैं।

૧૫૮, मथुरामें श्याम आये हैं।
૨૭.૯.૨૫.
ઢાળ:- સજાદો અપને ગુલશન કો... જેવો.

आनंदो आज जग वालों, मथुरा में श्याम आये हैं।
जगत उद्धार करने को, मेरे गोपाल आये हैं.....

मामाकी केदमें प्रगटे, रक्षसके ध्यान से छटके, 
दीखाये बिरजमें लटके, गोपीयनके प्रान आये हें...

माखनकी मटुकीयां फोडी, खूंटी से गो बाला छोडी, 
ग्वालोंकी छा गई टोली, ये माखन चोर आये हें...

दैत्यको मोक्ष दिलवाया, ईन्द्रको बल भी दीखलाया, 
गोवर्धन ढाल बनवाया, गिरिधर लाल आये हें

कंसको मारकर मोहन, मुक्त पित्रु मात करवाया, 
स्वर्ण नगरीको बनवाया, द्वारिका नाथ आये हें. 

"केदार"की एक ही अरजी, ह्रिदयमें राखीयो हरजी 
निरंतर नामकी माला, येही बस आश लाये हें...

ભાવાર્થ;-આજે આખા જગતને આનંદ પમાડે એવો પ્રસંગ આવી ગયો છે કે મથુરામાં રાજા કંસના કેદખાનામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે, આખા જગતનો ઉદ્ધાર કરનારું તત્વ આજે પ્રગટ થયું છે, માટે આનંદ માણો. મામા કંસની જેલમાં સખત પહેરો હતો છતાં સિપાહીઓની નજર ચુકાવીને ગોકુળમાં પહોંચી ગયા, એટલું જ નહીં ત્યાં એવી એવી લીલા કરી કે આખા જગતને પ્રેમ રસમાં ડુબાવી દીધું. ગોપ બાળોની ટોળી બનાવીને માખણ ચોર્યું, ગોશાળામાં જઈને વાછરડાને છોડી મૂક્યા જે બધું દુધ ધાવી ગયા. અનેક દૈત્યોને મારીને સ્વધામ પહોંચાડી દીધા. ઈન્દ્ર દેવ કોપાયમાન થયા તો ગોવર્ધન લીલા કરીને એનો ગર્વ ઉતાર્યો. ત્યાર બાદ મામા કંસને મારીને માતા-પિતાને છોડાવ્યા અને દ્વારિકા જેવી સુવર્ણની નગરી બનાવી.   
  મારી તો બસ એક જ અરજ છે નાથ કે મને આપના ચરણોમાં એવું સ્થાન આપજો કે હું સદા આપાના નામની માળા ફેરવતો રહું
               જય શ્રી કૃષ્ણ. 


 

૧૬૬, मन मोहन माधव


                 ૧૬૬, मन मोहन माधव

Date. 9.3.26

ઢાળ:-બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયેલું ભજન "જબ ચાહ હમારે દીલમેં હે..."જેવો

मन मोहन माधव बनवारी, बंसी बजावत हे प्यारी

जलचर स्थलचर नभचर मोहा, गोप गोपियां खोई शुद्ध सारी.....


ब्रिंदाबन में बांके बिहारी, मोर मुकुट को शिर धरा

गल बैजन्ती माला शोभत हे, नायनोमें स्नेह भंडार भरा

अधर कमल पर मुरली मनोहर, सुर बहे मंगलकारी.....


कमल नयन कान्हा आनंद सागर, पितांबर अंग अति भावन है 

सांवरी सूरत पर तिलक सजायो, मंद मंद मुस्कुरावात है 

बाजूबंध कमर कंदोरा, कान कुंडल शोभा भारी.....


अकासुर बकासुर मारा, पुतनाका भी संहार किया

मथुरा नगरको मोह लगायो, कुबजाका रूप शृंगार किया

मामा कंस को मुष्टिका मारी, माता पिता के कष्ट हारी.......


"केदार" कन्हैया दास तुम्हारो, भजन गाते बीते जन्मारो, 

माया जगतकी मनमे रहे ना, मिट जाए सब जंजारो

अंत समय हरि नाम रहे मुख, नयनों निरखे कान्हा छब तारी......


Friday, October 10, 2025

૧૫૯, હરિ સરણમાં જાવું



 ૧૫૯, હરિ સરણમાં જાવું

તા. ૨.૧૦.૨૫.

ઢાળ:- પુ. નારાયણ બાપુએ ગાયેલ ભજન "મારે સામે કિનારે જાવું." જેવો.


મનવા મારે હરિ સરણમાં જાવું, 

મોહ મયાના કૂપમાં ડુબાડ્યો તેં, મંડૂક મારે નથી થાવું...


ખખડી ગયો છે મારો ખટારો, માલ ભર્યો નહીં સારો. 

કર્મનો કચરો પાપના પોટલાં, છુટી જાય ગાંઠ ગંઠાવું..મારે


માયા કેરો વરસાદ થયો છે, કરમે કીચડમાં ફસાયો. 

ભોમિયો સાચો કોઈ ભાળ બતાવે, વિકટ આ વાટ વટાવું..મારે..


ઊબડખાબડ અવરોધ ઘણાં છે, માર્ગ ખૂટે નહીં મારો. 

વારે વારે ઉબેટ બહુ અઘરા, કેમ કરી પાર લગાવું....મારે


જ્ઞાની જન કોઈ માર્ગ બતાવે, લક્ષ્ય સમજાવે સાચો, 

નારાયણ જેવા મહા માનવ મળે તો, ગોવિંદ ગાન લગાવું...મારે


"કેદાર" કરુણાનિધિ કરુણા કરો હવે, ભાર સહ્યો નથી જાતો, 

મહેર કરો મહારાજ જો મુજ પર, ઠાલે ઠાલા થઈ જાવું..મારે


હે પ્રભુ, આપે આ જીવને માનવ બનાવીને આ જગતની માયા રુપી કૂવામાં ધકેલી દીધો છે, પણ મારે એ કૂવાનો દેડકો નથી બનવું, મારે તો હરિ ભજન કરીને શિવ તત્વમાં પાછું ફરવું છે, પણ હવે આ કાયા જીર્ણ થવા લાગી છે, એમાં પણ જુના ખટારામાં જેમ ભંગાર માલ ભરીને જેમ તેમ દોરડા બાંધીને નીકળતા એમ નીકળી પડ્યો છું. ચારે બાજુ તારી માયાનો વરસાદ અને મારા કુકર્મોનું કીચડ થઈ ગયું છે, આમાં માર્ગ પણ દેખાતો નથી, તો મંજિલ કેમ મળશે?

  તેં સંસાર એવો બનાવ્યો છે કે કોઈને કોઈ લાલચમાં ફસાઈ જવાય છે, અનેક પ્રકારની અડચણો આવ્યા કરે છે, કોઈ સાચો ભોમિયો પણ મળતો નથી જે માર્ગ બતાવે, નારાયણ જેવો કોઈ સાચો ગુરુ મળે તો તારા ભજન કરતાં કરતાં જગતના સર્વે કર્મોનો ભાર ખાલી કરીને તારા સુધી પહોંચાડીદે. બસ એજ અપેક્ષા છે.


૧૫૮, मेरे गोपाल आये हैं.


 ૧૫૮, मेरे गोपाल आये हैं.

૨૭.૯.૨૫.

सजालो अपने गुलशन को, मथुरा में श्याम आये हैं।

जगत उद्धार करने को, मेरे गोपाल आये हैं.....


मामाकी केदमें प्रगटे, रक्षसके ध्यान से छटके, 

दीखाये बिरजमें लटके, गोपीयनके प्रान आये हें...


माखनकी मटुकीयां फोडी, खूंटी से गो बाला छोडी, 

ग्वालोंकी छा गई टोली, ये माखन चोर आये हें...


दैत्यको मोक्ष दिलवाया, ईन्द्रको बल भी दीखलाया, 

गोवर्धन ढाल बनवाया, गिरिधर लाल आये हें


कंसको मारकर मोहन, मुक्त पित्रु मात करवाया, 

स्वर्ण नगरीको बनवाया, द्वारिका नाथ आये हें. 


"केदार"की एक ही अरजी, ह्रिदयमें राखीयो हरजी 

निरंतर नामकी माला, येही बस आश लाये हें...