Sunday, March 8, 2026
૧૬૧, સમય પાક્યો જવાનો છે
૧૬૦, ભવ સાગરની વાટે.
૧૫૯, હરિ શરણમાં જાવું
૧૫૮, मथुरामें श्याम आये हैं।
૧૬૬, मन मोहन माधव
૧૬૬, मन मोहन माधव
Date. 9.3.26
ઢાળ:-બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયેલું ભજન "જબ ચાહ હમારે દીલમેં હે..."જેવો
मन मोहन माधव बनवारी, बंसी बजावत हे प्यारी
जलचर स्थलचर नभचर मोहा, गोप गोपियां खोई शुद्ध सारी.....
ब्रिंदाबन में बांके बिहारी, मोर मुकुट को शिर धरा
गल बैजन्ती माला शोभत हे, नायनोमें स्नेह भंडार भरा
अधर कमल पर मुरली मनोहर, सुर बहे मंगलकारी.....
कमल नयन कान्हा आनंद सागर, पितांबर अंग अति भावन है
सांवरी सूरत पर तिलक सजायो, मंद मंद मुस्कुरावात है
बाजूबंध कमर कंदोरा, कान कुंडल शोभा भारी.....
अकासुर बकासुर मारा, पुतनाका भी संहार किया
मथुरा नगरको मोह लगायो, कुबजाका रूप शृंगार किया
मामा कंस को मुष्टिका मारी, माता पिता के कष्ट हारी.......
"केदार" कन्हैया दास तुम्हारो, भजन गाते बीते जन्मारो,
माया जगतकी मनमे रहे ना, मिट जाए सब जंजारो
अंत समय हरि नाम रहे मुख, नयनों निरखे कान्हा छब तारी......
Friday, October 10, 2025
૧૫૯, હરિ સરણમાં જાવું
૧૫૯, હરિ સરણમાં જાવું
તા. ૨.૧૦.૨૫.
ઢાળ:- પુ. નારાયણ બાપુએ ગાયેલ ભજન "મારે સામે કિનારે જાવું." જેવો.
મનવા મારે હરિ સરણમાં જાવું,
મોહ મયાના કૂપમાં ડુબાડ્યો તેં, મંડૂક મારે નથી થાવું...
ખખડી ગયો છે મારો ખટારો, માલ ભર્યો નહીં સારો.
કર્મનો કચરો પાપના પોટલાં, છુટી જાય ગાંઠ ગંઠાવું..મારે
માયા કેરો વરસાદ થયો છે, કરમે કીચડમાં ફસાયો.
ભોમિયો સાચો કોઈ ભાળ બતાવે, વિકટ આ વાટ વટાવું..મારે..
ઊબડખાબડ અવરોધ ઘણાં છે, માર્ગ ખૂટે નહીં મારો.
વારે વારે ઉબેટ બહુ અઘરા, કેમ કરી પાર લગાવું....મારે
જ્ઞાની જન કોઈ માર્ગ બતાવે, લક્ષ્ય સમજાવે સાચો,
નારાયણ જેવા મહા માનવ મળે તો, ગોવિંદ ગાન લગાવું...મારે
"કેદાર" કરુણાનિધિ કરુણા કરો હવે, ભાર સહ્યો નથી જાતો,
મહેર કરો મહારાજ જો મુજ પર, ઠાલે ઠાલા થઈ જાવું..મારે
હે પ્રભુ, આપે આ જીવને માનવ બનાવીને આ જગતની માયા રુપી કૂવામાં ધકેલી દીધો છે, પણ મારે એ કૂવાનો દેડકો નથી બનવું, મારે તો હરિ ભજન કરીને શિવ તત્વમાં પાછું ફરવું છે, પણ હવે આ કાયા જીર્ણ થવા લાગી છે, એમાં પણ જુના ખટારામાં જેમ ભંગાર માલ ભરીને જેમ તેમ દોરડા બાંધીને નીકળતા એમ નીકળી પડ્યો છું. ચારે બાજુ તારી માયાનો વરસાદ અને મારા કુકર્મોનું કીચડ થઈ ગયું છે, આમાં માર્ગ પણ દેખાતો નથી, તો મંજિલ કેમ મળશે?
તેં સંસાર એવો બનાવ્યો છે કે કોઈને કોઈ લાલચમાં ફસાઈ જવાય છે, અનેક પ્રકારની અડચણો આવ્યા કરે છે, કોઈ સાચો ભોમિયો પણ મળતો નથી જે માર્ગ બતાવે, નારાયણ જેવો કોઈ સાચો ગુરુ મળે તો તારા ભજન કરતાં કરતાં જગતના સર્વે કર્મોનો ભાર ખાલી કરીને તારા સુધી પહોંચાડીદે. બસ એજ અપેક્ષા છે.
૧૫૮, मेरे गोपाल आये हैं.
૧૫૮, मेरे गोपाल आये हैं.
૨૭.૯.૨૫.
सजालो अपने गुलशन को, मथुरा में श्याम आये हैं।
जगत उद्धार करने को, मेरे गोपाल आये हैं.....
मामाकी केदमें प्रगटे, रक्षसके ध्यान से छटके,
दीखाये बिरजमें लटके, गोपीयनके प्रान आये हें...
माखनकी मटुकीयां फोडी, खूंटी से गो बाला छोडी,
ग्वालोंकी छा गई टोली, ये माखन चोर आये हें...
दैत्यको मोक्ष दिलवाया, ईन्द्रको बल भी दीखलाया,
गोवर्धन ढाल बनवाया, गिरिधर लाल आये हें
कंसको मारकर मोहन, मुक्त पित्रु मात करवाया,
स्वर्ण नगरीको बनवाया, द्वारिका नाथ आये हें.
"केदार"की एक ही अरजी, ह्रिदयमें राखीयो हरजी
निरंतर नामकी माला, येही बस आश लाये हें...