Tuesday, December 25, 2012

Fwd: પ્રસંગ



---------- Forwarded message ----------
From: kedarsinh Jadeja <kedarsinhjim@gmail.com>
Date: 2012/12/24
Subject: પ્રસંગ
To: vikramsinh jadeja <omroadwayswkr@gmail.com>


થોડા સમય પહેલાં મેં પ. પુ. બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ સાથે થયેલી મારી મુલાકાત નો પ્રસંગ અહિં લખેલો, આજે પ. પુ. બ્રહ્મલીન નારાયણ નંદ 
સરસ્વતીજી કે જે નારાયણ સ્વામી તરીકે વધારે જાણીતા આજે પણ છે, તેમની સાથે નો એક પ્રસંગ લખવા પ્રેરાયો છું.

અમો બે-ચાર મિત્રો પુ. બાપુને મળવા રવિવાર ની રજાનો લાભ લેવા શનિવાર સાંજના માંડવી જવા ગાંધીધામ થી રવાના થયા, રસ્તો બહુ સારો નહતો, પહોંચતા પહોંચતા મોડું થયું એટલે બાપુને પરેશાન ન કરવાના આશય થી રસ્તામાંજ ભોજન કરીને ચુપ ચાપ સૂઈ જવાની તૈયારી સાથે પહોંચ્યા, પણ બાપુ તો જાણે અમારી રાહ જોતા હોય તેમ આશ્રમ ના દ્વાર પરજ મળી ગયા, અને રસ્તામાં જમવા બાબત મીઠો ઠપકો પણ આપ્યો, અને ભોજન શાળામાં પરાણે જમવા બેસાડી દીધા. મા જેમ બાળકને જમાડે તેમ હેતે હેતે જમાડ્યા, અને કહ્યું પણ ખરું કે "હું લંડન ગયો ત્યારે ગોરાઓ રાત્રે સપર સપર જેવું કંઈક કરતા હતા, મેં પૂછ્યું તો ખબર પડી કે આ તો રાત્રે મોડા મોડા જમે તેને સપર કહેતા હતા, આજે તમે પણ સપર સમજી લેજો." અમો હેતે હેતે હરિને સમરતાં સમરતાં સપર કરી ને સૂઈ ગયા.
બીજા દિવસે અનેક પ્રવાસીઓ/ભક્તો બસ ભરી ને માંડવી માં કચ્છ ના પ્રવાસ દરમિયાન આવી પહોંચ્યા, ત્યારે આજના જેવી સગવડ ન હતી, બાપુએ આગ્રહ કરીને આશ્રમ માંજ રોકીને સારી રીતે આગતા સ્વાગતા કરી, આખો દિવસ આમજા વીત્યો, બીજા દિવસે નોકરી હોઇને અમોએ રજા માંગી, બાપુએ જુઠ્ઠો ગુસ્સો કરીને કહ્યું "મારો આશ્રમ પર્યટન સ્થળ નથી કે ઠીક પડે ચાલ્યા જવાય, હજુતો "દીન વાણી"(મારી ભજનાવલી) ના ભજનો સાંભળવા બાકીછે, નોકરી મારો નાથ સંભાળશે.
પછી તો મારી રચનાઓ સાંભળતા ગયા અને દાદ આપતા ગયા, બાપુના ડાયરામાં આપે જે હારમોનીયમ બાપુના હાથે વાગતું જોયું હશે તેના પર ગાવાની જે મજા મને આવી તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું, હા તબલા હાજર ન હતા, પણ જ્યારે બાપુ ભજન ગાવા લાગ્યા ત્યારે મેં ત્યાં પડેલા ખાલી ડબલા લઈને સંગત કરી, અને એ પ્રોગ્રામ એવો જામ્યો કે જો ત્યારે તેનું રેકોર્ડિંગ કર્યું હોત તો આજે બાપુ માટે જે લોકો આડું અવળું બોલતા તેમને ખ્યાલ આવત કે બપુ કેટલા પ્રેમી હતા, પણ ગાયક કે વક્તાને જો યોગ્ય પ્રોત્સાહન ન મળે તો જરૂર તેનું દુખ થાય.
આ હતી બાપુની રંગત/નિખાલસતા અને સાદાઈ.
જય નારાયણ.   

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધમ.૧૨.૧૨.૧૨
૯૪૨૬૧૪૦૩૬૫


Fwd: પ્રસંગ



---------- Forwarded message ----------
From: kedarsinh Jadeja <kedarsinhjim@gmail.com>
Date: 2012/12/24
Subject: પ્રસંગ
To: osman.h.mir@gmail.com, birju_singer@yahoo.com, દાદીમા ની પોટલી' -'દાસ <dadimanipotli@gmail.com>
Cc: giribapu25@gmail.com, info@manavparivar.org, vatsalaveeren@yahoo.com, Niranjan Rajyaguru <satnirvanfoundation@gmail.com>


થોડા સમય પહેલાં મેં પ. પુ. બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ સાથે થયેલી મારી મુલાકાત નો પ્રસંગ અહિં લખેલો, આજે પ. પુ. બ્રહ્મલીન નારાયણ નંદ 
સરસ્વતીજી કે જે નારાયણ સ્વામી તરીકે વધારે જાણીતા આજે પણ છે, તેમની સાથે નો એક પ્રસંગ લખવા પ્રેરાયો છું.

અમો બે-ચાર મિત્રો પુ. બાપુને મળવા રવિવાર ની રજાનો લાભ લેવા શનિવાર સાંજના માંડવી જવા ગાંધીધામ થી રવાના થયા, રસ્તો બહુ સારો નહતો, પહોંચતા પહોંચતા મોડું થયું એટલે બાપુને પરેશાન ન કરવાના આશય થી રસ્તામાંજ ભોજન કરીને ચુપ ચાપ સૂઈ જવાની તૈયારી સાથે પહોંચ્યા, પણ બાપુ તો જાણે અમારી રાહ જોતા હોય તેમ આશ્રમ ના દ્વાર પરજ મળી ગયા, અને રસ્તામાં જમવા બાબત મીઠો ઠપકો પણ આપ્યો, અને ભોજન શાળામાં પરાણે જમવા બેસાડી દીધા. મા જેમ બાળકને જમાડે તેમ હેતે હેતે જમાડ્યા, અને કહ્યું પણ ખરું કે "હું લંડન ગયો ત્યારે ગોરાઓ રાત્રે સપર સપર જેવું કંઈક કરતા હતા, મેં પૂછ્યું તો ખબર પડી કે આ તો રાત્રે મોડા મોડા જમે તેને સપર કહેતા હતા, આજે તમે પણ સપર સમજી લેજો." અમો હેતે હેતે હરિને સમરતાં સમરતાં સપર કરી ને સૂઈ ગયા.
બીજા દિવસે અનેક પ્રવાસીઓ/ભક્તો બસ ભરી ને માંડવી માં કચ્છ ના પ્રવાસ દરમિયાન આવી પહોંચ્યા, ત્યારે આજના જેવી સગવડ ન હતી, બાપુએ આગ્રહ કરીને આશ્રમ માંજ રોકીને સારી રીતે આગતા સ્વાગતા કરી, આખો દિવસ આમજા વીત્યો, બીજા દિવસે નોકરી હોઇને અમોએ રજા માંગી, બાપુએ જુઠ્ઠો ગુસ્સો કરીને કહ્યું "મારો આશ્રમ પર્યટન સ્થળ નથી કે ઠીક પડે ચાલ્યા જવાય, હજુતો "દીન વાણી"(મારી ભજનાવલી) ના ભજનો સાંભળવા બાકીછે, નોકરી મારો નાથ સંભાળશે.
પછી તો મારી રચનાઓ સાંભળતા ગયા અને દાદ આપતા ગયા, બાપુના ડાયરામાં આપે જે હારમોનીયમ બાપુના હાથે વાગતું જોયું હશે તેના પર ગાવાની જે મજા મને આવી તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું, હા તબલા હાજર ન હતા, પણ જ્યારે બાપુ ભજન ગાવા લાગ્યા ત્યારે મેં ત્યાં પડેલા ખાલી ડબલા લઈને સંગત કરી, અને એ પ્રોગ્રામ એવો જામ્યો કે જો ત્યારે તેનું રેકોર્ડિંગ કર્યું હોત તો આજે બાપુ માટે જે લોકો આડું અવળું બોલતા તેમને ખ્યાલ આવત કે બપુ કેટલા પ્રેમી હતા, પણ ગાયક કે વક્તાને જો યોગ્ય પ્રોત્સાહન ન મળે તો જરૂર તેનું દુખ થાય.
આ હતી બાપુની રંગત/નિખાલસતા અને સાદાઈ.
જય નારાયણ.   

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધમ.૧૨.૧૨.૧૨
૯૪૨૬૧૪૦૩૬૫