Wednesday, April 24, 2024

૧૪૭, અંજની પુત્ર

              અંજની પુત્ર
ઢાળ-ફિલ્મી ગીત..નગરી નગરી દ્વારે દ્વારે...જેવો
તા. ૨૩.૪.૨૪, હનુમાન જયંતી.

અંજની પુત્ર મહા બલબિરા, કેશરી નંદ દુલારે રે
માત સિયાકે પ્યારે હનુમંત, શંકર સુવન ન્યારે રે......

બાલા વયમેં નટખટ નંદન, દેખ સૂરજ લલચાએ રે
ફલ સમજ જબ મુખમેં ડારા, ચહુ દિસ હુવા અંધિયારા રે
સબ સંતન મિલ કિન્હી પ્રાર્થના, કિયા જગત ઉજિયારા રે...

સુગ્રીવકો શ્રી રામ મિલાએ, વાલી ત્રાસ છુડાયો રે
એકહી પલ મેં જલનિધિ લાંઘે, માત સીયા મન ભાયો રે
અજર અમર તબ આશિસ પાયો, રાવણ રાજ જલાયો રે...
 
લક્ષમણલાલકો બાન લગો તબ, વૈદ્ય સુષેણ કો લાયો રે  
સમઝ ન આઈ ઔષધ આખિર, ગિરિ સમુચો ઉઠાયો રે   
સોમ સમજાયો કરકે ઈશારા, બચપન યાદ દિલાયો રે...

રામ રાજ્યમેં જીવ સમસ્તને, જો ચાહા ફલ પાયા રે  
બિન માંગે હી મિલા ભક્તોકો, નિત દર્શન મન ભાયા રે 
એકહી આશા "કેદાર" કપિ કી, રોમ રોમ રઘુરાયા રે...

ભાવાર્થ-અંજની ના જાયા હનુમાનજી મહારાજ માતા સિતાજીના પ્રિય પાત્ર, મહા બલી કેશરીના પુત્ર અને ભગવાન શિવના શિવાંસ છે.
    હનુમાનજી જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે સૂર્યને ફળ સમજીને આરોગવા ગયા ત્યારે સકળ સંસારમાં અંધકાર છવાઈ ગયો, ત્યારે રૂષી મુનિઓ આવીને હનુમાનજીને વિનંતી કરીને સૂર્યને મુક્ત કરાવતાં પરી પાછો નિત્ય ક્રમ શરૂ થયો.
   સુગ્રીવ પોતાના ભાઈ વાલી થી ડરીને ઋષિમુખ પર્વત પર વાસ કરતો હતો, હનુમાનજીએ શ્રી રામ સાથે તેની મિત્રતા કરાવીને એ ત્રાસમાંથી છોડાવ્યો. એક જ છલાંગમાં સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા ત્યારે માતા સીતાએ પ્રસન્ન થઈને અજર અમર થવાના આશિષ આપેલા. 
   જ્યારે યુદ્ધમાં લક્ષ્મણજીને બાણ લાગ્યું ત્યારે લંકામાંથી સુષેણ વૈદ્યને તેના નિવાસ સાથે લાવ્યા અને એના કહેવા પ્રમાણેની ઔષધિની પરખ ન પડી તો સમૂળો પર્વત ઉઠાવી લીધો, આ ઔષધ સૂર્યોદય પહેલાં આપવાનું હોવાથી સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે મારા પહોંચવા પહેલાં પ્રભાત ન થાય, સાથો સાથ યાદ પણ અપાવી કે "યાદ છે ને? એક વખત મેં આપને મારા મુખમાં લઈ લીધા હતા?"
    રામના રાજ્યમાં સમગ્ર જીવ માત્રને જે ઇચ્છા કરી તે ફળ મળ્યું, ભક્તોને તો માંગ્યા વિના જ સદાકાળ રામ દર્શનનો લહાવો મળવા લાગ્યો, પણ હનુમાનજીની તો એક જ આશા રહી કે નાથ આપ સદા સર્વદા મારા રોમે રોમમાં બિરાજમાન રહો.
જય શ્રી રામ.
ફોટો-ગુગલના સહયોગ થી.


 

૧૪૬, હું શાણો નથી

              હું શાણો નથી
તા. ૧૦.૪.૨૪.
ઢાળ-નારાયણ બાપુએ ગાયેલું ભજન "શું પુછો છો મુજને કે હું શું કરૂં છું. જેવો

સાખીઓ;-ભજન કરો તો ભાવથી, મનમાં રાખી રામ. અંતર થી અરજી કરો, સાંભળશે ઘનશ્યામ.
         મુખ પધરાવો રામને, મનમાં મોહન હોય. રાગ દ્વેષ અળગાં કરો, અવર ભજન નહીં કોય  

ગોવિંદનું ગાન ગાવા યત્નો કરૂં છું 
                         સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

વદું હું તો વાણી, હરિ હરને ભજવા, કર્મો કર્યા નથી ભવ સાગરને તરવા
કાંઠે બેસીને છબછબિયાં કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

કહે કોઈ મુજને કે બોલ્યા કરૂં છું, સારા નરસાનું જ્ઞાન આપ્યા કરૂં છું
સંતોની વાણી હું તો કહેતો ફરું છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

ગજું શું છે મારું કે સમજ આપું કોઈને, દુર્ગુણો દેખાડું પ્રભુ તને રોઈ રોઈને
મન ના સૌ મેલ ધોવા યત્નો કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

ભવરણે ભુલ્યાને થોડી આશ હું જતાવું, ઘણું ભટક્યો છું કોઈને રાહ જો બતાવું  
મૃગજલનો મર્મ હું તો કહેતો ફરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

દીન "કેદાર" પ્રભુ દાસ તમારો, અવગણી અપરાધ હરિ હાથ જાલો મારો
કર બદ્ધ કરુણા સાગર પ્રાર્થના કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....


 

Sunday, February 18, 2024

કેસે મેને ગ્રંથ રચાયો ?


              કેસે મેને ગ્રંથ રચાયો ?

૧૮.૨.૨૪

પ્રભુજી મોહે અચરજ અનહદ આયો, મેને કેસે યે ગ્રંથ રચાયો ?


"દીન વાણી" કેસે દિલસે નિકલી, કેસો યે ખેલ રચાયો

અજ્ઞાનિકો તુંને સંત ચરનમેં, અમૂલખ સ્થાન દિલવાયો...


ના કોઈ શિક્ષા ના કોઈ દીક્ષા, ના કોઈ પિંગલ પઠાયો

ના હી પૂજા કી ગુરુ પદ પંકજ, ના કોઈ ધ્યાન ધરાયો... 


ના હી ગયા મેં કાશી મથુરા, ના હી તીરથ કર આયો

ગંગાજલ કા પાન કિયા પર, મર્મ સમઝ નહીં આયો...


ના હી રહા મેં રામ ભજન મેં, ના હી ગોવિંદ ગુન ગાયો

માતૃ ક્રુપા, સંત કરી કરૂણા, નાદ કે પથ પે ચલાયો...


અબ "કેદાર" કી એક હી આશા, ભજનમેં રહૂં મેં સવાયો

સારા જીવન વ્યર્થ ગંવાયા, સત્ય સમજ અબ આઅયો...


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, 

૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji અને YouTube માં 

kedarsinhji m jadeja લખીને મારી રચનાઓ માણી શકશો.  


Thursday, February 15, 2024

વાગડમાં ઢોલ વાગે છે

   વાગડમાં ઢોલ વાગે છે
૧૪.૨.૨૪.
હાલો હાલો સહિયર સૌ સાથ, વાગડમાં ઢોલ વાગે છે
વૃજવાણી આ ભોમની મોજાર,  વાગડમાં ઢોલ વાગે છે...

વૃજવાણીમાં વાંસળી છોડી કાન, ઢોલે રમવા પધાર્યા
જનમ જનમની ગોપી આહીરાણી, ભાગ્ય તેના સુધાર્યા
સકળ જગતનું સુખ સમાણું, વાગડની ધરતી પર આજ...

કામણગારો કાનો નાદ જગાવે, હૈયા ચડ્યા છે હિલોળે
મનના ઓરતા મનમાં રહે ના, છલકાવો પ્રેમ રસ છોળે
રાસે રમવાનો બેની અવસર આવ્યો છે, રહે ના અધુરા કોડ આજ..

સાત વીસ આયરાણી ડૂબી ભક્તિમાં, રંગત રેલાવી દીધી
રાત દિવસનું ભાન રહ્યું નહીં, એવી ઉજાણી કીધી
સકળ જગતની રંગત રસરાજ કાન, વરસાવી અમ પર આજ....  

જીરવી શકયો ન કોઈ આનંદ અભાગિયો, આચરણ અવળાં કીધાં
પાવન પ્રેમને પરખી શક્યો નહીં, અમ થી અળગાં કરી દીધાં
"કેદાર’ સમાણી સૌ પાવન ધરામાં, પૂજે છે દુનિયા આજ...


 

Monday, February 12, 2024

શિવનો જાપ-કીર્તન


શિવનો જાપ-કીર્તન
તા.૩૧.૭.૨૨
જપતાં શિવ શંકરનો જાપ હ્રદયમાં, ભક્તિ જાગે છે
ભક્તિ જાગે છે અંતરમાં આનંદ આવે છે...

માયા પ્રભુની મન લલચાવે, ભ્રમમાં મન ભટકાતું
રાત દિવસ જીવ ચડે ચકરાવે, સત્ય નથી સમજાતું
શિવ નામ ઠરાવે ઠામ,  અમોને આનંદ આવે છે...

ભભૂત લગાવી ત્રિપુંડ તાણી,   ડમરુ નાદ ગજાવે
કંઠમાં જગના ઝેર ભર્યા છે,  ભુજંગ અંગ સજાવે
જટામાં ગંગાજી શણગાર,  અમોને આનંદ આપે છે...

જ્યોતિર્લિંગનો મહિમા મોટો, વેદ પુરાણ વંચાતો
નારદ શારદ નમનું કરે છે, શિવ રંગમાં ભક્ત રંગાતો
સ્વયંભૂ તેજ પુંજ પ્રકાશ, અમોને આનંદ આપે છે...

"કેદાર" ભોળા બાળ તમારો,   એકજ અરજી મારી
ગણેશ કાર્તિક માત શિવા સંગ, મનમાં મૂર્તિ તમારી    
અહર્નિશ કરજો અંતર વાસ, દાસ એક આશા રાખે છે...

ભાવાર્થ:-હે ભોળાનાથ, મને તારો જાપ કરવામાં આનંદ આવે છે, કારણ કે મને તારું નામ બહુ પ્યારું લાગે છે.
     ભગવાન વિષ્ણુની માયા આખા જગતના જીવને ભ્રમિત કરે છે, ભક્તિ માર્ગથી ભટકાવે છે અને મન જ્યાં ત્યાં ભમે છે, પણ તારું નામ મનને ઠરવાનું સાચું ઠેકાણું બતાવે છે.
  આપે ભભૂતી લગાવી છે, ડમરુનો નાદ કરો છો, કંઠમાં હળાહળ ઝેર ભર્યું છે, વળી અંગ પર સર્પોનો શણગાર કર્યો છે, આપની જટામાં પવિત્ર ગંગાજી બિરાજમાન છે, આ આપનું રૂપ નિરંતર મારા મનને આનંદ આપે છે.
    હે ભોલેનાથ, આપે જ્યોતિર્લિંગમાં સ્વયં આપનું તેજ મૂક્યું છે, જેની વેદો અને પુરાણોમાં આરાધના થાય છે, સંતો મહંતો સપ્તર્ષિ પણ એની પૂજા કરે છે, એવા આ તેજ પુંજથી મારું મન ભક્તિ મય બની જાય છે.
    હે ભોળા નાથ હું તો આપનો બાળક છું, મારી બસ એકજ અરજ છે કે માતા પાર્વતીજી, પ્રથમ પૂજ્ય ગણેશજી અને કાર્તિકસ્વામી સાથે સદા મારા મન મંદિરમાં બિરાજમાન રહો.

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, 
૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji અને YouTube માં 
kedarsinhji m jadeja લખીને મારી રચનાઓ માણી શકશો.  


 

Sunday, February 11, 2024

ભારતકા બડા ભાગ્ય ચમકા

ભારતકા બડા ભાગ્ય ચમકા

૯.૨.૨૪
ઢાલ- ફીલ્મી ગીત-આપ આયે તો આયી બહાર, ...જેવો.

રામ આયે તો આઈ બહાર, ભારતકા બડા ભાગ્ય ચમકા.
જાને કિતને સાલો કે બાદ, ભારતકા બડા ભાગ્ય ચમકા....(૨)

સુગ્રિવકા સબ સંકટ ટારા, શબરીકે બૈરકો સ્વીકારા
આજ કી હે હમારી દરકાર,(૨) ભારતકા બડા ભાગ્ય ચમકા....

સદીયોં સંતોને કષ્ટ સહા, ગોલિયાં ખાઈ ઔર ખૂન બહા
કિયા અપના સભી કુર્બાન (૨), ભારતકા બડા ભાગ્ય ભાગ્ય ચમકા....

ભક્તોકો કિતના તરસાયા, તબ જાકે યે શુભ દિન આયા
આજ પૂરા હૂવા ઈન્તજાર(૨), ભારતકા બડા ભાગ્ય ચમકા....

આજ અવધ ગુલજાર હુવા, મન મંદિરમેં પ્રકાશ હુવા
હુવા ભક્તોકા બેડા પાર(૨) ભારતકા બડા ભાગ્ય ચમકા....

"કેદાર"કી અરજી સુન લેના, મુજકોભી દર્શન દે દેના
સેવામેં લેના સરકાર(૨), ભારતકા બડા ભાગ્ય ચમકા....

ભાવાર્થ:-તા.૨૨.૧.૨૪ના દિવસે ભારતમાં એક નવો સૂર્યોદય થયો, સેંકડો વર્ષોની તપશ્ચર્યા અને રામ ભક્તોના બલિદાન બાદ આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ અવસર આવ્યો, અને ભારતનું ભાગ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું.
  હે ઈશ્વર આપે સુગ્રીવના સંકટનું નિવારણ કરીને એને રાજગાદી અપાવી, શબરીની આતુરતાનો અંત આણીને એના એઠાં બોરનો સ્વીકાર કર્યો, ત્યારે મને લાગતું કે અમારી પ્રાર્થના આપ ક્યારે સાંભળશો? પણ આજે અમારા પર આપે દયા કરી.
  સંતો-ભક્તો-સેવકોએ કેવા કેવા સંકટ સહન કર્યા! સામી છાતીએ ગોળીઓ ખાધી, રક્તની ધારાઓ વહી, પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું! ત્યારે આજે આ શુભ ઘડી આવી છે. આજે અયોધ્યાની પાવન ભૂમી ફરીથી નવ પલ્લવિત બની છે, અબાલ વૃદ્ધ, જીવ માત્રના મન આજે નાચી ઊઠ્યા છે.
   પ્રભુ મારી પણ એક પ્રાર્થના છે, જીંદગીનો છેલ્લો પડાવ છે, અવધમાં તો કદાચ ન પહોંચાય, પણ મારા હ્રદયમાં દર્શન કરાવતા રહેજો અને મારી સેવાનો સ્વીકાર કરતા રહેજો એજ અભ્યર્થના.
રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, ૯૪૨૬૧૪૦૩૬૫. 


 

Tuesday, February 6, 2024

કાળો કાન

કાળો કાન
તા.૧૮.૩.૧૪
ઢાળ:- રાગ પ્રભાતી જેવો

કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે...

રામ બની તેં અહલ્યા ઉદ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી,       ભક્ત ઉગાર્યા ભારી રે...

એક જ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી રે
ધોબીના વચને રાણી સીતાને, કષ્ટ દીધાં બહુ ભારી રે...

કૃષ્ણ બની તું કપટ કરે છે,   રણ છોડી રણછોડ બને છે
છોગાળાને તું છળથી છળે છે, વિપરીત વાણી તારી રે...

જોર કરી જાંબુવતી લાવ્યાં,   પરણ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી,    વિરહ વેઠાવ્યા ભારી રે...

બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જનમ ભોમકા (જેલ) ભાગ ભજાવે, મતી બગાડે તારી રે...

"કેદાર" કપટ એક કાન કરીદે,  મુજ પાપીને પાર કરી દે
જગત બધાને જાણ કરીદે,          તું અધમનો ઉદ્ધારી રે... 

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, ૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji લખીને મારા બધા ભજનો વાંચી શકશો, અને YouTube માં kedarsinhji m jadeja સર્ચ કરીને મારા કે મારી રચનાઓના વીડીઓ જોઈ શકશો. મારું ઈ મેઇલ એડ્રેસ kedarsinhjim@gmail.com 
ફોટો-ગુગલના સહયોગ થી.