Thursday, July 18, 2013

દાન.-૨

દાન.
હમણાં હમણાં કેદારનાથ ના દરરોજ સમાચાર દરેક માધ્યમોમાં છવાયેલા રહેછે. ત્યાંના પ્રલયને એક માસ થયો તેના રિપોર્ટ જોયા, ક્યારેક અમુક સેવા જોઈને Anand થાયછે તો વધારે નિરાશા પણ થાયછે. જવાનોએ કરેલી અદ્ભુત કામગીરી જોતાં તેમને સલામ કરવાનું મન થાયજ, ચોપરના ચાલકો પોતાનો જીવ જોખમમાં મૂકીને કેવી કેવી જગ્યાએ ઉતરાણ કરીને સેવા આપતા હતા તે તો કદાચ આ પરિસ્થિતિને સમજનારજ સમજી શકે. તો પ્રશાસકોના ભ્રામક ભાષણો સાંભળીને અફસોસ થાય કે આમને મત આપીને કેવી મોટી ભૂલ કરીછે? આજે પણ ટી વી માધ્યમોએ બતાવેલા દ્ગશ્ય મુજબ જો તે આજનાજ દ્ગશ્યો હોય તો આજે પણ મેં પહેલાં બતાવેલા નંદી મહારાજના શરીર પર પડેલા પથ્થરને હટાવવાનું કોઇને ધ્યાન આવ્યું લાગતું નથી, તે પથ્થર એજ સ્થિતિમાં નંદી મહારાજને પરેશાન કરી રહ્યો છે.
  દાન બાબત હું આ લખાણ એક બે જગ્યાએ મૂકી ચૂક્યોછું પણ આજે ફરીથી લખવા પ્રેરાયોછું અને બધાને મોકલવા ની ઇચ્છાથી લખુંછું.
    
અનેક નામી અનામી દાતાઓ એ અનેક રીતે દાન કરીને પોતાનો ઇતિહાસ બનાવ્યો છે. મહા દાની કરણ, કે જેની પાસેથી કોઈ પણ યાચક ખાલી હાથે પાછો ન ફરતો. ઘણા દાનીઓ એ જ્યારે યાત્રાળુઓને રહેવાની સગવડ ન હોય તેવી પહાડી અથવા એવી દુર્ગમ જગ્યા કે જ્યાં ખાલી હાથે જવું પણ અઘરું લાગતું હોય, ત્યાં સિમેન્ટ પથ્થરો અને લાકડા પહોંચાડી ને અદ્યતન ધર્મશાળાઓ બનાવીછે, તો કોઈ મહાનુભાવે અન્નક્ષેત્રો ચાલુ કરાવ્યાછે. કોઈ કોઈ સંપ્રદાય મહાલયો બનાવવામાં આગળ રહ્યા તો કોઈ વળી દેવાલયો બનાવવામાં અરબો ખરબો ના દાન લઈને એક થી એક ચડિયાતા મંદિરો બનાવવામાં લાગી ગયા. અવા તો અનેક દાતાઓ આપણા ભારત વર્ષમાં થઈ ગયા જેણે પોતાનું નામ સુવર્ણ અક્ષરે માનસ હ્રદય માં કોતરાવી દીધું. હાલના વિજ્ઞાનના સમય માં લોકો અંગોનું દાન કરી ને ચિકિત્સા પધ્ધતિ માં સહાય રૂપ બનવા લાગ્યા છે. 
      
ક્યારેક મન એમ પણ વિચારવા મજબૂર બની જાય છે કે શિરડી વાળા સાંઈબાબા કે જેમણે આખી જીંદગી એક ધોતી અને ઝભ્ભો પહેરી ને કોઈ સામાન્ય ભેટ પણ ન સ્વીકારી ત્યારે આજે બાબા ને સોના ના સિંહાસન અને અન્ય મૂલ્યવાન આભૂષણો ધરવામાં આવે છે, તે બાબાને ગમતા હશે કે ભક્તો સામે મજબૂર બની ને સ્વીકારવા પડતા હશે?

સત્ય સાંઈ બાબા માટે અનેકો અનેક સાચી ખોટી વાતો થતી, પણ તેમણે જે વિદ્યાલયો અને ચિકિત્સાલય બનાવી, અને તેમાં પણ ગરીબો ને મફત ઇલાજ અને વિદ્યા દાન આપવામાં આવે છે તેનું જે મહત્વ મને સમજાય છે તે ભગવાન ને ૫૬ ભોગ ધરવાથી અનેક ગણું વધારે લાગે છે. ભગવાન તો ભાવના નો ભૂખ્યો છે, માનવ ને ભૂખ્યો રાખી ને ભગવાન ને ભોગ લગાવો તો હું નથી માનતો કે ભગવાન એ ભોગ જમે. અરે મને તો લાગે છે કે આવા ભોગથી તે પ્રસન્ન થવાના બદલે ક્રોધાયમાન થતો હશે અને કહેતો હશે કે હે નાદાન, તું શું સમજે છે? મારું એક પણ સર્જન ભૂખ્યું હોય ત્યારે હું ભોગ આરોગું?    

કોઈ જગ્યાએ હજારો લીટર દુધ ધરવામાં આવેછે, તો કોઈ જગ્યાએ તેલની ધારાવાહી કરીને પુણ્ય કમાવામાં આવેછે, તો ક્યાંક શરાબ પણ અર્પણ કરવામાં આવીછે, હું તેનો વિરોધ તો નથી કરતો કારણ કે હું પણ ધાર્મિક વૃત્તિ ધરાવુછું, દરેક ની માન્યતા અલગ અલગ હોયછે, પણ જે આવો ચડાવો ચડાવવામાં આવેછે તેમાં શરાબ જેવી પ્રસાદી છોડીને ખાવા લાયક કે ફરી ઉપયોગમાં આવી શકે તેવી પ્રસાદી માટે કોઈ એવી વ્યવસ્થા કરવી જોઇએં કે તે ખરાબ નથાય અને શુદ્ધિ કરણ કરીને જરૂરત મંદોને કે ભૂખ્યા દુખીયાને આપવામાં આવે તો મને લાગેછે કે ભગવાન વધારે ખુશ થશેજ તેનો મને પુરો ભરોસો છે.

મેં સાંભળેલી કથા પ્રમાણે તિરુપતિ દાદાની વાત થોડી અલગ છે, તેનું કથાનકજ અલગ છે તેથી ત્યાં લક્ષ્મીજીનું મહત્વ હોય તે સહજ છે, પણ પ્રસાદનો વેપાર કેટલો ઉચિત છે? ભગવાને દાન ધર્મ કે બીજે ક્યાંય રોકાણ કરવા બાબત કોઈ અવરોધો રાખ્યા નથી, તો શા માટે ગરીબોને મફત દવા/ ચિકિત્સા અને ભોજન, સંપતી હોવા છત્તાં  આખા ભારતમાં ઉભા નથી કર્યા? જે લગભગ મોટા ભાગના ગરીબ દર્દીઓને સેવા આપી શકે, પણ જે છે તેમાં પણ ઘણી જગ્યાએ લાગવગથી મોટા માથાઓ કે સંચાલકોના સગા વહાલા ભરાઈ બેઠાં હોવાથી જગ્યા હોતી નથી કે મળતી નથી. એવાતો અનેક રસ્તાઓ છે જેનાથી ભગવાન પણ ખુશ રહે, પણ કોઈ પણ કારણસર આવું બનતું નથી તે દુર્ભાગ્ય છે. આવા અનેકો અનેક મંદિરો આપણા ભારતમાં અને આપણા ધર્મોના કાર્ય કર્તાઓએ વિદેશોમાં પણ અઢળક સંપતી એકઠી કરીને નિર્માણ કર્યાછે, પણ આવા કોઈ કાર્યોમાં ખૂબજ અલ્પ ભાગજ વાપર્યોછે.  
 
મારા પોતાના મત પ્રમાણે મોટા મોટા મહાલયો કે મોટા મોટા મંદિરો માં જ્યારે દર્શનાર્થિ જાય છે ત્યારે શાંતિ કે ભક્તિ મેળવવા ના બદલે ભવ્યતા અને વૈભવમાં એવો તો લીન થઈ જાય છે કે તે ઘડી ભર ભગવાન ને પણ ભૂલી જાય છે, અને તેથી આવા મહા મંદિરો નો આશય (ભક્તિ) વીસરાય જાય છે. એના બદલે એટલી રકમ માંથી અમુક રકમ ની કોઈ હોસ્પિટલ બનાવી અને બાકી રકમ  કોઈ બેંકમાં જમા કરી ને તેના વ્યાજ માંથી ઘણી જગ્યાએ ચાલતી સેવાઓ અનેકો અનેક ગણી વધારે આશીર્વાદ રૂપ બને છે. અને એમાં સારવાર પામી ને નવ જીવન મેળવેલો માનવી કોઈ ભવ્ય મંદિરમાં જઈ ને મેળવેલી શાંતિ થી અનેકો અનેક ગણી પરમ શાંતિ જીવન ભર પામે છે. ઈશ્વર આવા કાર્યથી જે ખુશી પામતા હશે તેનાથી કોઈ મોટી ખુશી કોઈ પણ દાનમાં પામતા નહીં હોય.     

આવા બધા અરબો ખરબોના માલિક ભગવાનના સેવકોમાં પણ એક જગ્યા એવી છે કે જેનો ઉલ્લેખ ન કરું તે કેમ ચાલે? કારણ કે આ એક એવી જગ્યા છે કે જ્યાં ભક્તો અરબો રૂપિયા એક ચપટી વગાડતાંજ એકઠા કરી આપે તેવી જગ્યા છે, પણ આ જગ્યા માં આપણા શાસ્ત્રમાં સૌથી જેને મહા દાન ગણવામાં આવ્યું છે તે અન્ન દાન નું દાન કરીને અનન્ય સેવા કરેછે, અને તે પણ આપને નવાઈ લાગે તે રીતે કોઈ પણ જાતની સેવા સ્વીકાર્યા વિના કરવામાં આવેછે, હાંજી આપ ઠીક સમજ્યાછો, કોઈ પણ દાન કોઈ પણ રૂપમાં અહીં સ્વીકારવામાં આવતું નથી, અરે કોઈ ફળ પણ નહીં, છેને આ જમાનામાં ન માની શકાય તેવી વાત? છતાં આ જગ્યા મારફતે મહિલા શિક્ષણ માટે અદ્યતન કૉલેજ અને ચિકિત્સા જેવી અનેક સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ છે. અને એ જગ્યાછે રાજકોટ થી નજીકમાંજ આવેલું નાનું એવું વીરપુર ધામ કે જ્યાં જલારામ બાપાના એક સમયે બેસણા હતા અને સાક્ષાત્ ઈશ્વર પોતે ત્યાં પધારેલા અને જલારામ બાપાના પત્ની વિરબાઈમાંની માગણી સેવા કરવા માટે કરેલી, કોઈ પણ જાતનો સંશય કર્યા વિના બાપાએ વિરબાઈમાંને ભગવાન સાથે વળાવી દીધેલા. પછીતો ભગવાનને ભોંઠપ આવી અને વિરબાઈમાંને એક ધોકો અને એક ઝોળી આપીને મહા મહેનતે છટકી શક્યા, આજે એજ ધોલો અને ઝોળી વીરપુર ધામમાં દર્શનાર્થે રાખવામાં આવ્યાછે, પ્રભુએ હાથો હાથ આપેલા એ ધોકા અને ઝોળીના દર્શન કરીને ભક્તો ધન્ય ધન્ય બનેછે. એવી પવિત્ર ભૂમી છે વીરપુર, હવે આપજ વિચારો આપ કેને મહાન કહેશો ? અને છતાં કોઈ જાતનો પ્રચાર કરવામાં આવતો નથી. કે કોઈ ચમત્કારની ભ્રમણા ઊભી કરવામાં આવતી નથી.
 
મિત્રો મારી બુદ્ધિ પ્રમાણે મને જે લાગે છે તે લખું છું, માટે મારા મત સાથે સહમત થવાની જરૂર નથી, પણ કોઈ પણ કર્મ કે દાન સમજી વિચારી ને કરાય અને યોગ્ય રીતે કરાય તો જ તેનું શુભ ફળ મળે છે, નહીં તો તેમાં નુકસાન થવાની સો એ સો ટકા સંભાવના છે. એવા ઘણાં દાખલા આપણા શાસ્ત્રોમાં મોજૂદ છે કે કોઇએ ગેર માર્ગે દોરાઈ ને કે યોગ્ય પાત્રની જાણકારી વિના દાન કરીને પુણ્ય ને બદલે પાપ કમાયું હોય.

આશા કરૂં ઈશ્વર સૌને સદ બુદ્ધિ આપે, (મને પણ.)
જય નારાયણ.
ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજી


Monday, July 15, 2013

આજીજી


આજીજી

ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો

જેવો ઘડ્યો છે મુજને એવોજ છું હું દાતા, કરૂં કર્મ સઘળા જે લખિયા વિધાતા.

ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ, ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો,   અજ્ઞાની મને જાણી સ્વીકારો જગતાતા..

કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા, ભજ્યાં થોડા ભૂધર ઘણી વળગી છે માયા
રહે અંત વેળા તુજ રટણા મન અંદર,   મીઠી નજરૂં ની વૃષ્ટિ વરસાવો ભગવંતા..   

કરૂં પ્રાર્થના નિત દિલથી તમારી,   સુણો વિશ્વ કરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્,  વિનવું સદા નાથ તમને ઓ તાતા...

કરૂં સર્વે કર્મો ડરીને તમોથી,   ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિતડું તુજ શરણે ઓ સ્વામી, વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..

કરૂં ગાન ત્યારે મન તારામાં  લાગે, માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે   
છે "કેદાર" કેરી એક વિનતિ વન માળી,  સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..   

સાર:- હે ભગવન, આપે મને જેવો બનાવીને આ જગતમાં મોકલ્યો છે, અને વિધાતાએ જેવા મારા લેખ લખ્યા છે, એવાજ કર્મો હું કરૂં છું, મંત્રોની કે શ્લોકો ની સમજણ કે યજ્ઞ યાગ જાણતો નથી, માટે જે કાલા વાલા કરૂં તેજ મંત્રો ગણી લેજો.
પ્રભુ આ સંસારની માયા મને વળગી છે, તેથી મેં જાણ્યે અજાણ્યે પાપો કિધા હશે, પણ તારી થોડી વંદના કે પ્રાર્થના ભજનો ગાઈને કરી છે તે તો તને ખબર જ છે, મેં એક જગ્યાએ સાંભળેલું કે એક બાળક સ્કૂલે જતાં પહેલાં તારા મંદિરમાં આવતો અને આવીને આખી બારાક્ષરી દરરોજ બોલી જતો, એજ સમયે એક ભક્ત પણ આવતા અને પ્રાર્થના મંત્રો બોલતા, દર રોજ નો આ ક્રમ, એક દિવસ પેલા ભક્તે એ બાળક ને પુછ્યું "કે બેટા, તું દર રોજ આવીને આખી બારાક્ષરી ભગવાન સામે બોલેછે તો શું તને યાદ રહે તે માટે ભગવાન પાંસે બોલેછે કે પછી કંઈ અલગ ઇરાદાથી બોલેછે ?" ત્યારે પેલા બાળકે જવાબ આપ્યો કે હું ભગવાન પાંસે પ્રાર્થના મંત્રો કે ભજન ગાવા આવુંછું, પણ મને કંઈ આવડતું નથી, પણ ભગવાનને તો બધુંજ આવડે, અને મારા ગુરુજી કહેછે કે જે કંઈ સારા ખરાબ શબ્દો છે તે બધાજ આ બારાક્ષરીમાં છે તેનાથી બહાર કોઈ શબ્દ નથી, તેથી હું ભગવાન પાસે આખી બારાક્ષરી બોલીને છેલ્લે વિનંતી કરુછું કે આપને જે યોગ્ય લાગે તે શબ્દો આ બારાક્ષરીમાંથી ગોઠવી લેજો. 
પણ પ્રભુ આપેતો મને થોડી શબ્દોની સમજ આપીછે તેથી હૂંતો એ પણ કહી શકું તેમ નથી, તેથી મારી બુદ્ધિ પ્રમાણે મેં લખ્યું છે, જે સ્વીકારીને બસ મારા અંત કાળે તારી આ વંદના મારા મુખમાં રહે એવી અમી દ્ગષ્ટિ મારા પર રાખજે, અને તારી આ વંદના નું સુખ સદા મારા પર રહે એવી દયા કરજે.
હે ઈશ્વર હું કોઈ ખોટું કાર્ય ન કરૂં અને સદાએ સત કર્મો કરતો રહું, શ્વાસે શ્વાસ માં તારાજ નામનો અવિરત પ્રવાહ વહેતો રહે, મારૂં મન આ સંસાર ની માયામાં મોહે નહીં અને સદા તારા ચરણોમાં વળગેલું રહે એજ અભ્યર્થના. 
જય માતાજી.
ફોટો ગુગલના સૌજન્યથી.

Thursday, July 11, 2013

મહાન દેશ


મહાન દેશ

દેશ મહાન હમારા યારોં, દેશ મહાન હમારા...

આગ લગી હે બર્ફ કે અંદર, સુલગ રહા હે હિમાલા
પાક પડોશી નાપાક ઇરાદે,  કરતાં ખેલ નિરાલા
ખૂરચ રહા સર માતૃભૂમિ કા,  લેકે હાથ હમારા...ફિરભી...-૧

કૌન હે હિંદુ કૌન હે મુસ્લિમ, કૌન હે શીખ ઈસાઈ
જન્મ લિયાથા જબ માનવ ને, કૌન થી જાત દીખાઇ
આજ લગાહે લહુ બાંટને,   લેકે જૂઠ સહારા... ફીરભી...-૨

નાચા માનવ આજ તલક તો, હાથ થી રામ કે ડોરી
આજ રામ કો લગા નચાને, ખેલ અવધ મેં હોલી
અગન ઉઠીહે ઘટ ઘટ મેં અબ, બનતા કૌન ફૌવારા....ફીરભી...-૩

દશો દિશા મેં લૌ  લગીહે, નાચત લપટહે જાકી
ગરીબ ઘર કા જલા ના ચૂલા, એક જગહ હે બાકી
શકલ જગત ફિર શાંતિ આકે, લેતી જહાં સહારા...ફીરભી...-૪

કૌન હે નેતા કૌન પ્રનેતા,  કૌન બનાહે નાયક
સબ કુરસીકા ખેલ બનાહે, કૌન રહા હે લાયક 
અબ "કેદાર" કી એકહી આશા, કર ઉદ્ધાર કિરતારા...ફિરભી...-૫

સાર- ભારતના રખોપા કરી રહેલા અણનમ સંત્રી એવા હિમાલય પર આપણા જવાનો અવિરત ચાંપતી નજર રાખેછે, છતાં આપણા નાપાક પડોશી પોતાના દેશનું નામ "પાક" હોવા છતાં નાપાક કામ કરીને પોતાના દેશના નામ ને વગોવેછે. અને આપણાં અમુક દેશદ્રોહી લોકોને ભરમાવીને ભારત માતાના રૂપેરી મુકુટ ધારી સર સમાન હિમાલયને જંગલી ઉંદરની જેમ કોતરી રહ્યા છે.-૧

આજે માનવી નાત જાતના ઝગડામાં એક બીજાનો દુશ્મન બનતો જાય છે, પણ આ એક નિમ્ન કક્ષાના લોકોનું સમજી વિચારીને કરેલું ષડ્યંત્ર છે, જેથી આપણે અંદર અંદર ઝગડીને આપણાં ભાઈઓની સાથે દુશ્મની કરી લઈએ છીંએ. જ્યારે કોઈ બાળકનો જન્મ થાય અને તેને એક બાજુ રાખીને કોઇ પણ નિષ્ણાત પંડિત મૌલા કે વિજ્ઞાનિકને બતાવો તો તેની જાતી નક્કી કરી શકાશે? ના, કારણ કે કુદરતે તો તેને માનવ બનાવ્યો છે, સ્વાર્થી, કાળા કામ કરનારા માનવ જાતના દુશ્મનોએજ આ વાડા ઉભા કરીને ઝગડા ઉભા કાર્યાછે,  અને ભાઈ ભાઈને લડાવ્યા કરીને પોતાનો સ્વાર્થ સાધતા રહેછે.-૨

યુગો યુગોથી દરેક જીવ ઈશ્વરે બનાવેલા કાયદા નું ચુસ્ત પણે પાલન કરતો રહ્યોછે, રાવણ જેવો રાવણ રાક્ષસ હોવા છતાં પણ અમુક મર્યાદાથી આગળ વધતો ન હતો તે આપણે જાણીએ છીએ, પણ આજના અમુક લોકો રાક્ષસ શબ્દને પણ લાંછન અપાવે તેવા કાર્યો કરેછે. અયોધ્યા ના રામ મંદિર ને મુદ્દો બનાવીને કેટ કેટલા લોકો પોતાનો રોટલો શેકવા લાગ્યાછે, આજે ભાગ્યેજ કોઈ એવો સેવાભાવી માનવ દેખાયછે અને શાંતિનો પ્રયાસ કરેછે, છતાં આવા લોકોને પછાડવાનો અને બનેતો રામ ભક્તને રામ શરણ પહોંચાડવાનો કારસો આવા નિમ્ન કક્ષાના લોકો કરતા પાછા પડતા નથી,એથી પણ શરમ ની વાત તો એ છેકે આમાં ઘણીવાર કોઈ એવા લોકો સંડોવાયા હોય છે જેની કલ્પના કરવી મુશ્કેલ હોયછે.-૩

આજે આપણે જોઈએં છીએ કે કેવા કેવા અધમ કામ આજે અધમ લોકો કરી રહ્યાછે, સંસદ પર હુમલો, અક્ષર ધામ પર બ્લાસ્ટ, કારગીલ યુદ્ધ, અરે આ લોકોએ તો બુદ્ધ ભગવાનને પણ છોડ્યા નથી, શું શું લખું? લાગેછે સમગ્ર ભારત માં આજે શાંત જગ્યા માટે સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા શોધ કરવી પડે. હા, એક જગ્યા હજુ જરૂર બાકી છે, જ્યાં શાંતિ દેવી આરામથી પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યાછે, અને તે જગ્યા છે ગરીબ લોકોના ઘરનો ચૂલો, કે જ્યાં અન્નના અભાવે આગ પેટાવવાની જરૂરત પડતી નથી.-૪ 

આજે આપણે જેને આપણો પવિત્ર મત આપીને દેશની ધુરા તેના હાથમાં સોંપીએ છીએ તેમાંનાજ લોકો અધમ કાર્ય કરીને આપણી મા ભારતીને અભડાવતા હોય તો બીજા પાસે શી અપેક્ષા રાખી શકાય? મોટા ભાગે રાજ નેતાઓ ફક્ત સત્તા મેળવીને પોતાનો સ્વાર્થ સાધવા માટેજ રાજ કારણમાં આવેછે અને સાચી રાજનીતિ નું કારજ કરીને પોતાના ઘર (ઘર તો આમના માટે નાનો શબ્દ કહેવાય) ગોદામો ભરેછે, અને જે થોડા ઘણા ઈમાનદાર લોકો છે તેમને કાંતો દબાવી દેવામાં આવેછે અથવાતો તેમને આંખ આડા કાન કરવા મજબૂર કરી દેવામાં આવેછે. 
 
હવેતો પ્રભુ એકજ અરજ છે કે આપજ કંઈક કરો બાકી અમારા ચપટીભર ઈમાનદાર લોકોથી આ આગ શાંત થાય એમ લાગતું નથી.-૫.

તા.ક. ભજનો અને ગરબા લખતાં લખતાં ક્યારેક મા ભોમની અવદશા જોઇને મૂળ રસ્તો ચાતરી જવાય છે, અને કેમ ન આવું થાય? મારી મા ભોમ માટે અનેક લોકો શહીદ થઈ ગયાછે, હું મારા અંતર ને તો બાળી શકુંને?
જય ભગવાન.

ફોટો, ગુગલના સહયોગથી. 

Wednesday, July 10, 2013

વો ભારત


વો ભારત

જહાં ડાલ ડાલ પર સોને કી, ચીડિયાં કરતી થી બસેરા
                               વો ભારત દેશ થા મેરા
જહાં સૂરજ સબસે પહેલે આકર, દેખે નયા બખેડા
                             અબ-વો ભારત રહા હે મેરા.....

જીસે ગાંધી સુભાષ ભગતસિંઘ ને, આઝાદી દીલવાઇ
પર એક ચિનગારી ઐસી ભડકી, ભીડ ગયે ભાઇ ભાઇ
ઔર ઐસા ચલા અંધેર કે અબતક, નિકલા ન સહી સવેરા...

કુછ નેતા આયે વોટ માંગને, મીઠી મીઠી બાત બનાઇ
જૈસે હી મીલગઇ કુરસી ઉનકો, નાની યાદ દિલાઇ-હમકો-
જહાં સચ્ચાઇ સે સેવા હોતી,    ભ્રષ્ટાચાર હે ફેલા...

અબ ઐસે જુઠે મહાનુભાવ કુછ, ડાલે દિલ્હી ડેરા
ઔર ઐસી પકાઇ ખીચડી મિલકર, સંકટ બઢ ગયા ગહરા
અબ જીસકી પદવી જીતની બડી હો, ઉતના ભરે હે થેલા...

કોઈ માનવ સમજ કે રબડી મલાઇ, ખાતા પશુ કા ચારા
કોઈ તેલ નિકાલા તૈલગી ઐસા, ફસ ગયા દેશ બેચારા
કોઈ અફસર અપની વરદી ઉતારી,  રાધા રૂપ બાનાયા...

કોઈ મહેતાજી ને કરકે દલાલી, નરસિંહ નામ લજાયા
કોઈ સુખીરામ ને દૂરભાષ કર, ભરકસ માલ કમાયા
કહિં કલંક દેતા તોપ કા ગોલા, કહિં શબ પેટી ને ઘેરા...

જાગો ભારત કે લોગો જાગો,  યે હે તુમ્હારી ગલતી
તુમ ના ચુનતે ઐસે ભક્ષક તો, ઉસકી એક ના ચલતી
અબ "કેદાર" લાલચ ધન કા છાંડી, ઢુઢલો સહી સહારા...

સાર:-એક જમાનો હતો કે જ્યારે મારી આ ભારત માતાને વિશ્વ એક ધનાઢ્ય, શિક્ષણ કે કોઈ પણ ક્ષેત્રે ઉચ્ચ કોટી ના મહાન દેશ તરીકે ઓળખતું, દેશ વિદેશ ના વિદ્યાર્થીઓ અહીં શિક્ષા ગ્રહણ કરવા આવતા, અનેક જાતના તેજાના, ફળ ફૂલ, અનાજ અને દ્રવ્યો અહીં ઉત્પન્ન થતાં, અનેક દેશો સાથે વ્યાપારીક સંબંધો હતાં, અરે ઈશ્વરને પણ અહીં અવતાર ધરવા ની ઇચ્છા થતી, અનેક રાજ્યોમાં બટાયેલો આ દેશ હોવા છતાં કોઈ માંઈ નો લાલ મારા ભારત પર ખરાબ નજર કરવાની ચેષ્ટા ન કરી શકતો. પારસી લોકો ને પોતાનાં વતન માં જ્યારે પોતાનું અસ્તિત્વ જોખમાતું લાગ્યું ત્યારે મારા ભારત ને એક નેક, વિશ્વાસ પાત્ર અને સુરક્ષિત માનીને વસવાટ કરવા માટે યોગ્ય ગણી ને અનુમતિ સાથે અહીં વસ્યા અને દુધમાં સાકર ની જેમ ભળી ગયા. પણ એક એવી નિમ્ન કોટી ની કોમ પણ આવી જેણે આપણા ભલા ભોળા લોકો ને ભરમાવી, ભટકાવીને આપણા દેશને કોરી ખાધો. 

પછી સમય આવ્યો આઝાદી માટે લડત નો, અનેક લોકોએ શહીદ થઈને, અનેક પ્રકારના બલિદાનો આપીને, જાન માલ ના ભોગે આપણને સ્વતંત્રતા અપાવી, પણ આ ગંદી કોમ યેન કેન પ્રકારે આપણા ભ્રષ્ટ, બેઈમાન અને જેના માટે આપણા શબ્દ કોશમાં કદાચ શબ્દ પણ ન મળે એટલાં અધમ લોકો માં પોતાનો વારસો છોડતા ગયા. આ વારસદારો, કે જેને સત્તા અને ધન ના ઢગલા સિવાય કોઈજ સંબંધ નથી,-કોઈ પણ ભોગે,- હાજી કોઈ ના પણ ભોગે સત્તા પર ટકી રહીને વ્યભિચાર,આતંક અને દુરાચાર આચરતા આ લોકો સામે મુઠ્ઠીભર યોગ્ય લોકો અસહાય બની ને રહી જાય છે, જે ના પાપે આજે આપણે અનેક પ્રકાર ના કષ્ટો ભોગવી રહ્યાં છીએ, ત્યારે અમારા જેવા લોકો થી આવા કાવ્યો ન રચાય તો જ નવાઈ કહેવાય.
પણ હજુ સમય છે, આપણા પાસે મત આપવા જેવો રામ બાણ ઇલાજ છે, માટે મારી સર્વે લોકોને એકજ વિનંતી છે કે કોઈ પણ લાલચ માં આવ્યા વિના જો યોગ્ય વ્યક્તિને મત આપીને નેતગીરી સોંપશો તો ભારત માતાનો સુવર્ણ યુગ લાવવો અશક્ય નથી, પણ જો કોઈ પણ પ્રકાર ના પ્રલોભન માં આવીને મત દાન કરશો તો તમો તો કદાચ કોઈ સુવિધા ભોગવશો, પણ બાકીના આપના દેશ બાંધવોના જીવન ભર દોષી રહેશો.

ચૂંટણી માટેના પડઘમ વાગવા લાગ્યા છે, ઈમાનદાર અને બેઈમાન લોકો આજથીજ તૈયારી કરવા લાગ્યા છે, ત્યારે મારા બાંધવોને મારી નમ્ર વિનંતી છે કે આપ પણ યોગ્ય વ્યક્તિને મત આપવાની તૈયારી કરી લો જેથી આવતા વર્ષો સુખ મય પસાર થાય અને ફરીથી આપણા દેશમાં સમૃદ્ધિ પ્રસરે.   
જય ભારત.    
ફોટો- ગુગલ ના સહયોગ થી.

Monday, July 8, 2013

વિટંબણા


વિટંબણા                 

માતા મને યાદ અતિશય આવે,
યાદ અતિશય આવે એતો મારા મનને ખૂબ રડાવે... માતા મને...

કિષ્કિંધા માં લક્ષ્મણજી જ્યારે,  પાવન પાવલાં દબાવે
એક ચરણે સેવા હું કરતો,       મારે હૈયે આનંદ  આવે...માતા મને...

સેંથીમાં માતા સિંદૂર પૂરતા, કહેતાં રામ મન ભાવે
આખા શરીરે થયો સિંદૂરી -હું-, મારું મનડું રામ રિઝાવે...માતા મને...

અવધમાં હવે આવી સ્વજન સૌ,  સેવા કરે બહુ ભાવે
મર્યાદા ભંગ કેમ કરૂં હું,       મારગ મનમાં ન આવે... માતા મને...

સમદૃષ્ટિ અતિ આનંદ પામ્યા,  પીડા  કપિની જાણે
આદર સાથે અંજની સુતને,     ચપટી ચાળે ચડાવે..માતા મને...

જ્યારે વાગે કપિની ચપટી ,     રામ ઉબાસી આવે
આનંદી બની નાચે મારુતિ-તો-,  હરિને હેડકી આવે...માતા મને..

દીન "કેદાર"નો હરી હેતાળો,  કરજ કોઈ ન ચડાવે 
સેવા સૌને સરખે ભાગે,  ઊણપ કોઈને ન આવે...માતા મને...

સાર:- ભગવાન રામ સીતાજી ની શોધ કરતાં કરતાં જ્યારે ભક્ત હનુમાનજી ને મળ્યા અને હનુમાનજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી અને શ્રીરામ ભાઇ ભરત સાથે કિષ્કિંધામાં રોકાયા ત્યારે દર રોજ રાત્રે રામજી જ્યારે વિશ્રામ કરવા પધારે ત્યારે લક્ષ્મણજી રામજીના ચરણો દબાવતા, લક્ષ્મણજીતો બચપણથીજ રામજીના ચરણોની સેવા કરતા, અને તેમને એક એવી આદત પણ હતી કે રામજીના પગનો અંગૂઠો મોંમાં લઈને ચૂસે ત્યારેજ નીંદર આવે, લક્ષ્મણજીની સેવા જોઇને હનુમાનજી પણ પ્રભુના ચરણોની સેવા કરવા લાગ્યા.  પછીતો બન્નેને એવો આનંદ આવતો કે ક્યારેક તો મીઠો ઝગડો પણ થવા લાગ્યો કે કોણ કયો પગ દબાવે. સમય જતાં હનુમાનજીની આ સુટેવ એવીતો પરાકાષ્ઠા પર પહોંચી કે જો રામજીના ચરણની સેવા કરવા ન મળે તો હનુમાનજી એકદમ વ્યાકુળ બની જતાં. પણ જ્યારે લંકા વિજય કરીને રામજી સિતાજી સાથે અયોધ્યા પધાર્યા ત્યારે હનુમાનજી પર જાણે મહા સંકટ આવી પડ્યું, લક્ષ્મણજીનો તો રાજ દરબારમાં વાસ, ક્યારેક ક્યારેક ચરણ સેવાનો લાભ મળી જાય, પણ હનુમાનજીને તો મર્યાદામાં રહેવાનું, રામજીના કક્ષમાં કેમ જવાય? બસ જ્યારે જ્યારે રામજીના ચરણો નિરખવા મળે ત્યારે ત્યારે આંખ ભીની થઈ જાય, રામજી ભક્તની આ પીડા સમજી ગયા, અને એકાંતમાં એક રસ્તો બતાવ્યો, "જો હનુમાન હું તારી પીડા સમજુંછું, પણ મારાથી કોઈને ના ન પડાય, પણ તું એક કામ કર, જ્યારે જ્યારે તને મારી સેવાની પ્રબળ ઇચ્છા થાય ત્યારે તારે ચપટી વગાડવી, હું બગાસાં ખાવા લાગીશ અને કહીશ કે આ હનુમાન ચપટી વગાડેછે તેથી મને બગાસાં આવેછે, જ્યાં સુધી તને અંદર ન બોલાવે ત્યાં સુધી હું બગાસાં ખાતો રહીશ." સામાન્ય ભક્તને કદાચ પ્રભુ સેવાની ઇચ્છામાં અલગ અલગ પ્રમાણ હશે પણ હનુમાનજીની તો સદાએ પ્રબળ ઈચ્છાજ હોય, બસ લાગે નાચવા અને ચપટીનાતો ધોધ નીકળે, અને વચન મુજબ ભગવાનના બગાસાં ચાલુજ રહે,  કંઈક ઉપાયો કર્યા પણ ઇલાજ કેમ શક્ય બને?  બગાસાં ખાઈ ખાઈને રામજી પણ કંટાળ્યા, અને સાથે હવેતો પાછી હીચકી પણ ચાલુ થઈ ગઈ, બધાને બોલાવીને ભગવાને કહ્યું કે હનુમાનને મારી સેવા કરવીછે એટલે નાચેછે, એ ચપટી વગાડેછે તેના નાદથી મને આ બગાસાં અને હીચકી આવેછે, તમો તેને સેવાનો સમય ફાળવો નહીંતો મને પણ આરામ કરવા નહીંદે, અને હું આમજ બગાસાં ખાતો રહીશ તો તમે પણ સેવા કેમ કરશો? 

માતાજી સમજી ગયા કે આમાં મારા રામની પણ ઇચ્છા લાગેછે, નહીંતો બજરંગી આટલા ધમ પછાડા નકરે. ત્યારબાદ હનુમાનજીને પણ યથાયોગ્ય સમય ફાળવીને રાજી કરવામાં આવ્યા.  

જય શ્રી રામ. 
ફોટો-ગુગલના સહયોગ થી.

Sunday, July 7, 2013

Osaman Meere

આજે રાત્રે ટી વી ૯ પર અનાયાસજ અમદાવાદમાં નીકળનાર રથયાત્રાની પૂર્વ તૈયારી નો કાર્યક્રમ જોયો, ઓસમાનભાઈ મીર જે રજૂઆત કરતા હતા તે જોઈ સાંભળીને મન પ્રસન્ન થઈ ગયું, આ કોઇ મસકા મારવાની વાત નથી, પણ નારાયણ બાપુને સાંભળ્યા પછી કદાચ કોઈ ભક્તિભાવ પૂર્વક ગાનાર કલાકાર નહીં પણ ભજનિક {મારા મત પ્રમાણે} હશે પણ મારા સાંભળવામાં નથી આવ્યો. જે ભાવ સહિત તેમણે ભજનો રજૂ કર્યા તે મારા માનસ પટલ અર છવાઈ ગયા, અને એમાં પણ તેમણે ગાયેલી સરગમ, આ સહજતા થી બીજા કોઈ ડાયરાના ભજનિક ગાઈ શકતા હોય તો મને ખબર નથી.
વાહ ભાઈ વાહ, ધન્યવાદ એક વડીલ તરીકે આશીર્વાદ સીવાય બીજું તો શું આપી શકું? માન્યવર સાંઈ રામ દવે ની એક રચના પણ સાંભળી, એના શબ્દો માણ્યા પછી તેમને વિનંતી કરવાનું મન થાય કે સાહેબ આપની આ કળાતો મેં પહેલીવારજ સાંભળી છે, આવાને આવા ભક્તિ ગીતો ની રચના કરતા રહો અને અમોને ભક્તિમાં તરબોળ કરતા રહો એજ અભ્યર્થના.

કેદારસિંહ જાડેજા.
ગાંધીધામ.

Friday, July 5, 2013

વિદાય ની વેળા.


વિદાય ની વેળા.

એક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી
જીવન મારું ધન્ય થયું જાણે,   ઊઠી આનંદની ભરતી
હરખે હૈયું ચડ્યું હિલોળે,    આનંદ અનહદ રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૧

પા પા પગલી ભરતાં ભરતાં,   દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હરખમાં, યૌવન આવ્યું ક્યારે
પડી ફાળ અંતરમાં એકદિ,   માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે,      નિજ ઘર વાટે વહે...ટેક..૨

આવ્યો એક બાંકો નર બંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે,  ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે,  નિજ ઘર વાટે વહે...ટેક..૩
   
ઘરથી નીકળી ઘૂંઘટ તાણી, પર ઘર કરવા વહાલું
જ્યાં વિતાવી અણમોલ જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૪

સખીઓ જોતી સજ્જડ નેત્રે,  કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, ગાંભીર્ય ન દેવું કળવા
જો ભાળે તાત મુજ આંસુ,   હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૫

આશા એકજ ઉજળા કરજે,     ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત પર કદી, મહેણાં મળે નહીં પરના 
"કેદાર" કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે
વહાલ કેરો દરિયો આજે,   નિજ ઘર વાટે વહે...ટેક..૬
સાર-
૧-ઈશ્વરે દયા કરીને મારા ઘરે સુંદર પુત્રી રત્ન અપને મને ધન્ય ધન્ય કરી દીધો, જાણે મને નવું બચપણ મળ્યું હોય તેમ આ રમકડું રમવા મળતાં હું ઘેલો ઘેલો થઈ ગયો, મારુંતો જાણે જીવનજ બદલાઈ ગયું, બસ ભગવાનના આ વરદાનને રમાડતાં રમાડતાં સમયનું ભાનજ રહેતું નહીં.

૨-નાની એવી ઢીંગલી પડતાં આખળતાં ચલતા શીખી, અને ધીરે ધીરે આંગણામાં અને પછી ત્યાંથી આજુ બાજુ સખીઓ ની સાથે રમતાં રમતાં મોટી થવા લાગી, જેનો મનેતો ખ્યાલજ ન આવ્યો. મારા માટેતો હજુ એજ ઢીંગલી હતી, ત્યાં અચાનક એક સમાચાર મારા મનને એવું હચમચાવી ગયા કે રડવું કે હસવું તે સમઝમાં ન આવ્યું, મારા એક સ્નેહી તરફથી મારી ઢીંગલીની માગણી કરવામાં આવી, કોઈ બાળકનું પ્રિય રમકડું છીનવી લેવામાં આવતું હોય અને જે લાગણી એ બાળક ના મનમાં થાય તેવીજ લાગણી ત્યારે મને પણ થઈ, પણ હું પણ કોઈની લાડકવાઇ ને મારે ઘેર લાવ્યો છું તો મારે પણ મારી લાડકવાઈ ને આપવી પડેને?    

૩-એક બાંકો નવજવાન ઘોડાપર બેસીને આવ્યો અને હજ્જારો લોકોની હાજરીમાં મારું અણમોલ રતન મારાથી લગભગ છીનવીને જતો રહ્યો, આટ આટલા સગા સંબંધીઓ મારા ઘરમાંથી થતી આ ઘરેણાની ઉચાપત જોતારહ્યા, કોઈએ રોકવાની જરાએ કોશિશ ન કરી.

૪-જ્યારે આ દીકરી ઘૂંઘટ તાણીને જ્યાં પોતાનું બચપણ મુગ્ધા અવસ્થા તેમજ યૌવન વિતાવ્યું હતું તે ઘરથી સાસરી તરફ જવા નીકળી ત્યારે ઘરનાતો ઘરના પણ અડોશી પડોશિ ને પણ તેની ખોટ જાણે આજથીજ વર્તાવા લાગી, પણ આતો એક અનિવાર્ય પ્રસંગ હતો તેમ સમજીને ભારે હૈયે અને સાથો સાથ ઉમંગ સાથે વળાવવા માટે ઊમટી પડ્યા. 

૫-મોટા ભાગે બધી દીકરીઓ જ્યારે સાસરે જવા વિદાય લેતી હોય ત્યારે બધાને ભેટી ભેટી ને મળતી હોયછે, અને એમાં પણ સાહેલીઓને તો ખાસ મળતી હોય છે પણ આ દીકરી જાણે બધાથી મોં છુપાવતી હતી, ત્યારે સખીઓએ કારણ પુછું તો કહે કે જ્યાં હંમેશાં મારા મુખપર ચંચળતા રહેતી હતી  પણ આજે બધાને છોડી જવાનો રંજ છે, આંસુ છે, અને એક નવું પાત્ર ભજવવાનું છે. જેનું ગાંભીર્ય છે, મારા પિતાએ કોઈ દિવસ મારા મુખ પર આવો ભાવ જોયો નથી, જો તેઓ મને આ ભાવ સાથે જોવે તો તેઓ સહન ન કરી શકે તેથી હું મુખ છુપાવી રહીછું. 

૬-પણ બાપની તો એકજ શિખામણ હોય, કે બેટા મોટા ઘરે જાશ, આબરૂદાર ખાનદાન છે, કોઇ એવું કામ ભૂલે ચૂકે પણ ન કરજે કે જેથી કોઈ મેણું મારી જાય. બસ ઈશ્વર પાસે એકજ અરજ છે કે મારી લાડલીના દ્વારની આસ પાસ પણ કોઈ દુખ ડોકાય નહીં. 

Thursday, July 4, 2013

વેદના


                                          વેદના

મિત્રો થોડા સમય પહેલાં મેં દાન વિષે લખેલું ત્યારે મારા પરમ મિત્રે મને થોડો ટપારેલો, તે એમનો મારા માટેનો પ્રેમ હતો, પણ કાલે મોડી રાત્રે ઈન્ડીયા ટી વી નો રિપોર્ટ જોયા પછી મને લાગ્યું કે મેં જે લખેલું તે ભલે તે સમયે મારા મિત્રને ગમ્યું નહીં હોય, પણ આજે મને લાગેછે કે ખરે ખર યોગ્ય પાત્ર જોયા વિના કરેલું દાન ક્યારેક પુણ્ય ને બદલે પાપના ભાગીદાર બનાવીદે છે. મારા મિત્રની ટકોર તેમનો મારા પ્રત્યેનો પ્રેમ હતો, હું દિલથી તેમનો આભારી છું પણ હું ખોટો પણ ન હતો.

કાલે જે આંખો દેખ્યો અહેવાલ ઇન્ડિયા ટી વી પર જોયો તે જોઈને લાગેછે કે ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલા રાક્ષસો ઘણા સારા હતા, જ્યાં ત્યાં રઝળતી અર્ધ બળેલી લાશો, મહા મહેનતે સૈનિકોએ પહોંચાડેલું રાસન,દવાઓ અને અંતિમ સંસ્કાર માટેની સામગ્રી જ્યાં ત્યાં રખડતી હતી, કદાચ મોસમ ના મિજાજ ને જોઈને છોડવું પડ્યું હોય તો પણ હાલના સંજોગોમાં આ બધીજ સામગ્રી અત્યંત મૂલ્યવાન છે, થોડી સચવાઈ શકે તેટલી સામગ્રી પણ દેખાતી હતી, પણ તેનો ઉપયોગ કર્યો નથી, છતાં પ્રશાસન ના ખોટા બણગાં, હળાહળ જૂઠ,  અંતર વલોવી નાખેછે. આપણી એક કહેવત છે કે "આભ ફાટે તેને થીગડું ન દેવાય" પણ મોટી છતરી તો રાખી શકાયને?

મારો વિષય તો ભજન અને ગરબા લખવાનો અને ગાવાનો છે, પણ જ્યારે મારી ભારત માતાની છાતી પર આવા દ્રવ્યો દેખાતા હોય ત્યારે કયો માઈનો લાલ ચુપ રહી શકે? સ્વ. મેઘાણીભાઈ એ પણ લખ્યુંછે કે "ધરતી તણા પગલે પગલે, મૂઠી ધાન વિના નાના બાળ રડે. ત્યારે હાય રે હાય કવિ તુજને, સંધ્યા તણા શેણે ગીત ગમે" પણ મેં થોડા સમય પહેલાં નંદી મહારાજની પીડા બાબત કેદારનાથ બાબાને અરજ કરેલી કે તેને પીઠ માં એક પથ્થર ભરાઈને પડ્યોછે તે હટાવો મહારાજ, મારી આ ફરિયાદ બાબાએ સાંભળી લીધીછે, ઈન્ડીયા ટી વી ના ઉપરોક્ત પ્રસારણમાં એ પથ્થર દૂર થયેલો જોઇને મેં બાબાનો આભાર માન્યોછે, હવે મારે પણ ક્યારેક નંદી મહારાજના કાનમાં કંઈક અરજ કરવી હશે તો તેનો જવાબ જલદીથી મળશે, જોકે બાબાએ મને મારી લાયકાત કરતાં ઘણું આપ્યું છે છતાં જીવ છું અને તે શિવ છે, હું માંગવા લાયક છું અને તે આપવા બંધાયેલો છે, બસ માગણી યોગ્ય હોવી જોઈંએ.
પથ્થર હટ્યા પછીનું ચિત્ર આજે મળી શક્યું નથી નહીંતો જરૂર મૂકત.
જય કેદારનાથ.
ફોટો ગુગલના સૌજન્યથી.

Monday, July 1, 2013

નારાયણ બાપુ ની નિખાલસતા


નારાયણ બાપુ ની નિખાલસતા

નારાયણ સ્વામીજીએii ભજન ગાયકીને એક અલગજ સ્થાન અપાવીને ભજન ગાયકોને એક નવો રસ્તો બતાવ્યો, અને શ્રોતા ગણને એક નવી તાજગી સાથે અને સામાન્ય સમજ પડે તેવું શાસ્ત્રીય સંગીત પણ આપ્યું, અને મારા જેવા રાગ રાગણીથી અજાણ ગાયકોને કયો રાગ કયા સમયે ગવાય તે પણ શીખવ્યું, નવા નવા રચયિતાઓની રચનાઓ ગાઈને એક નવી રચનાકારની ઓળખ ઊભી કરી, એમાં પણ "દાસ સતાર" ને તો એ ઊંચાઈ આપી કે બાપુના ચિલ ચાલનારા પણ ભજન ગાયકીને કમાવાનો રસ્તો બનાવનારા અનેક ધંધાદારી ગાયકો "સતાર"ને ગાઈને રોટલો રળવા લાગ્યા, તો ખરેખર ભજનના ચાહક ગાયકો "સતાર"ના શબ્દો પર ફિદા થઈને આંખમાં ભાવ, તો ક્યારેક આંસુ સાથે તેના ભજનો ગાવા લાગ્યા, પણ બાપુને ન સમજનારા ક્યારેક ગેર સમજ પણ ફેલાવવા લાગ્યા કે બાપુ તો ઘમંડી છે, જે તેમને નમતા રહે તેનાજ ભજનો ગાયછે. એક ખ્યાતનામ કવિની રચનામાં બાપુની કસી ગેર સમજ થઈ, બાપુએ કંઈક ટકોર કરી, મોટાભગે-- આ ટકોર એક બીજા આમને સામને નહીં પણ પ્રોગ્રામ દ્વારાજ આપતા હોયછે જેથી તે જગ જાહેર હોયછે,  પેલા કવિરાજે બાપુને પોતાની રચના દ્વારા જે વંદે-- આપવાનો હતો તેની વિગત જણાવી ત્યારે બાપુએ ભજનના હજારો શ્રોતાઓ વચ્ચે પોતાની ગેર સમજની કબુલાત કરેલી. આ હતી તેમની નિખાલસતા. પણ એક મહાન સ્વર્ગસ્થ કવિના પુત્ર સાથે સામાન્ય ચર્ચા દરમિયાન બાપુએ એ કવિરાજની રચનાઓની કેસેટો બનાવવાની ઇચ્છા દર્શાવી, ત્યારે પેલા મહોદયે મંજૂરી સાથે રોયલ્ટી માટે વાત કરી ત્યારે બાપુએ એક દોહાની એક પંક્તિ સંભળાવી કે "તેરે માંગન બહોત હે તો મેરે ભૂપ અનેક" ભાઈ મારે જો રોયલ્ટી ની શરત સાથે કોઈની રચના ગાવાની હોય તો મનેતો અનેક રચનાકરો પોતાની સારી સારી રચનાઓ ગાવા માટે વિનંતી કરેછે, અને એ વાત ત્યાંજ છોડી દીધી.

નારાયણ બાપુના આવા આવાતો અનેક પ્રસન્ગો-- છે, જે સમય સમય પર રજુ કરતો રહીશ.
જય નારાયણ.