ધન્ય એની જાત ને
જન્મ ધરી જેણે જાદવ જપિયા,
ધન્ય એની જાત ને
હરિ ભજન જેને હૈયે રમતું,
જપે સદા જે જગ તાત ને...
સુવાડે શ્યામ ને સમરી,
કથા જે કૃષ્ણ ની કરતી,
કરાવે પાન અમૃત નું,
રટણ નિત રામ નું કરતી
ગળથૂથી માં જેણે ગોવિંદ ગવડાવ્યો, વંદન એવી માત ને...
ભણ્યો જે ભાવ થી ભૂધર,
રચ્યો નિત રામ માં રહેતો,
ન લાગ્યું મનડું માયા માં,
કશી ના કામના કરતો
દીન દુખી ને દેતો દિલાસા,
સાંભળી એની વાત ને...
કરે નિત સંત ની સેવા,
ભળે જે ભક્ત ના ભેળો,
ભજન નો ભેખ પહેરી ને,
લગાવે નામ નો નેડો
પરજન કેરી પીડ પિછાણી જે,
જાણે દુખી નિજ જાત ને...
ન આવે યમ તણા તેડા,
સિધાવે સ્વર્ગ માં સીધો,
રહે ના જન્મ ના ફેરા,
સફળ અવતાર એ કીધો
" કેદાર " આવા કરમી જન તો,
તારીદે સઘળી નાત ને...
રચયીતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
9426140365