Tuesday, September 13, 2011
Tuesday, July 5, 2011
દત્તાત્રેય
આવે જ્યારે ઇર્ષા ઉરની માંય,
આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિં કાંઇ....
લક્ષ્મીજી બ્રહ્માણી સંગે સમજે રુદ્રાણી માત,
અમ સમાણી કોઇ પતિવ્રતા નહિં આ અવની માંય......
નારદજીએ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય,
અનસૂયા ની ઓળખ આપી મહા સતીઓ ની માંય...
ત્રણે દેવીઓ હઠે ભરાણી સ્વામી કરો ને કંઇક ઉપાય,
લો પરીક્ષા સૌ સંગે મળીને અવર ન સમજીએં કાંઇ...
બ્રહ્મા, વિષ્ણુ મહાદેવ મળીઓ ને આવ્યા સતી ને ત્યાંય,
આપો ભિક્ષા અંગ ઉઘાડે અવર ના કોઇ ઉપાય...
સતી સમજ્યા અંતર મનથી કર્યો તર્ક મન માંય,
આદરથી એક અંજલિ છાંટિ બાળ બનાવ્યા ત્યાંય...
ત્રણે દેવીઓ મનમાં મૂંઝાણા પુછે નારદજી ને વાત,
પ્રભુ તમારા ઝુલે પારણિએ અનસૂયા ને ત્યાંય....
કર જોડી કરગરે દેવીઓ આપો અમારા નાથ,
બાળ બન્યા મુજ બાળ થઇ આવે અવર ન માંગુ કાંય...
ત્રણે દેવો એક અંસ બની ને ધર્યું દત્તાત્રેય નામ,
"કેદાર" ગુણલા નિતનિત ગાતો લળી લળી લાગે પાય...
સાર:-
અત્રિ રૂષિ ના પત્નિ અનસૂયા માતાની પતિવ્રત ધર્મ ની પ્રતિસ્ઠા થી ઇર્ષા
પામી ને બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને
તેમની પરીક્ષા લેવા મજબૂર કર્યા. તેથી ત્રણેય દેવો બ્રહ્મચારીનું રૂપ
ધારણ કરીને અનસૂયા માતા પાસે પધાર્યા. તે સમયે અનસૂયાજી એકલાંજ હતાં,
ત્રણેય દેવોએ એવી આકરી શરત મૂકી કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ
ભિક્ષા લઈશું નહીં તો પાછા જઈશું. જો અતિથિ ખાલી હાથે પાછો ફરે તો
સતિત્વ ધર્મ લાજે. આથી માતા અનસૂયાએ હાથમાં પાણીની અંજલિ ભરીને સંકલ્પ
કર્યો કે 'જો મારી સ્વામીભક્તિ અચળ હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે
બાળક સ્વરૂપને પામે'. પાણીની અંજલિનો સ્પર્શ થતાં જ જગતના સર્જક
પ્રજાપિતા બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહાર ના દેવ મહાદેવ નાના બાળક
બની ગયા. માતા અનસૂયાએ ત્રણેય બાળકોને પારણામાં પધરાવી દીધાં. બ્રહ્મલોક,
વૈકુંઠ અને કૈલાશ ત્રણેય લોક ઉપર ત્રણેય દેવીઓ ચિંતિત થઈ કે ત્રણેય દેવો
ક્યાં અદૃશ્ય થઈ ગયા. તે સમયે નારદજીએ કહ્યું કે સતીનાં પારખાં લેવા જતાં
ત્રણેય દેવો બાળક બનીને માતા અનસૂયાના પારણે ઝૂલી રહ્યાં છે. ત્રણેય
દેવીઓએ માતા અનસૂયાની માફી માંગી અને પોતાના પતિની માગણી કરી ત્યારે માતા
અનસૂયાએ તેમનો સત્કાર કરીને જણાવ્યું કે તમારા સ્વામી પારણાંમાં સૂતા છે.
ઓળખીને લઈ જાવ. ત્યારે ત્રણેય દેવીઓ મૂંઝાઈ ગઈ અને અનસૂયા માતાને વિનંતી
કરીને કહ્યું કે અમે અજ્ઞાની ઓળખી ના શક્યા. આપ જ અમારા સ્વામીને ઓળખાવો
ત્યારે માતા અનસૂયાએ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવોને પુર્વવત્
સ્થિતિમાં લાવી દીધા. ત્રણેય દેવોએ વરદાન માટે કહ્યું ત્યારે અનસૂયા
માતાએ કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્ર સ્વરૂપે પધારો અને અમને ધન્ય
કરો. આથી ત્રણેય દેવોએ અત્રિ ઋષિ અને સતી અનસૂયા માતાને ત્યાં આદ્ય ગુરુ
દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ
www.kedarsinhjim.blogspot.com
Tuesday, June 14, 2011
નર નારાયણ
નર નારાયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે...
૧' એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...
૨, બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે, ઘટ ઘટ દર્શન હોવે..
૩, તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર, સંત શિરોમણી હોવે...
૪, કામ ક્રોધ મદ છોડદે બંદા, ક્યું માયા વશ હોવે
દીન "કેદાર" હરિ નામ સુમરલે, હોની હો સો હોવે...
સાર- ૧,- વાલીયો લુટારો, લુંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ
મુનિનો સંપર્ક થયો ત્યારે નારદ મુનિએ પુછ્યું કે તું જે આ કર્મો તારા
પરિવાર માટે કરશ તે પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવાર આમાં
ભાગીદાર હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો બતાવવા
કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મિકી મુની બનીને રમાયણ
જેવા મહા ગ્રન્થ ની રચના કરી.
૨, સુરદાસજી વિશે અલગ અલગ કથા મળેછે, એક જગ્યાએ તેમને જન્મથીજ
અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મેં એક આધારભુત સુત્રો દ્વારા સાંભળવા મુજબ
તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઇ કર્મો ના આધારે તેને વલ્લભાચર્ય જેવા
ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત એક ગામના પાદરે એક
પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની પાછળ પછળ તેના ઘર સુધી
ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ આવતાં તેણે તે સ્ત્રી
પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાંખી અને ક્રુષ્ણ ભજન માં
લાગી ગયા.
એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઇને તેમને
માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલોજ માર્ગ બતાવે છે,
તેથી મન માં મનમાં હંસત અને કહેતા "લાલા તું મને છેતરે છે પણ મને હવે
બધીજ ખબર છે કે આ લાલો કોણ છે. હુંતો મારા ઘટ ઘટ માં તારાં દર્શન કરૂં
છું."
સુરદાસજીએ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાંજ તેમની
જીવન યાત્રા સમાપ્ત થઇ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરાં કર્યા. સુરદાસજી
પોતાના પદ ના અંતે "સુરદાસ" લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં "
સુર શ્યામ" લખ્યું છે.
આ પ્રસંગે મને એક કોઇ સંત ના મુખેથી સાંભ્ળેલી એક સરસ વાત યાદ આવી જે
લખવા નું મન થાય છે.
સુરદાસજી અને તુલસીદાસજી એક વખત એક જંગલ માંથી પસાર થતા હતા ત્યારે કોઇએ
બુમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઇ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો
પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઇ ને એકબાજુ
જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઇ ગયો ત્યારે તુલસીદાસજી એ પુછ્યું કે આપના
જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે
સુરદાસજીએ કાહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ
મારો લાલોતો હજુ નાનો છે એને મારેજ સંચવવો જોઇએ. આવી છે સંતો ની વાતો.
૩, તુલસીદાસજી ને પોતાની સ્ત્રી માટેનો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદ માં
પિયર ગયેલી પત્નિ ને મળવા એક મુડદા ને લાકડું સમજી ને નદી પાર કરી, પણ
પત્નિએ ટકોર કરી કે જેટલી મરાપર પ્રીતિ છે તેટલી પ્રભુ પર હોત તો બેડો
પાર થઇ જાત, બસ આ એકજ શબ્દે તુલસિદાસ રામ મય બન્યા વાલ્મિકી ની જેમ સરળ
શબ્દો માં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને
અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વલ્મિકી મુની ના અવતાર ગણવામાં આવે છે.
ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય છે જે કદાચ ખોટું પણ હોઇ શકે, તો
કોઇએ આનો આધાર લઇ ને કોઇ કાર્ય ન કરવું.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ
www.kedarsinhjim.blogspot.com
Monday, June 13, 2011
Thursday, June 9, 2011
વો ભારત
વિચારો પ્રગટ કરવાની ઇચ્છા થઇ.
વો ભારત
જહાં ડાલ ડાલ પર સોને કી, ચીડિયાં કરતી થી બસેરા
વો ભારત દેશ થા મેરા
જહાં સૂરજ સબસે પહેલે આકર, દેખે નયા બખેડા
અબ-વો ભારત રહા હે મેરા.....
જીસે ગાંધી સુભાષ ભગતસિંઘ ને, આઝાદી દીલવાઇ
પર એક ચિનગારી ઐસી ભડકી, ભીડ ગયે ભાઇ ભાઇ
ઔર ઐસા ચલા અંધેર કે અબતક, નિકલા ન સહી સવેરા...
કુછ નેતા આયે વોટ માંગને, મીઠી મીઠી બાત બનાઇ
જૈસે હી મીલગઇ કુરસી ઉનકો, નાની યાદ દિલાઇ-હમકો-
જહાં સચ્ચાઇ સે સેવા હોતી, ભ્રષ્ટાચાર હે ફેલા...
અબ ઐસે જુઠે મહાનુભાવ કુછ, ડાલે દિલ્હી ડેરા
ઔર ઐસી પકાઇ ખીચડી મિલકર, સંકટ બઢ ગયા ગેહરા
અબ જીસકી પદવી જીતની બડી હો, ઉતના ભરે હે થેલા...
કોઇ માનવ સમજ કે રબડી મલાઇ, ખાતા પશુ કા ચારા
કોઇ તેલ નિકાલા તૈલગી ઐસા, ફસ ગયા દેશ બેચારા
કોઇ અફસર અપની વરદી ઉતારી, રાધા રૂપ બાનાયા...
કોઇ મહેતાજી ને કરકે દલાલી, નરસી નામ લજાયા
કોઇ સુખીરામ ને દૂરભાષ કર, ભરકસ માલ કમાયા
કહિં કલંક દેતા તોપ કા ગોલા, કહિં શબ પેટી ને ઘેરા...
જાગો ભારત કે લોગો જાગો, યે હે તુમ્હારી ગલતી
તુમ ના ચુનતે ઐસે ભક્ષક તો, ઉસકી એક ના ચલતી
અબ "કેદાર" લાલચ ધન કા છાંડી, ઢુઢલો સહી સહારા...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Monday, May 23, 2011
માં બાપની સેવા કરો
સેવા કરો માં બાપ ની,-તો- સંતાન સુખ સૌ આપશે,
અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે...
ભુખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..
કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
નિજ કાજ ના ક'દિ માંગતાં, એ ઉપાસના તને તારશે...
ભટક્યો અગર તુજ કર્મ થી, કે અવર અવગણના કરી
અંતર બળ્યું જો એમનું, તુજ વેદના કોણ ઠારશે...
"કેદાર" એકજ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાન ને ના વિસારશે..
પુનિત મહારાજ ના પાવન અંતર માંથી ઉદ્ભવેલ "માં બાપ ને ભૂલશો નહીં" વારમ
વાર સાંભળતાં સાંભળતાં મારા મનમાં પણ એક રચના આકાર પામી, એ રચના સાથે
સરખામણી કરવા નો તો કોઇ સવાલ જ ન હોય, હા એમની પ્રેરણા જરૂર ગણાય, તેથી
મેં પણ બાળકો ને પણ પ્રેરણા મળે એવી આશા સાથે આ રચના અહિં પ્રસ્તુત કરેલ
છે.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Saturday, May 21, 2011
મારા સાંભળવા પ્રમાણે ભજન કે કથા સાંભળ નારા ત્રણ પ્રકાર ના હોય છે,
તાની-માની અને જ્ઞાની, તાની મતલબ જે લય સાથે તાન માં રહેતો હોય, ડોલતો
હોય પણ શ્બ્દો સાથે કશો લગાવ ન હોય, માની કે જે માન મેળવવા કે જ્યાં
તેની સારી સરભરા થતી હોય, માન મળતું હોય ત્યાંજ જતો હોય પણ ભજન સાથે કોઇજ
લેવા દેવા ન હોય, અને જ્ઞાની કે જે કોલાહલ થી દૂર એકાંત માં બેઠાં
બેઠાં એક એક શ્બ્દ નો આનંદ અને અર્થ સમજવા તત્પર રહેતો હોય, શબ્દે શબ્દે
નાચવા માંગતો હોય,માણવા માંગતો હોય તે. {આમાં હું ત્રિજા પ્રકારનો તો
નહીં જ હોંવ તેથી દરેક બાબત મને એટલીજ લાગુ પડે છે જેટલી અન્ય ને} એજ
પ્રમાણે કથાકાર કે ભજન ગાયક પણ આ ત્રણે પ્રકારના હોય છે, તાની કે જે તાલ
કે લક્ષમી ના થતા ઘોળ પર નાચતો હોય, માની કે જે કલાકાર કે કથાકર તરીકે
નું મોટું નામ ધરાવતો હોય અને પોતાને અન્ય થી ઉત્તમ ગણતો હોય, અને જ્ઞાની
કે જે શબ્દો ને સમજી ને પચાવી ને આનંદ માણતો હોય અને ભાવ વિભોર બની ને
પ્રભુ મય બની જતો હોય તે.
પણ મારા મતે એક ચોથો પ્રકાર પણ છે, જે આતુરતા પુર્વક એક એક શબ્દ ને
માણવા માંગતો હોય છે પણ કોઇ કારણોસર શબ્દો નો અર્થ સમજી શકતો ન હોય તે.
આવા ચોથા પ્રકારના આતુર લોકો માટે એક સજ્જન સંત નડીયાદ કે આણંદ બાજુ
ક્યાંક બિરાજે છે અને ભજનો ને સરળ શબ્દોમાં અને ગદ્ય રૂપમાં પ્રકાશિત
કરેછે. એસંત ને મારા લાખો લાખો પ્રણામ.
મારા ભજનો કે ગરબા માં એવા ખાસ અલંકાર હોતા નથી, છતાં કોઇ કરણ સર ન સમજાય
તો હવેથી ભજનો સાથે સાથે થોડો સાર પણ આપતો રહેવા પ્રયત્ન કરીશ.
kedarsinhjim.blogspot.com
Tuesday, May 17, 2011
ઢાળ:- રાગ ભૈરવી જેવો
ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હે
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હે...
મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દિખાયા નટવર કો
સમા ગઇ વો મુખ મંડલ મેં, પ્રભુ પ્રેમે પચાતા હે...
ભિખારી જબ ભિખ કે ખાતિર, ધૂન મચાયે માધવ કિ
કરે ક્રૂપા ના કણ કિ ક્રૂપાલુ, કૌવે કો ખુદ ખિલાતા હે....
ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત સમય હરિ શરને આયા
પ્રેમ પિછાની પ્રિતમ ધાયા, પલક મેં ચક્ર ચલાતા હે...
રાવન જાને રિપૂ રઘુવર કો,-પર-શરન લગાતા મન મર્કટ કો
અંત સમય પ્રભુ બાન ચલાકે, જીવન સે મોક્ષ દિલાતા હે...
ચેત ચેત નર રામ રટિ લે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
દીન "કેદાર" હરિ નામ સુમર લે, અભય પદ આપ દિલાતા હે...
સાર..
ભજન-કિર્તન-ગરબા જો ભાવ સાથે ગવાય કે સંભળાય તોજ તેનું સાચું ફળ મળે, જે
ક'દિ સ્વપ્ન માં પણ ન આવતો હોય એ ભગવાન ને પણ આવા ગાન સાંભળવા આવવુંજ
પડે.
મીરાંબાઇએ સર્વે આડંબર ત્યાગ કરી ને નટવર સામે નાચ કર્યા, અને કહેવાય છે
કે અંતે દ્વારકા માં ભગવાને તેને પોતાના મુખ માંજ સમાવી દીધાં અને
મ્રુત્યુનો સામનો ન કરવો પડ્યો.
ભિખારી લોકો આખો દીવસ "હે રામ હે રામ" રટણ કરેછે, પણ તેનો માંહ્યલો તો
આવતા જતા લોકોના હાથે થતા દાન પરજ હોય છે, રામનું નામ છે તેથી રોટલોતો
મળેજ, પણ મુક્તિ તો ભાગ્યે જ મળે,
ગજેન્દ્ર નામના હાથીએ ક્યારેય પ્રાર્થના કરી હોય એવો કોઇ પ્રસંગ ક્યાંએ
નથી, છતાં જ્યારે મગરમચ્છ સાથે યુધ્ધ થયું ત્યરે તેને સુદર્શન ચક્ર વડે
સંહાર કરીને છોડાવ્યો.
રાવણ ને ત્રણ જ જન્મમાં મોક્ષ તોજ મળે જો તે ભગવાન ને વેર ભાવાથી ભજે એવો
શ્રાપ હતો, પણ મનથી તે જાણતો હતો કે આજ મારા નાથ છે, તેથી યુધ્ધ સમયે તે
મનોમન રામજીને નમન કરેછે, અને રામજી તેને બાણ મારી ને મોક્ષ આપેછે.
માટે હે માનવ-હું પણ- રામનું સ્મરણ કર એ તને પાર કરશેજ.. જય શ્રી રામ..
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Wednesday, May 4, 2011
કોને પડી છે ?
પ્રાર્થના થઇ જતી કે નાથ શું આ એજ ગુજરાત છે જેના પર તેં મથુરા છોડી ને
દ્વારીકા માં રાજધાની બનાવી ? જ્યાં અનેક સંતો મહંતોએ જીવન ગુજાર્યું ?
અનેક દેવ દેવીઓ ના બેસણા છે, એવી એવી ઘણી જ કાકલુદી બાદ આજે પ્રભુએ
થોડી શાંતી આપી છે, અહિં પણ કોઇ અણ્ણા જાગે અને પ્રજા સાથ આપે અને જો
ભ્રસ્ટાચાર નો ભોરિંગ ને કાળિનાગ ની જેમ નાથી લે તો બેડો પાર થઇ જાય.
એવાજ કોઇ પહેલા ના સમયે મારાથી એક રચના બની ગઇ હતી ... જે આજના દીવસે રજુ
કરવા માંગુ છું. આમાં કોઇએ પોતાના પર ભળતી ટોપી પહેરી ન લેવી એવી વિનંતી
છે...
કોને પડી છે ?
હે માત મારી, ગુજરાત તારી, કરી શી દશા છે કેવા કારભારી ?
જ્યાં ભૂમિનો ભર્તા વસ્યો વિશ્વ કર્તા, એ ભોમકા ને કાં ભીડું પડી છે..
વસે માત મઢમાં રવેચી છે રવ માં, શિવ સોમનાથે ને આબુ અંબા છે
જ્યાં સત ના સરોવર કોટેશ્વર માં હર હર, પીરો ફકીરો ની ફોજું ફરી છે..
તુજ ખોળે તો ખુંદ્યાતા નરસિ સુદામા, જલારામ જેવા જ્યાં સંતો થયાં છે
તારા ગાંધી ની આંધીએ આપી આઝાદી, પણ આજ નર્મદ ની ક્યાં ગર્જરી છે..
ખૂબ પાક્યાં કપૂતો બહુ થોડાં સપુતો, વસુંધરા ના શું વક પણ ગયાં છે ?
જે કરતાં પોતાનું ન જોતાં બીજાનું, માં ભોમ ની આજ કોને પડી છે...
બની બેઠાં છે મોટાં કરે ખેલ ખોટાં, રડાવે અમોને ને ખૂદ તો રળે છે
કરે કૌભાંડ કાળાં ધુતારા ના ધાડાં, મારી મચેડી ધન ભેળું કરે છે...
કોઇ વરદી માં પારધી કોઇ ઉદંડ અપરાધી, મડદાં ઊપર પણ માતમ કરે છે
હર ખાતા માં ખાતા ખાતેદાર ખાતા, પૈસા કમાતા ક્યાં પર ની પીડા છે...
ચાલે યંત્ર મોટાં રચે તંત્ર ખોટાં, રડે ગુજરાતી પર પટારા ભરે છે
આવે હાકેમ હમાલો પર પ્રાંતિ દલાલો, વતન ની વિદ્યામાં શું કંઇ કમી છે...
નથી ત્રાસ અમને ગણું ભાઇ તમને, પણ કાં મુજ ભ્રાતાઓ ભૂખે મરે છે
ચાંટે છે પડ આજ પુત્રો અમારાં, પાદોશી કેરાં કાં મેવા જમે છે...
મહા બંદર સમંદર કાપડ કમાણી, જઇ રાજધાની ના ફડચે સમાણી
વહે દુધ નદીઓ ન ખનીજો ની કમીઓ, પણ અમ અભાગી ને ક્યાં કંઇ મળે ચે...
સહ્યાં ત્રાસ બો'રા એ અરમાને ગોરા, છે પરદેસી કદિ'ક તો જવાના
પણ કરવી હવે રાવ ક્યાં જઇ અમારે, વાડી જ ખુદ આજ ચીભડાં ગળે છે...
હતી શાંભળી એક બચપણ માં ગાથા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા
મને ભાસે છે એ કોઇ ભાખી'તી વાણી, મુજ ભોમ ની અવગતિ એ મળે છે...
"કેદાર" ગીતા ના ગાનાર આવો, આપેલ વચનો ને શીદને ભુલાવો
કાં તો ભાળી કાબાઓ ને મોહન મૂઝાણા, કાં લાંચ રૂશ્વત માં તું પણ ભાળ્યો છે...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Saturday, April 30, 2011
ગરબો
હેલે ચડી
હેલે ચડી આજ હેલે ચડી, અંબા ની ગરબી હેલે ચડી...
ઘેલી કરી છે માં ઘેલી કરી, માનવ મેદની ને ઘેલી કરી..
આસો માસ ની આવી નવરાતરી, અંબા ને આજે મળવા ની ખાતરી
સહસ્ત્ર સખિઓ ની સંગે પધારસે, હેતે કરી માં હેતે કરી...
શેરી વળાવી મેં સાથિયા પૂરાવીયા, નવદુર્ગા ચોક માં નવરંગ બીછાવીયા
ચંદ્રિકા રચાવી દરવાજે દીવડી, તોરણ કરી માં તોરણ કરી...
ઝીણી ઝીણી પાયલ ની સાંભળી મેં ઘૂઘરી, આવી કાં તો અંબિકા આવી ભુવનેશ્વરી
ઉમટ્યો માનવ સમાજ શરણે અંબાને, ભાવે કરી માં ભાવે કરી...
દીન "કેદાર" ની દેવી જગદંબા, દર્શન દેવાને આવી અવલંબા
ધન્ય કર્યું મારૂં જીવન જગ જનની, સ્નેહે કરી માં સ્નેહે કરી...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Friday, April 29, 2011
મારી સર્વ પ્રથમ રચના શું વખાણું ?
ગાંધીધામ ના ઓસ્લો સોસાય્ટી માં મેં "નવદુર્ગા" ગરબી મંડળ માં ગરબા ગાવા
ની માનદ સેવા અપવાનું શરૂ કર્યું, પણ હું ફ્ક્ત માતાજીનાજ ગરબા ગાતો, કોઇ
ભળતા સળતા કે ફીલ્મિ ગીતો ન ગાતો. પણ જ્યારે રંગત જામે ત્યારે ફાસ્ટ લયના
શોખીનો હાલાજી તારા હાથ વખાણૂં જેવા ગીતો ની ફરમાઇશ કરતાં. તેથી મેં એજ
રાગ ના આધારે એક જોડકલું બનાવવાનું વિચાર્યું, અને બની ગ્યું ""શું વખાણૂ
?" જે લય અને ઢાળ ના હિસાબે આવી ફરમાઇશ કરનારાને તો ગમ્યું પણ આ મંડળ ના
પ્રમુખ શ્રી મોહન ધારસીએ આ રચના નવી લાગી, અને ધ્યાન દઇ ને એક એક શબ્દ ને
તોળ્યો,માપ્યો અને મને પ્રોત્સહન આપ્યું. આ હતી મારી "દીન વાણી" નામક
રચનાઓ ની શરૂવાત. ત્યાર પછી તો એક એક રચનાઓ બનતી રહી અને આ મંડળમાં રજૂ
થતી રહી, અને તેથી જ મારી રચનાઓ માં "નવદુર્ગા ચોક" નો ઉલ્લેખ વારમ વાર
થતો રહે છે. ત્યાર પછીતો ભજનો અને ગીતો ની રચના થતી રહી અને મને અહિં ના
"અવસર" નામક કવિ સંમેલન માં સ્થાન પણ પ્રાપ્ત થયું, તો માણો આ મારો
પહેલો પ્રયાસ...
શું વખાણું ?
રાવણ સરીખો રાજિયો હો, જાણે પાપ ની ખાણું
કે રામજી ના રાજ ને વખાણૂં, કે સીતાજી ના સત ને વખાણું...
રૂષીઓ કેરિ રાવ સૂણી ને, શેષ કેરો સંગાથ કરી ને
ભરત સત્રુઘ્ન ભ્રતા કરી ને, દશરથ ઘેર પધારે...
વિશ્વામિત્ર નો યગ્ન સુધારી, અસુર નારી તાડકા મારી
શિલા હતી તે અહલ્યા તારિ, જનકપુરી માં પધારે...
વ્યથા જનક ની ઉર માં ધરી ને, શિવ ધનુષ્ય નો ભંગ કરી ને
જનક દુલારી કર ગ્રહી ને, સીતા રામ કહાવે...
કુબડી વચને કૈકેઇ લોભાણી, માંગ્યા વચન દયા ઉર ન આણિ
પિતાજી કેરી આગ્યા પાળી, વન વગડા માં પધારે...
પંચવટી વન પાવન કિધાં, સુર્પણખા ના મદ હરી લીધાં
સીતા રૂપ માયા ના કિધાં, માયા હરણ કરાવે...
શબરી કેરો પ્રેમ પિછાણી, એઠાં ફળ ની મિઠપ માણી
સ્નેહ થખી સમર્પિત જાણી, નવધા ભક્તિ ભાણાવે...
બજરંગ જેવા બળિયા મળિયા, વિભિષણ સરીખા ભક્તો ભળિયા
સુગ્રિવ અંગદ યુધ્ધે ચડિયા, રાવણ કૂળ સંહારે...
અયોધ્યા કેરી ગાદી માંડી, ધોબી વચને વૈદેહી છાંડી
માયા ઉપર મીટ ન માંડી, "કેદાર" ગુણલા ગાવે...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Thursday, April 28, 2011
ગરબો
ગરબે ઘૂમે
મારી અંબામાં ગરબે ઘૂમે છે, માંને નિરખી નિરખી ને મન ઝુમે છે...
માંના શોળે શણગાર ની શોભા બની, જાણે આકાશી વીજળી ની ચુંદડી બની
માંની ટીલી લલાટ જાણે ચોડી છે ચાંદની, હૈયે હાર એકાવન ઝુમે છે...
માંએ સોના નો ગરબો શિરે ધર્યો, ગરબે સૂરજ નાં કિરણો એ સાથિયો કર્યો
માની ઇંઢોણી અલબેલી મોતીએ મઢેલી, માંહી જ્યોતિ અનેરી ઝળકે
માં ના નેપુર નો નાદ કંઇ નવલો બન્યો, જાણે સાતે સુરો નો એમાં સંગમ કર્યો
માં ના કેશ કલાપ ની કરવી શી વાતડી, નાગણ નખરાળી જાણે જુમે છે..
ઘૂમી ઘૂમી ને આવી મુખ પર રતાશડી, પુષ્પ ઉપર ઝાકળ જેમ પ્રસ્વ લહર પાતળી
આંખે ઉજાગરા ની લાલી લપટાણી, કાળી લટ માંના ગાલ ને ચૂમે છે...
દાસ જાણી ને મામ દયા કરો આવડી, ગરબે ઘુમવા ને આવો તમે માવડી
વીતે ન રાત આજ જાય ભલે જાતડી, માંગે "કેદાર" પાય ચુમે છે...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Monday, April 25, 2011
આવિ આજે નોરતાં ની રાત, અંબા ના રૂપ અનેરાં
ગાઓ ગરબા ને રમો રાસ, ભક્તિ ના ભાવ ઘણેરા...
આશાપુરા માં મઢ થી પધાર્યાં, આવી ને માંએ મારાં ભાગ્ય જગાડીયાં
હૈયે મારે હરખ ન માય...
શોળે શણગાર માં ને અંગે શોભે, રૂપ નિરખી ને માંનું બાલુડાં લોભે
મુખડું માં નુ મલક મલક થાય...
ભાવ જોઇ ને ભક્ત જનો નો, છૂપી શક્યો નહિં નેહ જનનિ નો
અંબા માં ગરબા માં જોડાય...
ગોરૂં ગોરૂં મુખ માં નું ગરબો ઝીલાવે, ઝાંઝર ના ઝણકારે તાલ પૂરાવે
તાલી દેતી ત્રિતાલ...
દીન "કેદાર" ની માં દેવી દયાળી, દેજે ઓ માં તારી ભક્તિ ભાવ વારી
રમશું ને ગાશું સારી રાત...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Friday, April 22, 2011
ગરબો
રાસ
રાસે રમે કાન રાસે રમે ,વ્રજ માં વનમાળી આજ રાસે રમે..
મધુરી મોરલી અધરે ધરી છે,સાતે સુરો ની એમાં સરગમ ભરી છે
વાગે બંસી ને સુર સૌ ને ગમે...
અંગ ભંગ શ્યામ કેરાં અતિ ઘણા શોભે, ગાલ ભાલ ક્રાંતીજાલ ચંન્દ્ર કિરણ લોભે
નિરખી વ્રજનાર આજ ભ્રમ માં ભમે...
એક એક રાધા ને એક એક કાનો, ભાન ક્યાં છે ભાળે જે ભેદ માધવા નો
રાણી રાધિકા પણ સમણે રમે...
દીન "કેદાર" ના દામોદર ઘૂમતાં, ચઢી આકાશ સૌ દેવગણ ઝુમતાં
પુષ્પો ની વ્રષ્ટી કરી
પ્રભુ ને નમે...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Tuesday, April 19, 2011
Monday, April 18, 2011
કહો હનુમંતા
રામ ને મલ્યા, રામે અનેક આશિર્વાદો આપ્યા, પણ જ્યારે માતા સિતાજી ને
મલ્યા ત્યારેજ તેઓ અસ્ટ સિધ્ધી નવ નિધી કે દાતા બન્યા, અને તેથી જ રામાયણ
ના બધ્ધાજ કાન્ડો માં એ સૂંદર કાન્ડ બન્યો, એજ પ્રસંગ આજે હું મારા
ગ્નાન મુજબ રચાયેલા એક ભજન દ્યારા અહિં રજુ કરૂં છું.ભજનો, ગરબા રચુંછું
પણ વ્યાકરણ માં ખાસ આવડત ન હોઇ મારા લખાણો પર ધ્યાન ન આપતાં ફક્ત મારી
ભાવના સમજશો એવી આશા રાખુંછું.
જ્યારે હનુમાનજી માતાજી ને મલ્યા ત્યારે માતજી બધા સમાચાર પુછે છે અને
કહેછે-મેં લક્ષમણ રેખા નું ઉલંઘન કર્યું તેથી મારૂં અપહરણ થયું.-મને શંકા
હતી કે રાવણ મને ૪૦૦ ગાઉ પર લંકા માં લાવ્યોછે મારો રામ મને કેમ શોધસે,પણ
તમે મુદ્રિકા બતવી તેથી એ શંકા ન રહી,મારે હરપલ રામ રટણ નું કવચ છે,તેથી
હું તો બરબર છું, પણ મારો રામ કેમ છે ? મારાવિના મારા રામની સેવા કોન કરે
છે ?
કહો હનુમંતા
કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા...
ભાઇ લક્ષમન કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા...
મની મુદ્રિકા તુમને ગિરાઇ, નાચા મન મોરા તુટ ગઇ શંકા...
નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘૂવિર જાપ જપંતા...
કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ? બિન વૈદેહી, કૈસે મોરે કંથા...
કેદ કિયો હનુમો લૌ લીપતાઇ, "કેદાર" કપિ ના જલીયો જલ ગઇ લંકા..
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Saturday, April 16, 2011
અંબામા રમવા આવી
નવ નોરતાની રાત રઢીયાળી આવી, હવે ગરબે રમવા ની ઉજાણી આવી
અંબામા રમવા આવી આવી...
ઘેલા બાલુડા આજ ઉમટ્યા આનંદ માં, ગરબે ઘૂમવા ને આવ્યાં ઉમંગ માં
સૌ સાહેલી સજી ધજી સંગ માં આવી...
ઢોલ નગારા ને નોબત વાગે, શરણાઇ ના સુર સંગે મીઠાં મીઠાં લાગે
એમાં રજની મધુરી રંગ લાવી લાવી...
ગોકૂળ ગામથી ગોપી એક આવી, ગરબા ની રંગત માં ભાન ભુલાવી
એને વ્રજ ની તે રાત યાદ આવી આવી...
શોભા નિરખી ને સૌ દેવ ગણ આવીયા, સંગે સખિઓ ને લઇ દેવીઓ પધારીયા
ગરબે રંગત અનેરી આજ જામી જામી...
દીન "કેદાર" ની દેવી દયાળી, ગુણલા હું ગાઉં માં તારાં દાડી દાડી
મીઠી નજરૂં ની મ્હેર નિત રાખો આવી...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Friday, April 15, 2011
ગરબો
ધાર્યા પ્રમાણે થતું નથી,
ખેર પ્રાર્થના નો સમય ક્યારેય સમાપ્ત થતો નથીં
ગરબો
ગુણ ગાન
ઢાળ: જારે જારે ઓ કારે બદરવા-ગીત જેવો
મારે અંબા ના ગુણલા ગાવા છે, મારા હૈયા માં આજ આ ઉધામા છે..
સજી ધજી ને આવ્યો ચાંચર ના ચોક માં, ગરબો જામ્યોછે જ્યાં ભક્ત ગણ લોક માં
મારે જાપ જગદંબા ના જપવા છે...
ઢોલ નગારા ના ધબકારે ધબકારે, હૈયું મારૂં માડી ના નામ પોકારે,
મારે ગુણલા ગૌરી કેરા ગાવા છે..
હેતે ભીંજાવું મારે ભક્તિ ના રંગ માં, સપના જોવા કે રમુ અંબા ના સંગ માં
મારે લેવા જીવન ના લ્હાવા છે...
આશા કરૂં છું માડી એક તમારી, ગાતા ગુણ ગાન વિતે જિંદગી આ મારી
મારે હ્રદયે રાજેશ્વરી ને ધરવા છે...
દીન "કેદાર" ની દેવિ દયાળી, ભક્તિ જગાડે તારી મૂર્તિ રૂપાળી
મારે દિન દિન દર્શન કરવા છે...
Tuesday, April 12, 2011
ગરબો
અંબા ના રૂપ
મારી અંબા નાં રૂપ સોહામણા રે, ભક્ત નિરખી નિરખી ને લે ઓવારણા રે...
માં મઢમાં થી મ્હાલવા ને નિસર્યા રે, આજે નવદુર્ગા ચોક માં વધામણા રે...
માં ને સોળે શણગાર અતિ શોભતા રે, માં એ ટીલી ટપકાવ છે ભાલ માં રે...
માં સખીઓ ની સંગ રમે રાસ માં રે, દેવી ગરબો ઝીલાવે છે ત્રિતાલ માં રે...
ગરબો જામ્યો નવદુર્ગા ચોક માં રે, ઉમટ્યો આનંદ અનેરો સૌ લોક માં રે...
માં ને દાસ "કેદાર" રીઝાવતો રે, માં ના લળી લળી પાય પખાળતો રે...
Tuesday, April 5, 2011
ઊમંગ ભર નાચો
આવી આજે નવરંગ રાત, ઊમંગ ભર નાચો રે
સરખી સાહેલીઓની સાથ, રંગ ભર રાચો રે....
વ્રુજ માં રૂડિ વાંસળી વાગી, સૂર મધુર સંભળાણા
ગોપ ગોવાલણ નાદ સુણીને, ભાવ થકી ભરમાણા
નર નારી સૌ ભાન ભુલી ને, ભૂલ્યા સઘળાં કાજ...
રાખી ચરણ વાંકો વેણું વગાડે, રંગ ભર રાસ રચાવે
અધર કમલ પર ધરિ મુરલીયાં, સૂર મધુર સંભળાવે
મોર મુકુટ પીતાંબર શોભે, શોભે છે સઘળાં સાજ...
ગોપી નાચે ગૌધન નાચે, નાચે વ્રુજ ની નારી
ગિરિ કૈલાશે ગંગધર નાચે, ભુજંગ નાચે ભારી
જલચર સ્થલચર નભચર નાચે, નાચેછે યમુના આજ...
કાળો કાળો કાનુડો રાધા રૂપાળી, જોડી અનેરિ જાણી
શ્યામ સુંદિર ના દર્શન કરતાં, સુંદિરતા શરમાણી
રંગે રમતાં ગોપી રિસાણી, રમોને અમ સંગ રાસ...
એક એક રાધા એક એક કાનો, માયા માધવ કિધી
કોઇ ન જાણે ભેદ ભૂધરા નો, પ્રેમે પાગલ કરી દિધી
દીન "કેદાર" નો ક્રિષ્ણ કનૈયો, રાસે રમતો આજ...
Friday, April 1, 2011
હ્રદયે રહેજો
અંબિકા મારે હ્રદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો.....
મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહિ લેજો
બાલુડો તારો માંગુ હું માવડી, ચાકર ને ચરણો માં લેજો...
ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિં વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું, અંબા અધમ ને ઉગારો...
દેવી દયાળી તું બેઠી જઇ ડુંગરે, ભક્ત ને ભૂલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો...
આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન "કેદાર" પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો...
Tuesday, March 29, 2011
ગબ્બર વાળી માં
મારી માડી ગબ્બર ગોંખ વાળી દયાળી માં, ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા..
તારી શોભે છે સિંહ ની સવારી ધજાળી માં, ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા..
અષ્ટ ભુજાળી પાવનકારી, સ્નેહ નિતરતી આંખડી તારી
ભોળાં ભક્તો ની ભિડ ભાંગનારી હેતાળી માં...
સોના મુકુટ શિર શોભે કાન વાળી, હેમ કેરા હાર હૈયે નથડી રૂપાળી
તારી ટીલડી ના તેજે પૂરી અવની અજવાળી માં...
ઓઢી જાણે ચાંદની ચમકે છે ચૂંદડી, ચરણ કમલ ચૂમતી ઘમકે છે ઘૂઘરી
માં ના શોળે શણગાર ની શોભા છે નિરાળી માં....
શંખ ચક્ર ગદા બાણ ખડગ સોહાય છે, એક હાથ પુષ્પ એક ત્રિશુલ ધરાય છે
એક હાથ હિતકારી કરે સૌની રખેવાળી માં...
ચંડિકા રૂપ ધરિ ચંડ મૂંડ માર્યા, કાલિકા રૂપે માં અસુર્રો સંહાર્યા
સકળ દૈત્ય ને સંહારી પત ભક્ત કેરી પાળી માં...
બાલુડાં તારાં કરે કાલાવાલા, ભાવિક ભક્ત તને લાગે વ્હાલા વ્હાલા
લેવા પૂત્ર ને સંભાળી અંબા આવે દોડી દોડી માં...
દીન "કેદાર" ની દેવી દયાળી, ભક્ત કેરો સાદ સુણી આવો મારી માડી
વાસ દાસ દિલ રાખી દેજો પ્રેમથી પલાળી માં...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Monday, March 28, 2011
સપનું.
દ્વારા રચાયેલા ગરબાઓ આપને આનંદ આપશે એવી આશા રાખુંછું.આ પહેલાં પણ એક બે
ગરબા અહિં રજુ કરેલાં જેને સરો પ્રતીસાદ સાંપડેલો.
સપનું.
મને સપનું લાધ્યું સલુણું, વાગિ જાણે વ્રજ માં વેણું...
નવરાત્રિ ના નવદુર્ગા ચોક માં, ઉઠ્યો આનંદ આજ અનેરો સૌ લોક માં
ઘેલાં બાલુડાં ઘેલાં થઇ વિનવે, અંબા વિનાનું ઊણુ ઊણુ...મને...
સાદ સુણી ને ભક્ત જનોનો, છૂપી શ્ક્યો નહિં નેહ જનનઈ નો
સંગે લઇ ને સરવે સહેલીઓ, આવી અંબા સહે ન મેણૂં...મને...
અંબા અંબિકા અંબાલિકા, ગરબે ઘૂમતી શોભે બાલિકા
ઉમટ્યો આનંદ આજ માંના લલાટે, કોમળ હ્રદય કૂણુ કૂણુ...મને...
ધન્ય આ ધરતી ધન્ય નવદુર્ગા ચોક ને, રમતી જ્યાં રાધિકા છોડી રણછોડ ને
દીન "કેદાર"પર દયા દરશાવી, રજની મૂંગી ને વાગે વેણું...મને...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Monday, March 14, 2011
ગોવિંદ ગાન
ગોવિંદ ગોવિંદ બોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ
અવસર આ અણમોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ...
ગોવિંદ ગોવિંદ ગાન કરીલે, જનમ જનણનું ભાતું ભરીલે
એક અમૂલખ બોલ માનવ...
ગોવિંદ ગોવિંદ રટતાં રટતાં, મોહ માયાના વાદળ હટતાં
માયાછે મોટી પોલ માનવ...
ગોવિંદ નામે નાગર નાચે, વિપત વેળાં જદુરાયને જાંચે
પાળ્યાંછે સઘડાં કોલ માનવ...
ગોવિંદ ગોવિંદ જાપ જપિલે, શ્વાસે શ્વાસે સ્મરણ કરીલે
સ્વર્ગ મળે અણમોલ માનવ...
ગોવિંદ ગોવિંદ ગાન જે કરશે, ભાવ ધરિ ભગવાન જે ભજશે
એજ માનવના મોલ માનવ...
દીન "કેદાર" પર કરૂણા કરજો, જીવન ભર પ્રભુ હ્રદયે રમજો
બોલું તમારા બોલ માનવ...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Tuesday, March 1, 2011
રામ ભજ
રામ રામ ભજ રામ માનવ, રામ રામ ભજ રામ
મિથ્યા જગત નું કામ માનવ, રામ રામ ભજ રામ...
લખ ચોરાશી જીવન જીવ્યો, પામ્યો નહિં વિશ્રામ
આજ મળ્યો છે દેહ અમૂલો, રટીલે રાધે શ્યામ...
માત પિતા સુત નારી વ્હાલી, ધન દોલત ની માયા નિરાલી
શીદને ફસાતો ફોગટ નાતે, સાચો સગો ઘનશ્યામ...
રામ ભજન માં લીન બનીજા, સકળ જગત ની માયા ભૂલી જા
હરિ સમરણ નું ભાતું ભરી જા, સ્વર્ગ મળે સુખ ધામ...
અવસર આવો ફેર ન આવે, શાને ફોગટ ફેરો ઘુમાવે
ધન દોલત તારી સાથ ન આવે, છોડ કપટ ના કામ...
દીન "કેદાર" પર દયા દરશાવો, રઘૂવિર મારે હ્રિદયે આવો
હર પલ હરિ નું ગાન કરાવો, રટું નિરંતર નામ...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Friday, February 25, 2011
થાળ
આવો નેનટવર આવો ને મોહન
ગોવિંદ વર ગિરિધારિ, પ્રભુ પીરસી છે મેં થાળી...
મેવા ન મળિયા મોદક નમળિયા, પેંડા જલેબી કે ઘારી
શીરો મળ્યો નહિં શામળિયા મને, ઘી ની ભરી નથી જારી
વિધ વિધ વાનગી ક્યાંથી ધરાવું, સમજો છો વાત સારી...
રુખિ સુખિ રાબ બનાવી, થોડું ગોરસ ગિરિધારિ
માખણ મિસરી ક્યાંથી લાવું તારાં, ભોગ પડે મને ભારી
ગરીબ ગણીને ગોવિંદજી મને, માફ કરો ને મોરારિ..
અશ્રૂ કેરા જલ થી જીવન, તારાં ચરણ કમલ ને પખાળું
તુલસી કેરા પાન ધરાવું, બીજો મૂખવાસ શું મંગાવું
[તારાં બધા ભક્તો ભલે તને સુંવાળી સેજ માં પોઢાળતા હશે,ચમ્મર ઢોળતા હશે,
ચરણ ચાંપતા હશે,પણ હું..]
સૂવાને નહિં દંવ શામળીયા તને, રાત ભર વાતો કરૂં પ્યારી... [અને
તારાં દર્શન કરતો રહિશ]
નથી નરસી કે દામા કુંડે, દામોદર ને જમાડું
નથી સુદામો તાંદુલ વાળો, હું તો ગરીબી ગાઉં
દીન જાણી ને દીન "કેદાર" પર, મ્હેર કરજો મોરારી...
--સાખીઓ--
મુજ દીન ના દ્વાર પર, અવસર આવ્યો આજ
પીરસું થાળી પ્રેમ ની, આરોગો મહારાજ
નથી મેવા નથી મિસરી, નથી પેંડા પકવન
દીન ગરીબ નો થાળ છે, પ્રેમે જમો ભગવાન
Tuesday, February 15, 2011
હ્રદય માં રામ રમજો
રામ હ્રદય માં રમજો મારા, હરિ હ્રદય માં રમજો નાથ...
ભવ સાગર માં જીવ ભટકતો, મારૂં મારૂં કરિ ને મરતો
મોહ માયા થી દૂર હટાવો, પડ્યો તમારે શરણે નાથ..
માતા તું છે તાતા તું છે, સકળ જગત નો દાતા તું છે
હું હું કરતો હું હરખાતો, એ અભીમાન મિટાવો નાથ..
અતિ અભિમાને અંધ બન્યો છું, ભોગ વિલાસ નો ભક્ત બન્યો છું
સકળ જગત ની માયા ત્યાગી, તુજ માયા માં લિપટાવો નાથ...
દીન "કેદાર" પર દયા દરસાવો, નારાયણ તમે નેહ વરસાવો
જપું નિરંતર જાપ તમારાં, મુજ અધમ ને ઉધ્ધારો નાથ...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Monday, February 14, 2011
પ્રાર્થના
ઢાળ:-મારો હાથ જાલી ને લઇ જશે..જેવો
મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરધના કરૂં આપ ની...
આવી ને યમ દળ આંગણે, ઓઢાળે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં, સેવા કરી શિ ઘનશ્યામ ની...
મને ડર નથી કંઇ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજને પૂછસે, રટણા કરી શિ રામ ની...
જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએં પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..
સદા સ્મરણ હો સરકાર નું, એછે એક અરજ "કેદાર" ની
બસ એટલી છે અભ્યર્થના, કરૂં પ્રાર્થના પ્રભુ આપની...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Thursday, February 10, 2011
ગૌરી નંદન
ગૌરી નંદ ગણેશ
રૂપ તમારૂં મન હરનારૂં, સુમરે શેષ સુરેશ...
ભાલ વિશાલ નયનો નાના, બેઠાં બાળે વેશ
શિવ શંકરજી લાડ લડાવે, કાપો સઘડાં કલેશ...
મોદક મિસરી માત જમાડે, મુખડું નિરખે મહેશ
રિધ્ધિ સિધ્ધિ પાય પખાળે, વંદે દેવ દીનેશ...
શિવ સનકાદિક અરૂ બ્રહ્માદિક, પરથમ સુમરે ગણેશ
દીન "કેદાર" પર દયા દરશાવો, ગાઉં ગૂણલા હંમેશ..
--સાખીઓ--
સૌથી પહેલાં સમરીએં, ગિરજા નંદ ગણેશ
દીન "કેદાર" ની વિનતી, રહો હ્રિદય માં હંમેશ
ગણ નાયક ગણ ઇશ તું, ભજે ભક્ત ગણ દેવ
દીન "કેદાર" દિન દિન ભજે, કરે તમારી સેવ
ગાઉં ગુણલા ગણેશ ના, રટું નિરંતર નામ
કરો ક્રુપા "કેદાર" પર, સમરૂં ઠામો ઠામ
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Monday, February 7, 2011
નંદ દુલારો
મૈયા તારો નટખટ નંદ દુલારો
કરતો ફરે કેર કાળો......
ગોપ ગોવાળ ની ટોળી બનાવી, ચોર નો બન્યો સરદારો
મહી માખણ વ્હાલો ચોરી ચોરી ખાતો, મોહન મોરલી વાળો...
મથુરા વાટે દાણલા માટે, ગોપીઓને દેતો બહુ ગાળો
મારગ રોકે પાલવ પકડે, છેળે છે છબીલો છોગાળો...
રાજા કંસ નું કરજ વધ્યું છે, દિન દિન કરેછે દેકારો
કાન્હાને કેદની ક્યાં છે નવાયું, પણ-ગરીબ થી થાશે નહિં ગુજારો...
યશોમતી કોપિ લાવો એને ગોતી, દુર કરી દંવ દેકારો
બાંધું એને તાણી હવે ખૂબ મુંઝાણી, સોટી નો લઉં સથવારો...
રાવ કરી પસ્તાણી ગોપી, મોહન તો મન હરનારો
માર સોટી નો કેમ કરી ખમસે, "કેદાર" કોમળ છે બાળો...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Thursday, February 3, 2011
સ્વાંગ
માનવ તારો સ્વાંગ નથી સમજાતો
એક ભજે છે રામ હ્રદય થી, એક ભમે ભરમાતો....
એક કરે નિત શંકર સેવા, ગિરધર ગુણલા ગાતો
પ્રેમે પ્રભુ ના પાય પખાળે, નારાયણ સંગ નાતો...
માત પિતા સુત સંગે મળિ ને, કરતાં વેદ ની વાતો
હરિ હર ને નિત હાર ચડાવે, હૈયે હરખ ન માતો...
એક ની કરણી વિપરીત જાણી, અવળાં કરે ઉતપાતો
હર ને છાંડી હરામ વસે દિલ, પરધન ધૂતિ ધૂતિ ખાતો...
લખ ચોરાશી ના ફેરા ફરતો, ત્યારે માનવ થાતો
સમજુ નર ને યાદ એ આવે, ગાફેલ ગોથાં ખાતો...
ચેત ચેત નર રામ રટી લે, શીદ ને ફરે અથડાતો
દીન "કેદાર" જો સમજ્યો નહિં તો, આંટો અવળો થાતો...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Monday, January 31, 2011
સમજાવો ને સાર
હવે પ્રભુ સમજાવો ને સાર જી
તમે શું આવો રચ્યો'તો સંસાર...
માનવ કૂળ માં જન્મ ધરિને, શું મેળવીયો સાર
સગા ભાઇનું સારૂં ભાળી ને, સળગે છે સંસાર...
જળ ને નાથ્યા સ્થળ ને લાંઘ્યા, વસૂનો કિધો વેપાર
ગરીબો ને ગાળો દેતો પણ, ખાતો મોટા નો માર...
મંદિર જાતો પણ માન ખાવા ને, દાન માં કરતો દેખાવ
પૈસા ખાતર પર ને પીડે, પાછો દેખાડે ખૂદને દાતાર...
કથા કિર્તન નો સાર ન જાણે, ભાષણ માં હોંશિયાર
ભજન માં જાતાં ભોંઠપ આવે, દેવ એનો કલદાર...
એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન "કેદાર"
તુજ માં મુજને લીન કરીદે, નથી સહેવાતા માર
રચયતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
Saturday, January 29, 2011
ખોટો નાતો
જેને રામ થકી નહિં નાતો, મુરખ જન ફોગટ ફેરા ખાતો..
કાવાદાવા થી કરતો કમાણી, મનમાં મેલ ન માતો
પદ મેળવવા પર ને પીડતાં, લેશ નહિં એ લજાતો...
ભક્ત જનોના ભાવ ન જાણે, અવળાં કરે ઉતપાતો
સંત સભામાં આતંક આણિ, ફુલણશી છે ફુલાતો...
ધર્મ ના નામે ધતિંગ રચીને,અવળો અવરથી થાતો
મીઠી મધુરી વાણી વદી ને, ઠગતો જગત ના ઠગાતો..
ખબર નથી રઘુનાથની પાંસે, પળ પળ પાડો મંડાતો
ભૂત બનીને પડશે ભટકવું, મૂક્તિ માર્ગ ના કળાતો...
ચેત ચેત નર સંત સેવા કર, કર નારાયણ નાતો
દીન "કેદાર" દામોદર ભજિલે, શીદ ભમે ભટકાતો..
સાખી.
માનવ ભજી લે રામ ને, શાને તું ઝોકાં ખાય છે
ખબર ક્યાં છે ઉમર તારી, કઇ પળ થી પૂરિ થાય છે..
કરી લે રટણ શ્રિ રામ નું, ફોગટ ના ફેરા ખા નહિં
ભજીલે ભાવથી ભૂધર, અવર સંગ આવે નહિં..
Thursday, January 20, 2011
સખુબાઇ
મને જેટલી જાણ્કારી મારા શુભ ચિંતકો તરફ થી મળેલ છે તે આધારે મેં આ ભજન
બનાવ્યું છે, જો કોઇ ભુલ હોય તો તે મારી ભુલ સમજી ને ક્ષમા કરશો.
સખુબાઇ
વ્હાલો ઘૂંધટ માં લાગે વ્હાલો વ્હાલો, બન્યો છે સખુ સામળિયો..
વ્હાલો ભક્તોના ભાર હર નારો, બન્યો છે સખુ સામળિયો..
સખુ સિધાવી જ્યારે આધુઓ ની સાથે, ભક્ત કેરો ભાર લીધો ભૂધ્રાએ માથે
આવ્યો સખુનું રૂપ લઇ રસાળો...બન્યો...
ઉઠી અંધારે નિત દળણા દળાવે, શિર પર ચડાવી હેલ પાણીડા ભરાવે
રૂડી ચાલે છે ચાલ ચટકાળો...બન્યો..
બની ગોવાલણ દૂધ દોહરાવે, મારી કછોટો માવો મહીડા વલોણે
ગાય ગીતો ગીતા નો ગા નારો...બન્યો..
ઇંધણા વિણીને રૂડી રસોયું બનાવે, સાસુ સસરા ને વ્હાલો પ્રેમે પીરસાવે
માંજે વાસણ છે મોરલી વાળો...બન્યો..
સાસુ નણંદ ના પાવલાં પ્ખાળે, શેષ ઉપર સુતો જે ગોદડી બીછાવે
વ્હાલો ભક્તો ની ભીડ ભાંગ નારો...બન્યો...
સાસુ નણંદ સૌ મન માં વિચારે, શાણી થઇ સખુ હવે સોટી ના મારે
મૂખ મલકાવે નંદ નો દૂલારો...બન્યો...
સખુ સિધાવી સ્વર્ગ સંત સંભળાવે, જીવન મરણ હરિ હાથ સત્ય સમજાવે
જે જનમ્યો તે એક દિ' જવાનો..બન્યો..
શાનો છે સંઘ ને શાની કરો વાતો, સખુ તો રહેતી સંગ દિવસ ને રાતો
કર્યો સંતોએ ઇશ નો ઇશારો...બન્ત્યો...
સાસુ સસરા સૌ પડ્યા હરિ પાય માં, પ્રભુ દુભાવ્યા હવે મુક્તિ કેમે થાય ના
ફટ ફટ અવતાર અમારો...બન્યો...
ભક્તો કેરી ભક્તિ ભાળી ભૂધરાએ ત્યારે, કિધી સજીવન સખુબાઇ ને પ્યારે
એણે કિધો જનમ ઊજીયારો...બન્યો...
દિન "કેદાર"ના દામોદર રીઝતાં, સાસુ સસરા નણંદ પર નહિં ખીજતાં
એણે કિધો અધમ નો ઊધ્ધારો...બન્યો...
Tuesday, January 11, 2011
કોણ પરખે ?
કોઇ પરખી શકે પરમેશ્વર ને, એતો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી...
લંકેશ વિંધાણો વેદી હતો, દસ શિશ ચડાવ્યા શંકર ને
નિજ ભક્ત ને ભ્રાત ની લાત પરી, આમાં વૈદેહી ની વાત નથી...
હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો સ્થંભ ફાડી ને
એતો પાપ વધ્યંતું પ્રુથ્વિ ઉપર, પ્રહલાદ પર બસ ઉપકાર નથી...
શબરી સુગ્રિવ ને કેવટ ની, આરદ અવધેશે ઉરમાં ધરિ
પ્રભૂ ચૌદ વરષ વનમાં વિચર્યા, આમાં કૈકેઇ નું કૌભાંડ નથી...
આવે જ્યામ યાદ યશોદાની, નયનો ના નિર ના રોકિ શકે
ગીતા નો ગાનારો ગોવિંદો, મોહન માયા થી દુર નથી..
સુરદાસ સુદામા નરસૈયો, તુજ નામ થકિ ભવ પાર થયા
તેં ઝહેર મિરામ ના પિ જાણ્યા, "કેદાર" શું તારો દાસ નથી...
Tuesday, January 4, 2011
એક આધાર
એક આધાર તમારો અંબા..
જાણી નિજ બાળ સ્વિકારો, હવે મારો કે પછી તારો....
મેં પાપ કર્યાં બહુ ભારી, મતિ મુંઢ બની'તી મારી
હવે આપો શુધ્ધ વિચારો.....
હું માયા માં છું ફસાણો, મદ મોહ થકી ભરમાણો
નથી અવર ઉગરવાનો આરો......
મેં શરણ ગ્રહ્યું છે તમારૂં, બીજું શું જોર છે મારૂં
શરણાગત જાણી સ્વિકારો....
તમે ઉધમ ઉધાર્યા ભારી, આવી ઘડી આજ છે મારી
કરો મુજ અધમનો ઉધ્ધારો...
માં દીન "કેદાર" ઉગારો, મુજ પાપ નો ભાર ઉતારો
કરે વિનંતી દાસ તમારો.....
Sunday, January 2, 2011
શું હું કવિ છું ?
કોઇ પણ કાવ્ય/ભજન/ગરબા રચનાર ને કવિ કહેવામાં આવેછે, અને રચયિતા પણ
પોતાને કવિ માનેછે,આ મારૂં અંગત માનવું છે. કોઇ કટાક્ષ નથી, પણ હું મારી
જાત ને કવિ રૂપે આપની સમક્ષ રજુ કરવા માંગતો નથી,કારણ કે "રામ ચરિત માનસ"
જેવા મહા ગ્રંથ ના રચયિતા સંત શિરોમણિ તુલસીદાસજી મહારાજ કહેતા હોય કે
"કવિ હું ન મેં ન ચતુર કહાવું, મતિ અનુરૂપ હરિ ગૂન ગાઉં" તો પછી મારી શી
વિસાત ? મારા ગુરૂ સમાન કવિ શ્રી "દાદે" મારા "દીન વાણી"નામક નાના એવા
સંગ્રહ માં લખ્યું છે કે ઇશ્વર ની આરાધના માટે કોઇ ચમત્ક્રૂતિ ન
હોય,પ્રાસ મેળ ના અંકોડા ભિડેલ ન હોય,છતાં ભજન એ ભજન છે, ભજન કોઇ કાવ્ય
શાસ્ત્રની કસોટીએ ચડાવવાની ચીજ નથી, ભજન કાવ્યને પૂનરોક્તિ દોષ,કે શબ્દ
દોષ લાગતો નથી, એમ કાવ્ય શાસ્ત્ર ના વિદ્વાનો કહેછે.
"નીરસાપિ કવેર્વાણી, હરિનામાન્કિતા યદિ સાદરં ગ્રહયતે તજગ્નૈ,
શુક્તિર્મુક્તાન્વિતા યથા." અર્થાત: કવિ જનની વાણી નીરસ હોવા છતાં જો
ભગવાન ના નામ થી અંકિત હોય તો ભક્તજનો નકામી છીપની અંદર રહેલા મોતીની
પેઠે આદરથી સ્વિકાર કરેછે, જેમ તુલસીદાસજી લખેછે કે---
"આમિષ ખાત અનગ્રહ રહત, કાયા અપવિતર કૂરિ, રામ જટા સે જાટકી, જટાયુન કી
ધૂરી "જે ઘર વિનાનો, માંસાહારી,અપવિત્ર ગણાતી કાયા વાળો છે એવા જટાયુને
ધૂળ માં તરફડતો જોઇને ભગવાન રામે પોતાની જટાથી જટાયુની ધૂળ ખંખેરી,"
ઇશ્વર તો ફક્ત ભાવ નો ભુખ્યો છે, એ ન્યાયે મારી રચનાઓમાં જો કોઇ
ભુલો,વ્યાકરણ ક્ષતી હોય તો ક્ષમ્ય ગણી મારો ભાવ જોઇ ને સ્વિકારવા, ગાવા
અને ભક્તિમય રહેવા વિનંતી.એજ
કેદારસિંહજી મે.જાડેજા. સાથે એક ભજન.
રાજા રામ
રામ રામ રાજા રામ, ભાવે ભજન કરો સીતા રામ...
રામ નામનો મહિમા મોટો, સકળ જગત નો નાતો ખોટો
અંતે આવે એકજ કામ...
ધન દોલત તારી કામ ન આવે,માયા ઠગારી મન લલચાવે
અંત એળા વિસરાવે રામ...
રામ નામથી નાતો રાખો, હરપલ હરિ ના રસ ને ચાખો
અંત સમય મૂખ આવે રામ...
આખર સમયજો હરિ મૂખ આવે, યમદુતો ના ભય ને ભુલાવે
લક્ષ ચોરાશી છોડાવે રામ...
હરતાં ફરતાં ભૂધર ભજવાં, સ્વાસે સ્વાસે સમરણ કરવાં
રાખી હ્રદય રઘૂનાથ નું નામ...
દીન "કેદાર" ની એકજ અરજી, હૈયે હરદમ રાખો હરજી
શાને ન પાર ઉતારે રામ...