Friday, February 25, 2011

થાળ

થાળ
આવો નેનટવર આવો ને મોહન
ગોવિંદ વર ગિરિધારિ, પ્રભુ પીરસી છે મેં થાળી...

મેવા ન મળિયા મોદક નમળિયા, પેંડા જલેબી કે ઘારી
શીરો મળ્યો નહિં શામળિયા મને, ઘી ની ભરી નથી જારી
વિધ વિધ વાનગી ક્યાંથી ધરાવું, સમજો છો વાત સારી...

રુખિ સુખિ રાબ બનાવી, થોડું ગોરસ ગિરિધારિ
માખણ મિસરી ક્યાંથી લાવું તારાં, ભોગ પડે મને ભારી
ગરીબ ગણીને ગોવિંદજી મને, માફ કરો ને મોરારિ..

અશ્રૂ કેરા જલ થી જીવન, તારાં ચરણ કમલ ને પખાળું
તુલસી કેરા પાન ધરાવું, બીજો મૂખવાસ શું મંગાવું
[તારાં બધા ભક્તો ભલે તને સુંવાળી સેજ માં પોઢાળતા હશે,ચમ્મર ઢોળતા હશે,
ચરણ ચાંપતા હશે,પણ હું..]
સૂવાને નહિં દંવ શામળીયા તને, રાત ભર વાતો કરૂં પ્યારી... [અને
તારાં દર્શન કરતો રહિશ]

નથી નરસી કે દામા કુંડે, દામોદર ને જમાડું
નથી સુદામો તાંદુલ વાળો, હું તો ગરીબી ગાઉં
દીન જાણી ને દીન "કેદાર" પર, મ્હેર કરજો મોરારી...

--સાખીઓ--
મુજ દીન ના દ્વાર પર, અવસર આવ્યો આજ
પીરસું થાળી પ્રેમ ની, આરોગો મહારાજ

નથી મેવા નથી મિસરી, નથી પેંડા પકવન
દીન ગરીબ નો થાળ છે, પ્રેમે જમો ભગવાન

No comments:

Post a Comment