રામ હ્રદય માં રમજો મારા, હરિ હ્રદય માં રમજો નાથ...
ભવ સાગર માં જીવ ભટકતો, મારૂં મારૂં કરિ ને મરતો
મોહ માયા થી દૂર હટાવો, પડ્યો તમારે શરણે નાથ..
માતા તું છે તાતા તું છે, સકળ જગત નો દાતા તું છે
હું હું કરતો હું હરખાતો, એ અભીમાન મિટાવો નાથ..
અતિ અભિમાને અંધ બન્યો છું, ભોગ વિલાસ નો ભક્ત બન્યો છું
સકળ જગત ની માયા ત્યાગી, તુજ માયા માં લિપટાવો નાથ...
દીન "કેદાર" પર દયા દરસાવો, નારાયણ તમે નેહ વરસાવો
જપું નિરંતર જાપ તમારાં, મુજ અધમ ને ઉધ્ધારો નાથ...
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
No comments:
Post a Comment