Saturday, January 29, 2011

ખોટો નાતો

ખોટો નાતો

જેને રામ થકી નહિં નાતો, મુરખ જન ફોગટ ફેરા ખાતો..

કાવાદાવા થી કરતો કમાણી, મનમાં મેલ ન માતો
પદ મેળવવા પર ને પીડતાં, લેશ નહિં એ લજાતો...

ભક્ત જનોના ભાવ ન જાણે, અવળાં કરે ઉતપાતો
સંત સભામાં આતંક આણિ, ફુલણશી છે ફુલાતો...

ધર્મ ના નામે ધતિંગ રચીને,અવળો અવરથી થાતો
મીઠી મધુરી વાણી વદી ને, ઠગતો જગત ના ઠગાતો..

ખબર નથી રઘુનાથની પાંસે, પળ પળ પાડો મંડાતો
ભૂત બનીને પડશે ભટકવું, મૂક્તિ માર્ગ ના કળાતો...

ચેત ચેત નર સંત સેવા કર, કર નારાયણ નાતો
દીન "કેદાર" દામોદર ભજિલે, શીદ ભમે ભટકાતો..

સાખી.

માનવ ભજી લે રામ ને, શાને તું ઝોકાં ખાય છે
ખબર ક્યાં છે ઉમર તારી, કઇ પળ થી પૂરિ થાય છે..

કરી લે રટણ શ્રિ રામ નું, ફોગટ ના ફેરા ખા નહિં
ભજીલે ભાવથી ભૂધર, અવર સંગ આવે નહિં..

No comments:

Post a Comment