Monday, January 31, 2011

સમજાવો ને સાર

સમજાવો ને સાર

હવે પ્રભુ સમજાવો ને સાર જી
તમે શું આવો રચ્યો'તો સંસાર...

માનવ કૂળ માં જન્મ ધરિને, શું મેળવીયો સાર
સગા ભાઇનું સારૂં ભાળી ને, સળગે છે સંસાર...

જળ ને નાથ્યા સ્થળ ને લાંઘ્યા, વસૂનો કિધો વેપાર
ગરીબો ને ગાળો દેતો પણ, ખાતો મોટા નો માર...

મંદિર જાતો પણ માન ખાવા ને, દાન માં કરતો દેખાવ
પૈસા ખાતર પર ને પીડે, પાછો દેખાડે ખૂદને દાતાર...

કથા કિર્તન નો સાર ન જાણે, ભાષણ માં હોંશિયાર
ભજન માં જાતાં ભોંઠપ આવે, દેવ એનો કલદાર...

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન "કેદાર"
તુજ માં મુજને લીન કરીદે, નથી સહેવાતા માર

રચયતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

No comments:

Post a Comment