Saturday, May 21, 2011

મિત્રો,
મારા સાંભળવા પ્રમાણે ભજન કે કથા સાંભળ નારા ત્રણ પ્રકાર ના હોય છે,
તાની-માની અને જ્ઞાની, તાની મતલબ જે લય સાથે તાન માં રહેતો હોય, ડોલતો
હોય પણ શ્બ્દો સાથે કશો લગાવ ન હોય, માની કે જે માન મેળવવા કે જ્યાં
તેની સારી સરભરા થતી હોય, માન મળતું હોય ત્યાંજ જતો હોય પણ ભજન સાથે કોઇજ
લેવા દેવા ન હોય, અને જ્ઞાની કે જે કોલાહલ થી દૂર એકાંત માં બેઠાં
બેઠાં એક એક શ્બ્દ નો આનંદ અને અર્થ સમજવા તત્પર રહેતો હોય, શબ્દે શબ્દે
નાચવા માંગતો હોય,માણવા માંગતો હોય તે. {આમાં હું ત્રિજા પ્રકારનો તો
નહીં જ હોંવ તેથી દરેક બાબત મને એટલીજ લાગુ પડે છે જેટલી અન્ય ને} એજ
પ્રમાણે કથાકાર કે ભજન ગાયક પણ આ ત્રણે પ્રકારના હોય છે, તાની કે જે તાલ
કે લક્ષમી ના થતા ઘોળ પર નાચતો હોય, માની કે જે કલાકાર કે કથાકર તરીકે
નું મોટું નામ ધરાવતો હોય અને પોતાને અન્ય થી ઉત્તમ ગણતો હોય, અને જ્ઞાની
કે જે શબ્દો ને સમજી ને પચાવી ને આનંદ માણતો હોય અને ભાવ વિભોર બની ને
પ્રભુ મય બની જતો હોય તે.
પણ મારા મતે એક ચોથો પ્રકાર પણ છે, જે આતુરતા પુર્વક એક એક શબ્દ ને
માણવા માંગતો હોય છે પણ કોઇ કારણોસર શબ્દો નો અર્થ સમજી શકતો ન હોય તે.
આવા ચોથા પ્રકારના આતુર લોકો માટે એક સજ્જન સંત નડીયાદ કે આણંદ બાજુ
ક્યાંક બિરાજે છે અને ભજનો ને સરળ શબ્દોમાં અને ગદ્ય રૂપમાં પ્રકાશિત
કરેછે. એસંત ને મારા લાખો લાખો પ્રણામ.
મારા ભજનો કે ગરબા માં એવા ખાસ અલંકાર હોતા નથી, છતાં કોઇ કરણ સર ન સમજાય
તો હવેથી ભજનો સાથે સાથે થોડો સાર પણ આપતો રહેવા પ્રયત્ન કરીશ.
kedarsinhjim.blogspot.com

No comments:

Post a Comment