Tuesday, May 17, 2011

ભાવ ભજન

ઢાળ:- રાગ ભૈરવી જેવો

ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હે
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હે...

મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દિખાયા નટવર કો
સમા ગઇ વો મુખ મંડલ મેં, પ્રભુ પ્રેમે પચાતા હે...


ભિખારી જબ ભિખ કે ખાતિર, ધૂન મચાયે માધવ કિ
કરે ક્રૂપા ના કણ કિ ક્રૂપાલુ, કૌવે કો ખુદ ખિલાતા હે....

ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત સમય હરિ શરને આયા
પ્રેમ પિછાની પ્રિતમ ધાયા, પલક મેં ચક્ર ચલાતા હે...

રાવન જાને રિપૂ રઘુવર કો,-પર-શરન લગાતા મન મર્કટ કો
અંત સમય પ્રભુ બાન ચલાકે, જીવન સે મોક્ષ દિલાતા હે...

ચેત ચેત નર રામ રટિ લે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
દીન "કેદાર" હરિ નામ સુમર લે, અભય પદ આપ દિલાતા હે...

સાર..
ભજન-કિર્તન-ગરબા જો ભાવ સાથે ગવાય કે સંભળાય તોજ તેનું સાચું ફળ મળે, જે
ક'દિ સ્વપ્ન માં પણ ન આવતો હોય એ ભગવાન ને પણ આવા ગાન સાંભળવા આવવુંજ
પડે.

મીરાંબાઇએ સર્વે આડંબર ત્યાગ કરી ને નટવર સામે નાચ કર્યા, અને કહેવાય છે
કે અંતે દ્વારકા માં ભગવાને તેને પોતાના મુખ માંજ સમાવી દીધાં અને
મ્રુત્યુનો સામનો ન કરવો પડ્યો.

ભિખારી લોકો આખો દીવસ "હે રામ હે રામ" રટણ કરેછે, પણ તેનો માંહ્યલો તો
આવતા જતા લોકોના હાથે થતા દાન પરજ હોય છે, રામનું નામ છે તેથી રોટલોતો
મળેજ, પણ મુક્તિ તો ભાગ્યે જ મળે,

ગજેન્દ્ર નામના હાથીએ ક્યારેય પ્રાર્થના કરી હોય એવો કોઇ પ્રસંગ ક્યાંએ
નથી, છતાં જ્યારે મગરમચ્છ સાથે યુધ્ધ થયું ત્યરે તેને સુદર્શન ચક્ર વડે
સંહાર કરીને છોડાવ્યો.

રાવણ ને ત્રણ જ જન્મમાં મોક્ષ તોજ મળે જો તે ભગવાન ને વેર ભાવાથી ભજે એવો
શ્રાપ હતો, પણ મનથી તે જાણતો હતો કે આજ મારા નાથ છે, તેથી યુધ્ધ સમયે તે
મનોમન રામજીને નમન કરેછે, અને રામજી તેને બાણ મારી ને મોક્ષ આપેછે.

માટે હે માનવ-હું પણ- રામનું સ્મરણ કર એ તને પાર કરશેજ.. જય શ્રી રામ..

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

No comments:

Post a Comment