Tuesday, June 14, 2011

નર નારાયણ

નર નારાયણ

નર નારાયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે...

૧' એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...

૨, બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે, ઘટ ઘટ દર્શન હોવે..

૩, તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર, સંત શિરોમણી હોવે...

૪, કામ ક્રોધ મદ છોડદે બંદા, ક્યું માયા વશ હોવે
દીન "કેદાર" હરિ નામ સુમરલે, હોની હો સો હોવે...


સાર- ૧,- વાલીયો લુટારો, લુંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ
મુનિનો સંપર્ક થયો ત્યારે નારદ મુનિએ પુછ્યું કે તું જે આ કર્મો તારા
પરિવાર માટે કરશ તે પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવાર આમાં
ભાગીદાર હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો બતાવવા
કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મિકી મુની બનીને રમાયણ
જેવા મહા ગ્રન્થ ની રચના કરી.
૨, સુરદાસજી વિશે અલગ અલગ કથા મળેછે, એક જગ્યાએ તેમને જન્મથીજ
અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મેં એક આધારભુત સુત્રો દ્વારા સાંભળવા મુજબ
તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઇ કર્મો ના આધારે તેને વલ્લભાચર્ય જેવા
ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત એક ગામના પાદરે એક
પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની પાછળ પછળ તેના ઘર સુધી
ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ આવતાં તેણે તે સ્ત્રી
પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાંખી અને ક્રુષ્ણ ભજન માં
લાગી ગયા.
એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઇને તેમને
માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલોજ માર્ગ બતાવે છે,
તેથી મન માં મનમાં હંસત અને કહેતા "લાલા તું મને છેતરે છે પણ મને હવે
બધીજ ખબર છે કે આ લાલો કોણ છે. હુંતો મારા ઘટ ઘટ માં તારાં દર્શન કરૂં
છું."
સુરદાસજીએ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાંજ તેમની
જીવન યાત્રા સમાપ્ત થઇ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરાં કર્યા. સુરદાસજી
પોતાના પદ ના અંતે "સુરદાસ" લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં "
સુર શ્યામ" લખ્યું છે.
આ પ્રસંગે મને એક કોઇ સંત ના મુખેથી સાંભ્ળેલી એક સરસ વાત યાદ આવી જે
લખવા નું મન થાય છે.
સુરદાસજી અને તુલસીદાસજી એક વખત એક જંગલ માંથી પસાર થતા હતા ત્યારે કોઇએ
બુમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઇ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો
પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઇ ને એકબાજુ
જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઇ ગયો ત્યારે તુલસીદાસજી એ પુછ્યું કે આપના
જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે
સુરદાસજીએ કાહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ
મારો લાલોતો હજુ નાનો છે એને મારેજ સંચવવો જોઇએ. આવી છે સંતો ની વાતો.
૩, તુલસીદાસજી ને પોતાની સ્ત્રી માટેનો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદ માં
પિયર ગયેલી પત્નિ ને મળવા એક મુડદા ને લાકડું સમજી ને નદી પાર કરી, પણ
પત્નિએ ટકોર કરી કે જેટલી મરાપર પ્રીતિ છે તેટલી પ્રભુ પર હોત તો બેડો
પાર થઇ જાત, બસ આ એકજ શબ્દે તુલસિદાસ રામ મય બન્યા વાલ્મિકી ની જેમ સરળ
શબ્દો માં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને
અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વલ્મિકી મુની ના અવતાર ગણવામાં આવે છે.
ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય છે જે કદાચ ખોટું પણ હોઇ શકે, તો
કોઇએ આનો આધાર લઇ ને કોઇ કાર્ય ન કરવું.


રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ
www.kedarsinhjim.blogspot.com

No comments:

Post a Comment