Tuesday, September 11, 2012

ડોશી શાસ્ત્ર

ડોશી શાસ્ત્ર

આજે અમારા મિત્ર મંડળમાં મૃત્યુ થયા પછી થતી ક્રિયા વિષે ચર્ચા ચાલી, (જે
મોટે ભાગે એક બીજાને ઊકસાવીને જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી થતી હોય છે,
બાકી સર્વે મિત્રો સમજદાર અને ધાર્મિક વૃતી ધરાવનારા જ છે.) જેમકે શબ ને
નવડાવવું કપડા બદલવા વગેરે વગેરે..આ બધી ક્રિયાઓ ફાલતુ છે, પ્રાણ ગયા પછી
શું નહાવું ને શું કપડા બદલવા ? શબ ને દફનાવો કે અગ્ની દાહ દો શો ફરક
પડે? આબધું ડોશી શાસ્ત્ર છે એવી દલીલો થઈ, અને અંતે ફરી ફરીને મારી પાસે
જવાબ મેળવવા પર આવી, મેં મારી બુદ્ધિ પ્રમાણે આ જવાબ આપ્યો, જો આપ કોઈને
યોગ્ય કે અયોગ્ય લાગે તો આપનું મંતવ્ય જરૂરથી આપવા આશા રાખું છું.

શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ જ્યારે પ્રાણ શરીર નો ત્યાગ કરે ત્યારે
તેને સર્વ પ્રથમ ગાયના છાણથી લીપેલી ભૂમી પર રાખવામાં આવે છે, ત્યાર બાદ
ત્યાં ગાય ના ઘી નો દીવો અને અગરબત્તી કે સગવડ ધરાવતા લોકો પર્ફ્યૂમ નો
છંટકાવ કરે છે. ત્યાર બાદ સ્નાન કરાવીને નવા અથવા ધોયેલા વસ્ત્રો પહેરાવે
છે, ત્યાર બાદ સફેદ વસ્ત્ર/ચૂંદડી કે જ્ઞાતિના રિવાજ મુજબનું વસ્ત્ર
ઓઢાડીને એક દોણીમાં અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કરી ને શ્મશાન માં દાહ આપી
દેવામાં આવે છે. શ્મશાનમાં ગયેલા દરેક લોકો યોગ્ય સ્થળે કે ઘેર આવીને
સ્નાન કરેછે, અને ત્યાર બાદ ઉઠમણું કે બેસણું યોગ્ય સમયે રાખવામાં આવે
છે. મોટા ભગે થોડા ઘણા ફેરફાર સાથે આજ રિવાજ હોય છે.

દરેક શરીર માં કરોડોની સંખ્યામાં જીવ જંતુ પોષણ પામે છે, જ્યારે શરીર
માંથી પ્રાણ નીકળે ત્યારે આ બધા જંતુઓને હવા પાણી અને ખોરાક મળતો બંધ થાય
છે, તેથી તે બધા આ શરીરમાંથી નીકળવા લાગે છે, આપણે શાસ્ત્ર કે ડોશી
શાસ્ત્ર મુજબ સર્વ પ્રથમ જીવ નીકળે ત્યારે શબ ને પવિત્ર ગણાતા ગાયના
છાણથી લેપન કરેલી ભોંય પર રાખીએ છીએ, જેથી એ બધા જંતુઓ એ છાણમાં ચોટી
જાય છે અને હવામાં ફેલાતા નથી, છતાં કોઈ બચે તો તે ઘીનો દીવો કેજે ખરેખર
તો આ જીવો માટે ઝેરી છે, અથવા અગરબત્તી ના ધુમાડાથી મરણ પામે છે. પણ
અસંખ્ય જીવો આટલાંથી ન મરે તો દેહ ને સ્નાન કરાવાય છે જેથી તે પાણી માં
વહી જાય, છતાં પણ છેલ્લા ઉપાય પ્રમાણે વસ્ત્રનું આવરણ ઓઢાડીને અગ્નિ દાહ
આપી દેવામાં આવે છે. દોણી માં અર્ધ સળગતો અગ્નિ ધુમાડો કરે છે જે જંતુને
દૂર ભગાડે છે કે મારે છે, ત્યાર બાદ શ્મશાન માં અગ્નિ દાહ આપી દેવાય છે
જેથી કોઈ પણ પ્રકારનું પ્રદુષણ એ દેહ થકી થતું ટળે છે. જે લોકો શ્મશાન
માં ગયા હોય તેને કદાચ આ દેહ બળતો હોય ત્યારે કોઈ એવા તત્વો કે ગેસ નીકળે
કે જે તેમને નુકસાન કરે તેવા હોય તો તેની કાળજી લેવા માટે નહાવાનું જરૂરી
ગણવામાં આવ્યું છે.

મારા મતે પહેલાના જમાનામાં એવ કોઈ સાધનો નહાતા કે ટી વી જેવી સુવિધા ન
હતી, તેથી આવી બધી સમજણ કદાચ આપી શકાતી નહીં હોય તેથી ધર્મ કે ડોશી
શાસ્ત્ર જે કહો તેના નામે આવા બધા નિયમો બનાવી ને ફરજિયાત અમલમાં મુકાતા.

શું હજુ આપણે આને ડોશી શાસ્ત્ર કહેશું? કે કોઈ મહાન ચિંતકો ની સમજણ ગણશું
તે આપે નક્કી કરવાનું છે.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

1 comment:

  1. हम इसेबुदिया पुराणकहते है बहुत अच्छा आलेख है

    ReplyDelete