Saturday, October 20, 2012

અભિમાન.

અભિમાન.
ઈશ્વર કોઈ નું અભિમાન ટકવા દેતો નથી, પછી ભલેને તે ભગવાન નો મોટો ભક્ત કેમ ન હોય, જે જે ભગવાન ની વધારે નજદીક હોય તેની પરીક્ષા વહેલી થાય અને વધારે થાય, કારણ કે પ્રભુ ક્યારેય પણ પોતાના ભક્ત ને ગેર રસ્તે જતો જોઈ ન શકે, અને તેથી જેવો તે માર્ગ ચૂકે કે તુર્ત જ તેને સબક મળી જાય, પણ પોતાના ભક્તોનું જતન કરતાં કરતાં પ્રભુ જ્યારે બીજા લોકો પર નજર કરે ત્યાં સુધીમાં તેવા લોકો ના દુર્ગુણો વધી ગયા હોય તેથી તેને આકરી સજા ભોગવવી પડે, ભલે પછી વિલંબ થી ભોગવવી પડતી હોય, ક્યારેક આપણ ને એવું લાગે કે ભક્ત જન હોવા છતાં તેને કષ્ટ કેમ ભોગવવું પડતું હશે, જ્યારે દુરિજન મોજ માણતા દેખાય છે, પણ આ એક છેતરામણી પ્રક્રિયા હોય છે, એમાં પણ પ્રભુ અભિમાન ને તો તુર્ત જ નાથવા માટે તત્પર હોય છે.

એક સાંભળેલી વાત અહીં રજૂ કરૂં છું. નારદજી ને એક વખત થોડું મનમાં લાગ્યું કે મારા જેવો ભક્ત કદાચ આ અવનીમાં બીજો હોય એ શક્ય નથી, કરણ કે રાત દિવસ બસ મારા મુખમાં એકજ નામ નિરંતર ચાલ્યા કરેછે, નારાયણ નારાયણ, આટલું રટણ બીજું કોણ કરતું હોય? અને તે પણ કોઈ જાતની અપેક્ષા રાખ્યા વિના, આવું તો બસ હુંજ રટણ કરી શકું, બાકી કદાચ કોઈ રટતું પણ હોય તો તેમાં જરૂર કંઈક અપેક્ષા રહેલીજ હોય.

બસ નારદજી ને આ વિચાર આવતા ની સાથેજ ભગવાને તુર્ત જ ઇલાજ ચાલુ કરી દીધો, કેમ કે ભક્ત ની બિમારી વધે તે ભગવાન ને કેમ સહન થાય?
 
થોડા સમય માંજ ભગવાને પ્રેરણા કરી તેથી નારદજી ને વૈકુંઠ માં જવાની ઇચ્છા થઈ, ભગવાને નારદજી ને કહ્યું કે નારદજી મને બધા કહેછે કે પ્રુથ્વિ11 પર એક ગામ માં એક ખેડૂત મારી ખૂબ ભક્તિ કરે છે, પણ મને તો સમય મળતો નથી, તેથી મને થયું આપને આ કાર્ય સોંપુ તો સાચો ખ્યાલ આવે.

નારદજી તો બ્રાહ્મણ નું રૂપ ધરીને ઉપાડ્યા ભગવાને બતાવેલા ગામમાં, અને એજ ખેડૂતને ત્યાં તેમના ગોર બની ને રોકાયા, ખેડૂત તો ખુશ થઈ ગયો કે આજ પહેલી વાર કોઈ બ્રહ્મ દેવતા મારે ત્યાં પધાર્યા, પત્નીને ગોર મહારાજ ની સેવા કરવાનું કહી પોતાના કાર્યમાં લાગી ગયો.
નારદજી તો પરીક્ષા કરવા પધારેલા, તેમણે અનુભવ્યું કે આ ખેડૂત સવારે વહેલો ઊઠે કે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સવારે ગામના ચોરામાં આરતી થાયા એટલે બોલે કે "હે ભગવાન સૌ નું સારું કરજો" નાહી ધોઈને ખેતરે જવા નીકળે એટલે પાછો બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" બપોરે તેની પત્ની ભાત લઈને ખેતરે જાય, ત્યાં હાથ મોં ધોઈને જમવા બેસે એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સાંજે ઘેર આવે અને બળદો ને છોડે એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" સંધ્યા કાળે ચોરાની આરતી થાય એટલે બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" રાત્રે જમીને જ્યારે સુવા જાય ત્યારે પણ બોલે "હે ભગવાન સૌ નું સારું કરજો" અને ફરી સવારે એજ
"હે ભગવાન સૌ નું સારું કરજો"
નારદજી તો સારા એવા દિવસો ત્યાં રોકાયા પણ આ ખેડૂતના નારાયણ માં કોઈ વધારો ઘટાડો થયો નહીં. આખરે નારદજી એ ખેડૂતને આશીર્વાદ આપીને ભગવાન ને ખબર આપવા નીકળી પડ્યા.
ભગવાન પાસે આવીને કહેવા લાગ્યા "પ્રભુ ખબર નથી આપને આવા ખોટા સમાચાર કોણ આપે છે, એ ખેડૂત આખા દિવસમાં ફક્ત આઠ વખત આપનું નામ લે છે, ન કદી કમ ન કદી વધારે, એને આપનો મહા ભક્ત ખબર નહી કોણે બનાવી દીધો."
ભગવાને નારદજી ને પોતાનું કાર્ય સફળતા પૂર્વક કરવા બદલ ધન્યવાદ કહી ને વિદાય કર્યા.  
આ વાતને ઘણો સમય થઈ ગયા બાદ એક વાર ભગવાને નારદજી ને એક અન્ય કાર્ય માટે વૈકુંઠમાં બોલાવ્યા, નારદજી વિચારવા લાગ્યા કે હમણાં થી ભગવાન ને મારી બહુ જરૂર પડે છે, અને કેમ ન પડે મારા જેવો ભક્ત બીજો ક્યાં મળે.? 
 નારાયણ નારાયણ કરતાં નારદજી ભગવાન સમક્ષ નમન કરીને ઊભા રહ્યા કે તુર્ત જ ભગવાને કહ્યું "અરે નારદજી આપ ખરા સમયે પધાર્યા, લક્ષ્મણજી111 કેટલા સમય થી એક યજ્ઞ કરવા વિચારી રહ્યા છે, પણ એ યજ્ઞ માં નિયમ મુજબ એક પાત્ર માં છલો છલ ભરેલું દુધ એક પણ બિંદુ છલકાયા વિના જો કોઈ પ્રુથ્વિ111 ની પ્રદક્ષિણા કરાવી ને લાવે તો જ એ દુધ આ યજ્ઞમાં કામ લાગે, પણ મને બીજા કોઈ આ કાર્ય કરી શકે એમ લાગતું નથી, જો આપ મારું આટલું કાર્ય કરી આપો તો લક્ષ્મણજી111 ને હુ ખુશ કરી શકું.
નારદજી ના મનમાં અભિમાન રૂપે રોગ લાગુ તો પડેલોજ હતો, પણ ભગવાન ની વાત સાંભળ111 ને આ રોગ વ્યાપક બનવા લાગ્યો, નારદજી તો છાતી ફુલાવી ને કહેવા લાગ્યા,"અરે ભગવંત આપ આજ્ઞા કરો આપના હરેક કાર્ય કરવા માટે આપનો આ ભક્ત હર હંમેશ તત્પર હોયછે."
ફરીથી ભગવાને નારદજી ને શર્ત યાદ કરાવી કે "નારદજી જો જો હોં એક પણ બિંદુ જમીન પર પડે નહીં."
ફરી નારદજી બોલ્યા "અરે ભગવાન આપ ચિંતા ન કરો, આપ માતાજી ને કહો યજ્ઞની તૈયારી કરે, હું સમય સર આવી પહોંચીશ." અને ખરે ખર નારદજી એક પણ બિંદુ દુધ નીચે પાડ્યા વિના સમય સર પહોંચી ગયા. ભગવાન ખૂબ ખુશ થઈને નારદજી ને મીઠા મીઠા વચનો થી જાણે વધારે ફુલાવવા લાગ્યા. ત્યાર બાદ ધીરેથી વાત છેડી કે નારદજી ખરેખર એક પણ બિંદુ દુધ તમારી જાણ બહાર છલકાયું તો નથી ને? નહીં તો યજ્ઞ સફળ થશે નહીં, અને લક્ષ્મણજી111 નારાજ થઈ જશે, ત્યારે નારદજીએ ખાતરી કરાવી કે ભગવાન મારી નજર બરાબર પાત્ર પર હતી એક પણ બિંદુ પડ્યું નથી. 
નારદજી એ આટલી ચોકસાઈ બતાવી ત્યારે ભગવાને ધીરેથી પૂછ્યું કે તો નારદજી આપે આ પ્રદક્ષિણા ફરતી વેળાએ મારું નામ કેટલી વખત લીધું?
ચતુર નારદજી સમજી ગયા અને ભગવાન ના ચરણોમાં પડી ગયા, ભગવાન કહે નારદજી તમારે ફક્ત એક કટોરા પર નજર રાખવાની હતી, છતાં તમે મારા નામ નો જાપ ભૂલી ગયા, જ્યારે પેલા ખેડૂત ને તો પોતાનો સંસાર ચલાવવાનો હતો, છતાં તે ક્યારેય પણ પોતાના નિયમ નો ભંગ થવા દેતો ન હતો, તો હવે આપજ બોલો મારે મારો મોટો ભક્ત કોને કહેવો? આપને કે પેલા ખેડૂત ને?
નારદજી ક્ષોભ વશ ભગવાન ના ચરણો પકડી ને બોલ્યા કે પ્રભુ માફ કરો હવેથી ક્યારેય પણ મારા હ્રદયમાં અભિમાન ને પ્રવેશ કરવા નહીં દવ.
જય નારાયણ. 
માન્યવર,
જો આપને મારી આ વાત યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

No comments:

Post a Comment