Thursday, May 8, 2025

વાલી વધ.


ઢાળ= મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.....ગવાય છે એવો.
તા. ૫.૩.૨૫
સમદરશીની મોટી શાખ તમારી, ભેદ શાને મનમાં ભરો 
કરુણાના સાગર, રઘુકુલ યાદ કરો.... 

મેં જાણ્યું પ્રભુ ધર્મને કાજે, માનવ દેહ ધરો
સુગ્રીવ સંગે ભલે હેત ઉભરાતું, મુજથી કાં વેર કરો...

વેલ લતાનો આશરો લઈને, સર સંધાન કરો 
લાંછન લાગે પ્રભુ રાઘવ કુળને, એવા ન કાર્ય કરો...

હે વાલી મહા પાપ કર્યું તેં,  ન્યાય કર્યો મેં ખરો
પુત્રી સમાણી પર નારી હરી તેં, એ થી ન જાય ઊગરો...

મોક્ષ મળે હરી હાથે હણાતા, હવે- એક ઉપકાર કરો
અંગદ સુત મુજ આશરે તમારે, કૃપાનીધી કરુણા કરો 

આપ્યું વચન કપિ અરજ સ્વીકારી, નિજ ગતિ પ્રાપ્ત કરો,  
"કેદાર" કરુણાના સાગર રામ રીઝે તો, ભવ સાગરને તરો...

ભાવાર્થ:- જ્યારે પ્રભુ રામ સુગ્રીવને સાથ આપીને વાલીને છુપાઈને બાણ મારે છે ત્યારે વાલી કહે છે, હે ભગવંત આપતો સમાન દૃષ્ટિ વાળા રઘુકુલ ભૂષણ, આમ અન્યાય કેમ કરો છો? હું વેરી અને સુગ્રીવ પર પ્રેમ કેમ? ત્યારે ભગવાન રામ કહે છે કે તેં મહા પાપ કર્યું છે, પુત્રવધૂ હોય કે નાના ભાઈની પત્ની અથવા બહેન, પુત્રી સમાન ગણાય, તેં એનું હરણ કર્યું છે, માટે તને મારવામાં જરા પણ દોષ નથી. અને સુગ્રીવ મારો મિત્ર છે, એના કષ્ટનું નિવારણ કરવું મારી ફરજ છે.
ત્યારે વાલી કહે છે કે પ્રભુ, આપના હાથે મરવાથી મારો મોક્ષ ચોક્કસ છે, પણ એક અરજ છે કે આ મારા પુત્ર અંગદને હું આપની સેવામાં સોંપુ છું, એને અન્યાય ન થાય એવી કૃપા કરજો.
  ભગવાન શ્રી રામે વાલીને મુક્તિ અને અંગદને યુવરાજ પદ આપ્યું. આમ જેના પર પ્રભુ રામની કૃપા થાય તે ગમે તેવો પાપી હોય તો પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
જય શ્રી રમ. 


 

आखिरी छलांग
                                                            
6,5, 25
भारत का दो भाग किया पर चूक हो गई शासक की, मोदीजी उम्मीद आपसे नापाकको पाठ सिखाने की।
देश समूचा मांग कर रहा, दुश्मनको सजा कडी देने की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।।

हिंदू मुस्लिम शिख इसाई, हे सब भाई हमारा, लेकिन पीठ में खंजर मारे वो कैसा भाईचारा।
गिविंदने हे बात बताई, हन ता हे तो हन ने की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 

हे पडोशी ना बदल पाएंगे, कहकर बहुत बहलाया हे, बदल डालो सोच सब ऐसी, वो तो उसको भाया हे,
पहलगांवसे पहेल करो अब, घडी हे आंख दिखानेकी, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 

लंकामे भी कुछतो न्याय था, मात को न हाथ लगाया था, पर येतो हे ऐसे राक्षस, देवों को भी डराया था।
ना कोई वहां हे विभीषण, ना संभावना ज्ञानी की, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 

शेष नागके शीश पर धरती नजरें कौन उठायेगा, पर घरमे बैठे छुपे सपोले, उससे कौन बचाएगा,
"केदार" भूमि भारत को सजाने, समय हे लंका जलानेकी, आश हमे हनुमान आजके, आखिरी छलांग लगानेकी।। 


सर्जिकल स्ट्राइक के समय मोदीजी ने कहा था की सब इधर उधर देखते रहे और हमने हनुमानजी की तरह आसमान से छलांग लगाई थी, तो हम सब आपकी एक और आखिरी छलांग लगानेकी आतुरतासे राह देख रहें हे।


 

છેલ્લી છલાંગ
૨૪.૪.૨૫
ભારતના બે ભાગ કર્યા પણ, ભૂલ હતી ત્યાં શાસનની,  મોદીજી ઉમીદ આપથી, નાપાકને પાધરું કરવાની
દેશ સમૂળો માંગ કરે છે સજા દુશ્મનને દેવાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ છે સૌ ભાઈ ભાઈ, પણ કોઈ ભાઈ ખંજર મારે કેવી એ ભલમનસાઈ
હણે એને હણો વાણી છે ગીતામાં ગોવિંદાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

પાડોશી છે ના બદલાશે કહી બહુ બહેલાવ્યા છે, બદલી નાખો આશય આજ થી દુશ્મન એ થી ફાવ્યા છે
પહેલગામથી પહેલ કરીને જરૂર છે આંખ ફેરવવાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

લંકામાં પણ ન્યાય હતો, સીતાજી સુરક્ષિત રહેતાં હતા, પણ આતો વણ શિંગા રાક્ષસ એ થી દેવ પણ ડરતા હતા
ના તો ત્યાં કોઈ વિભીષણ છે, ના છે કોઈ જ્ઞાની, આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની....

શેષ નાગના શિર પર ધરતી, કોઈ ન આંખ બતાવી શકે, પણ ઘરમાં છુપાયા ભોરિંગ કાળા, એ થી કોણ બચાવી શકે
"કેદાર" ભૂમી ભરતની સજાવો બાળી લંકા રાક્ષસની, , આશા બચી હનુમાન આજના, છેલ્લી છલાંગ કૂદવાની...

તા. ક. મોદીજીએ પાકિસ્તાન પર Sargical Stike કરી ત્યારે કહેલું કે "એ લોકો જમીન પર તૈયારી કરીને બેઠેલા ત્યારે આપણે હનુમાનજીની જેમ આકાશ માર્ગે હુમલો કરેલો." તા. ૨૨.૪.૨૫ ના રોજ પહેલગામ હુમલાના બદલા માટે એક વધુ કુદકાની જરૂરત છે, જે છેલ્લો હોય, પછી કોઈ જરૂર ન પડે તેથી આ લખાયું છે.