Friday, September 18, 2015

ક્ષમા યાચના

 મિત્રો,
આપ આ જગ્યા પરથી મારા દ્વારા ઈશ્વર કૃપાથી રચાએલા ભજનો માણી રહ્યાછો, પણ ક્યારેક આપને લાગતું હશે કે એકજ ભજન બીજી વખત મૂકવામાં આવેછે, તેના બે કારણો છે.
મારા પથ દર્શક સંત સમાન પ. પૂ. શ્રી નિરંજનજી રાજ્યગુરુના જણાવ્યા અનુસાર "જ્યારે જ્યારે આપણી પોતાનીજ બનાવેલી રચનામાં કોઈ ક્ષતિ લાગે કે તેને સુધારવા જેવી લાગે, અથવાતો તેમાં વધારો કરવા જેવું લાગે ત્યારે સમજવાનું કે ઇશ્વરે આપેલી આ વધારાની મહેરમાં વધારો થઈ રહ્યોછે, તેથી કોઈ પણ જાતના વિલંબ વિના તેમાં સુધારો કરી નાંખવો".

બીજું કારણ એવું છે કે મારા અનેક ચાહક મિત્ર મંડળમાં ઈશ્વરની કૃપાથી વધારો થતો રહેછે, અને જ્યારે જ્યારે નવા નવા મિત્રો સામેલ થાયછે ત્યારે પહેલાં રજૂ કરેલી રચનાઓ માણી ન શક્યા હોઇને ફરીથી રજૂ કરવા આગ્રહ રાખેછે, તેથી આ જગ્યા પર હું ક્યારેક એકજ રચના બીજી વખત રજૂ કરૂછું.

જય માતાજી.

No comments:

Post a Comment