Sunday, August 6, 2023

બાગેશ્વર બાલાજી

 

            
                       બાગેશ્વર બાલાજી
તા. ૩૧.૭.૨૩
ઢાળ- મહા માયા ચરણે મનડું છે મારું..જેવો

બાગેશ્વર બાલાજી મારી અરજી શ્વીકારો
દીન દુખિયાના દુખડાં, આપ નિવારો...બાગેશ્વર બાલાજી..

કર્મ ના સંજોગે સૌને જન્મ મળે છે, ધન દોલત કે કોઈને દર્દ મળે છે,
આવે જે શરણે તારે, સાતા મળે છે, અવગુણ અમારાં સઘળાં, આપ સુધારો..બાગેશ્વર બાલાજી...

ભારત ભૂમિ પર આજે, સંકટ છે ભારી, અધર્મી કરે કુ કર્મો, વિચારી વિચારી
ચલાવે છે ગંદી પંડની, અજબ દુનિયાદારી, બની ને બેઠાં છે જાણે, પંડિતો ફકીરો..બાગેશ્વર બાલાજી

સંત સભાના નામે, સંગ કરે છે, માર્ગ બતાવી અવળો, તંત કરે છે
ભ્રમમાં ભટકાવી જગને, પેટ ભરે છે, આવા ઢોંગી થી બાલાજી, અમને ઉગારો..બાગેશ્વર બાલાજી

"કેદાર" કરુણા કરીને, હાથ મારો પકડો, આવ્યો છું શરણે તારે, અવિનાશી ના અકડો
ભક્તિ ના રંગમાં મુજને, અહર્નિશ જકડો, તારા શરણ ને કાજે, બન્યો છું અધીરો.બાગેશ્વર બાલાજી

ભાવાર્થ- હે બાગેશ્વર બાબા હનુમાનજી, આ દુખિયા જીવ ની એક અરજ છે, આપ એનું નિવારણ કરો.
દરેક જીવ ને કર્મ ના આધારે જે તે યોનિમાં જન્મ મળે છે, કોઈને ધન તો કોઈને દર્દ મળે છે, પણ જે તારે શરણે આવે તે ભલે પાપી હોય, પણ તારા શરણમાં આવે તો તેને શાંતિ પ્રાપ્ત થાય છે. પણ આજે ભારત વાસીઓ પર અધર્મી અને ખોટા કર્મો કરનારાઓ પોતાના સ્વાર્થ માટે લોકોને અવળા માર્ગે ચડાવવા માટેનું એક ષડ્યંત્ર ચલાવી રહ્યા છે, ધર્મ ના નામે મોટા મોટા કાર્યક્રમો કરીને ભોળી જનતાને ભરમાવે છે. આવા લોકો થી અમોને આપના સિવાય કોઈ બચાવી શકે તેમ લાગતું નથી. માટે આપ મને સાચું માર્ગદર્શન આપો એજ અભ્યર્થના છે.

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.
ફોટો-ગુગલ ના સહયોગ થી


No comments:

Post a Comment