Friday, September 17, 2010

રામાયણ

સંત ભરત

જેણે મારી માયા ને લાતો, ભરતજી શાને ન સંત કે'વાતો...

રાજ રઘુ નું અભરે ભરેલું, યુગ સુવર્ણ નો જાતો
ઇંન્દ્ર જેવા ને પણ ઇર્ષા આવે, વૈકુંઠ થાતી એની વાતો...

સ્વર્ગ સમું સૌ સુખ સવાયું, દ્વેશ ન દ્વાર ડોકાતો
એવા અવધ ની ગાદી ત્યાગી, લેશ ન દિલ લચાતો..

માયા ત્યાગી મહેલો છાંડી, ઝુંપડે વિતાવી રાતો
માતા માનુની મેવા ત્યાગી, વનફળ વીણી વીણી ખાતો...

ચૌદ વરષ જેણે સાધુ બની ને, તોડ્યો જગથી નાતો
પાદુકા કેરૂં પૂજન કરી ને, હૈયે અતિ હરખતો...

ભક્ત ભરતથી મુનિ જન મોટાં, વેદ ની કરતાં વાતો
બ્રહ્માદિક જેનો આદર કરતાં, "કેદાર" ગૂણલા ગાતો...

No comments:

Post a Comment