Friday, November 1, 2013

છોટે નારાયણ ?

                     
                              છોટે નારાયણ ?
તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ ના કાર્યક્રમની એક ઝલક આપને કાલે મેં બતાવી, આજે નારાયણ બાપુના મોટા પુત્ર હરેશભાઈને આપની સમક્ષ આ માધ્યમ દ્વારા રજૂ કરુછું, જો કે વીડીઓની લંબાઈની મર્યાદા હોઈને નાનો ભાગજ મુકુછું.
હરેશભાઈએ બાપુ જે માળા બોલાવતા તે માળાથી શરૂઆત કરી ત્યારે તેમને સાંભળનારા ઘડીભરતો સ્તબ્ધ બની ગયા, કેમકે તેમના ગળામાં બિલકુલ જાણે બાપુનો જવાનીનો અવાજ હોય અથવાતો બાપુ ખુદ તેમના દ્વારા લોકોને સંભળાવતા હોય એવું લાગતું હતું. આજ કાલ "છોટે"નો મહિમા ખૂબજ ચાલેછે, શું આપણે આમને છોટે નારાયણ કહેવું?...આપજ નક્કી કરજો. બાકી નારાયણના પુત્રને આવી જરૂર ન પડે.
જય નારાયણ. 
 ૧.૧૧.૧૩

No comments:

Post a Comment