Saturday, November 2, 2013

માનવ ધારે તો ક્યાં થી ક્યાં પહોંચી શકે છે.
                      કવી "દાદ" નો દીવડો (જીતુદાન ગઢવી)

હમણાંથી તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ ના કાર્યક્રમની ઝલક આપ સમક્ષ રજૂ કરતો રહુંછું, આજે મારા ગુરુ સમાન કવી શ્રી "દાદ" ના સુપુત્ર શ્રી જીતુદાન ગઢવીને રજૂ કરવા માંગુછું. એક આડ વાત, હું દરેક વખતે શ્રી "દાદ"નો ઉલ્લેખ મારા ગુરુ સમાન તરીકે કરુંછું, એક મિત્રે મને કહ્યું કે ભાઈ આ ગુરુ સમાન કેમ? ગુરુ કેમ નહીં? ત્યારે મેં જવાબ આપેલો કે ભાઈ મેં તો તેમને ગુરુજ માન્યા છે પણ તેઓ મને શિષ્ય માને છે કે નહીં તે ચોખવટ થઈ નથી...

જો ગાડીનો ડ્રાઇવર બરાબર ન હોય તો ગાડી ચીલો ચાતરિ જાય, અને ક્યારેક બળદ ગાડાં આગળ નીકળી જાય, એવુંજ કંઈક આ કાર્યક્રમમાં થયેલું, સંચાલક મહોદયને કોઇ કારણસર કાર્યક્રમ છોડીને જવું પડેલું, એમાં આવા દીવડાને રજૂ કરવામાં મોડું થઈ ગયું. પણ પછી જીતુદાને જે જમાવટ કરી, કવિ "દાદ" ના લક્ષ્મણાયન ની વાતો અને અન્ય રજૂઆત સાંભળીને તેને મોડો સમય ફાળવાયો તે બાબત માટે મોટા ભાગે બધા શ્રોતાઓએ નારાજગી વ્યક્ત કરી પણ પછી શું થઈ શકે? બસ હૂંતો એટલુંજ કહીશ કે વાહ દાદ વાહ શું સંસ્કારનું સિંચન કર્યુંછે, તોજ આવા દીવડા પાકે બાકી કેટલાએ કવિઓ/સાહિત્યકારો કે મોટા ગજાના ભજનિકોના દીકરા ક્યાં રખડેછે કોઈને ખબર નથી, કે બાપના પગલે પા પા પગલી પણ ભરી શકતા નથી, અમુક તો બાપના નામે તરવા માટે ફાંફાં મારે છે પણ પોતાનું અજ્ઞાન આડું આવે છે, અને કોઇ કોઇ તો નામ રોશન કરવાને બદલે ડૂબાવે છે.
એક વડીલ તરીકે ઈશ્વરને એકજ અભ્યર્થના કે ભાઈ સદાએ સાચા અર્થમાં સાહિત્યકાર કે ભજનિક બનીને પિતાનું નામ રોશન કરજે એવી પ્રાર્થના.
જય નારાયણ.
૨.૧૧.૧૩

No comments:

Post a Comment