Friday, January 23, 2015

કાલે મેં કેવટ પ્રસંગ મારા ફેસબુક/મેલ/વોટ્સએપ પર મૂકેલો, જેના પર શ્રીમાન નીખીલ દરજી ભાઈએ મને લખ્યું કે--વાહ બાપુ,
ભરત મહારાજ અને કેવટજી બન્ને સાધુ પુરુષોને જીવંત કરી દીધા. કેવી રીતે આવી રચનાઓ સ્ફુરેછે તમને, ભગવાનની વિશેષ કૃપા છે તમારા પર, નહિતો આ શક્ય જ નથી. તમારા ગૃપમાં રહીને અમે પણ આ આનંદના ભાગીદાર બની રહ્યાં છીએ.
નીખીલ દરજી.--- આવીજ પ્રોત્સાહિત કરી દેતી ટિપ્પણીઓ, અભિપ્રાય મારા દેશવિદેશ માં વસતા જ્ઞાની મિત્રો જેવાકે પ.પૂજ્ય નિરંજન રાજ્યગુરુજી, શ્રી ખૈની સાહેબ, દાસ ભાઈ, શ્રી જુગલકીશોરજી કે જીતુભાઈ પાઢ-કેટલાં નામ લખું?- જેવા અનેકો અનેક પાઠકો દ્વાર મળેછે. કોઈ પણ કવી/લેખક કે વક્તાનું ઈંધણ શ્રોતાઓનું પ્રોત્સાહન છે, આજ કાલ ભજન કે ગરબા જેવી ધાર્મિક રચનાઓ વાંચવા માટે બહુ ઓછા લોકો પાસે સમય હોયછે, આલતું ફાલતુ રચનાઓ કે જોડકણા જેવા ગીતો પર ઓળ ઘોળ થતા લોકો ભજન કે ગરબા પર ધ્યાન આપતા નથી પણ આવા જ્ઞાની લોકોના પ્રોત્સાહન અમારા વિચારોમાં પ્રાણ પુરેછે. આશા કરું કે આજ રીતે આપનો સહકાર મળતો રહેશે.
જય માતાજી
૨૩.૧.૧૫

No comments:

Post a Comment