Thursday, June 27, 2013

નંદી મહારજની પીડા.


નંદી મહારજની પીડા.

કેદારનાથની કરુણાંતિકા દરરોજ ટીવી પર જોવા મળેછે, પણ ભગવાનના ભંડાર ને લૂંટનારા નરાધમોની ફક્ત એક ઝલક જોવા મળી પણ પછી તેનો કસોજ ઉલ્લેખ ક્યારેય મેં જોયો નથી, જોકે આવું ભગવાન જીંદગીમાં ક્યારેય ન બતાવે, પણ એ નરાધમોના ચહેરા જગા જગા પર બતાવવા જોઇએ જેથી બધા લોકો તેને ઓળખે, કોઈ પણ ગુનેગારને પોલીસ પકડે ત્યારે મોટા ભાગે તેમના મોં પર કપડું ઓઢાડી દેવામાં આવેછે, મારા મતે તો તેને જાહેર કરવા જોઇએ.

કાલે એવો પણ ઉલ્લેખ થયો કે અરબો ખરબોના માલિક બનીને બેઠેલા ભગવાન[?] ના વ્યવસ્થાપકો દ્વારા વારે તહેવારે મોટા મોટા ઉત્સવો યોજવામાં આવેછે અનેલાખો કરોડોના ખર્ચા કરવામાં આવેછે તે માલેતુજાર ભગવાનના સંચાલકોને આ આપદા સમયે દેવાધી દેવ મહાદેવ ના યાત્રા ધામને અને તેના ભક્તોને મદદ કરવાનું કેમ યાદ આવતું નથી?કે પછી..... જવાદો શું લખવું?

ભગવાન મહાદેવે નંદીને એક વચન આપેલું કે જ્યારે હું સમાધિમાં લીન રહું અને કોઈ મને પ્રાર્થના કરવા માંગતો હોય તો તે જો તારા કાન દ્વારા મને પ્રાર્થના કરશે તો હું જરૂર સાંભળીશ, ત્યાર બાદતો મારા જેવા ઘણા ભગવાનને પ્રાર્થના કરવાને બદલે નંદિના કાનમાંજ પ્રાર્થના કરવા લાગ્યા, પણ કેદારનાથના નંદી મહારાજને એક પથ્થર કષ્ટ આપી રહ્યોછે તેના તરફ કોઈનું ધ્યાન ગયું નથી, હવેતો આ સ્થળ નિર્જન થઈ જશે, તેથી દેવાધી દેવ મહાદેવ નેજ પ્રાર્થના કરવાની રહી કે નાથ નંદી મહારાજને આ પીડા માંથી મુક્ત કરો નહીંતો તે પોતાની પીડા ભૂલીને અમારી પીડા આપ સમક્ષ કેમ રજૂ કરી શકશે?

જય ભોળે નાથ.   

No comments:

Post a Comment