Wednesday, June 26, 2013

કરુણાંતિકા


કરુણાંતિકા 

   આજ કાલ ટી વી માં ફક્ત અને ફક્ત ચાર ધામ યાત્રાના સમાચાર અને રાત્રે પાછી દેવો કે દેવ મહાદેવ સીરીયલ મોટા ભાગે મારા જેવા લોકો જોતા હશે અને આજના સંતો મહંતો અને પાપી પાખંડી અને નરાધમોને જોઈને વિચારતા હશે કે આ મહા પ્રલય જેવા ભગવાન આશુતોષ કે જે ભાગ્યેજ ક્રોધ કરતા હોયછે, તેના ક્રોધ ને પણ અવગણીને કેવા કેવા કુ કર્મો કરેછે તે જોઈને આજના આવા માનવને કદાચ રાક્ષસ કહેવો તે રાક્ષસ ગણનો અપરાધ ગણાશે. કારણ કે ઉપરોક્ત સીરીયલ માં રાક્ષસોનું જે વર્ણન જોવા મળેછે કે શાસ્ત્રોમાં પણ વાંચવા મળેછે તે આ નરાધમો જેટલું નિમ્ન તો ભાગ્યેજ હોય છે, જોકે અપવાદતો દરેક જગ્યાએ હોયછે.
ગામડાના સાધારણ લોકો પોતાની આજીવિકાના ટાંચા સંગ્રહનો વિચાર કર્યા વિના યાત્રાળુને જમાડે તો સામે કોઈ કોઈ હેલીકોપ્ટરમાં નંબર લગાવવા માટે રૂપિયા ઉઘરાવે, કોઈ સાધુજન કે સમાજસેવી અનેક અગવડો ભોગવીને સેવા કરવા ક્યાંના ક્યાંથી સામે આવે તો સામા પક્ષે સાધુના વેશમાં લુટારાઓ ખુદ ભગવાનનેજ લૂંટે, કેવી કરુણાંતિકા. રાજકારણીઓ કોઇ કોઇ સેવા કરવા દોડે તો સામે પક્ષના તેમને તક સાધુ ગણાવીને ઉતારી પાડવાની કોઈજ તક જવા ન દે, સલામ તો કરવી પડશે એ મારા ભારતીય જવાનોને કે જે કંઈ પણ જોયા વિના સેવામાં એવા પરોવાયેલા લાગેછે જાણે પોતાનાં આત્મજનો આમાં ફસાયા હોય અને તેને સહાય કરતા હોય, એક જવાન નો પોતાનો જ ભાઈ મળતો ન હોવા છતાં તેના કાર્યમાં જરાએ ઢીલાશ દેખાતી ન હતી, આવા મહા માનવોના કારણેજ આજે આપણે ગર્વ અનુભવી શકીએ છીએ. હજારો હજારો ધન્યવાદ ભાઈ તને, તારો ભાઇ મળેજ.

આજે મને નંદી મહારાજનું એક એવું ચિત્ર મૂકવાની પ્રેરણા થઈછે કે જે ભોળા નાથને ઉંચુ મસ્તક કરીને જાણે કહેતા હોય કે બાબા , આજે મારા મૂખ પર આ સિંદૂર લાગેલું નથી લાગતું પણ આપના અનેક અનેક ભક્તો કે જે આપના દર્શન કરવા આવેલા તેમનું રક્ત જાણે મારા મૂખ પર લાગી ગયું છે, જે મને મારા કાનમાં આપને સંદેશો આપવા આવેલા, આપેજ મને આ વરદાન આપેલું પણ સાથે સાથે એ વરદાન રક્ત રંજીત પણ હશે તે મને ખબર ન હતી, મહાદેવ હવે ક્ષમા કરો અને આપના પ્યારાં ભક્તોને વધારે કષ્ટ ન આપતાં પોત પોતાના વતન પહોંચાડો, નહીંતો આપના પરથી નબળા લોકોની શ્રદ્ધા ડગી જશે.
જય કેદારનાથ.

1 comment: