Thursday, April 17, 2014




તા.૧૫.૪.૧૪ ના રોજ નારાયણ બાપુ ના માંડવી આશ્રમ મુકામે ભજન નો કાર્યક્રમ રાખેલો, આમ તો હવે દર રોજ સાંજના આરતી પછી બાપુ ના ચાહકો મળીને ભજનો બોલે છે પણ દર પૂનમ ના દિવસે એક વ્યવસ્થિત કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં બાપુ ના ચાહકો ઉપરાંત નામાંકિત ભજન ગાયકો લાભ આપે છે, જેમાં શ્રીમાન ખેતસીભાઈ તો હોયજ હોય, જો કે અમુક ચાહક ભજનિકો તો દર પૂનમે જો કોઈ અનિવાર્ય રોકાણ ન હોય તો માનદ સેવા આપે છે, ક્યારેક તો ચાહક ગાયકો ને સમય નો પણ અભાવ વેઠવો પડે છે. હા ક્યારેક શ્રોતાઓ ને પોતાના પસંદગી ના કલાકારો નો ઓછો લાભ પણ મળતો હોય છે, છતાં એકંદરે સારો એવો પ્રતિસાદ મળે છે.
આજ રીતે ઉત્તરો ઉત્તર આશ્રમ ની પ્રગતિ થતી રહે એજ અભ્યર્થના.
આ કાર્યક્રમના થોડા ફોટો ગ્રાફ અહિં રજૂ કરું છું



આ વખતે એક સંત મહાત્મા જામનગર તાલુકાના ધ્રાફા ગામના આશ્રમના મહંત પણ ચાર પાંચ દિવસ પહેલાં પધારેલા. જેમને આ પૂનમના કાર્યક્રમની ખબર પડતાં રોકાઈ ગયેલા અને હિતેશભાઇ ની સાથે માર્કેટ માં જઈને આ આશ્રમ માટે માતબર માત્રામાં અનાજ પણ ખરીદીને લાવેલા જે આપને અહિં ફોટો માં દ્રશ્યમાન થશે.

જય નારાયણ.

No comments:

Post a Comment