Friday, April 18, 2014

                           થાળ

                     --સાખીઓ--
મુજ દીન ના દ્વાર પર, અવસર આવ્યો આજ
પીરસું થાળી પ્રેમ ની, આરોગો મહારાજ

નથી મેવા નથી મિસરી, નથી પેંડા પકવાન
દીન ગરીબ નો થાળ છે, પ્રેમે જમો ભગવાન

આવો નેનટવર આવો ને મોહન
ગોવિંદ વર ગિરિધારી, પ્રભુ પીરસી છે મેં થાળી...

મેવા ન મળિયા મોદક ન મળિયા, પેંડા જલેબી કે ઘારી
શીરો મળ્યો નહિ શામળિયા મને, ઘી ની ભરી નથી જારી
વિધ વિધ વાનગી ક્યાંથી ધરાવું, સમજો છો વાત સારી...

રુખિ સુખિ રાબ બનાવી, થોડું ગોરસ ગિરિધારી
માખણ મિસરી ક્યાંથી લાવું તારાં,  ભોગ પડે મને ભારી
ગરીબ ગણીને ગોવિંદજી મને,   માફ કરો ને મોરારિ..

અશ્રુ કેરા જલ થી જીવન, તારાં ચરણ કમલ ને પખાળું
તુલસી કેરા પાન ધરાવું,    બીજો મુખવાસ શું મંગાવું
[તારાં બધા ભક્તો ભલે તને સુંવાળી સેજ માં પોઢાડતા હશે,
ચમ્મર ઢોળતા હશે, ચરણ ચાંપતા હશે,પણ હું..]
સૂવાને નહિ દંવ શામળિયા તને, રાત ભર વાતો કરૂં પ્યારી...      
[અને તારાં દર્શન કરતો રહીશ]

નથી નરસિંહ કે દામા કુંડે,   દામોદર ને જમાડું  
નથી સુદામો તાંદુલ વાળો, હું તો ગરીબી ગાઉં
દીન જાણી ને દીન " કેદાર " પર, મહેર કરજો મોરારી...


ફોટો-ગુગલ ના સહયોગથી


No comments:

Post a Comment