Saturday, April 19, 2014


                                        ભાવ ભજન


મહાન કથાકાર શ્રી મોરારી બાપુ પોતાની દરેક કથાને અલગ નામ આપે છે, એજ રીતે નારાયણ બાપુ પણ ઘણી જગ્યાએ અલગ અલગ નામ આપે છે જેમાંનું એક ભાવ ભરેલું નામ છે "ભાવ ભજન."  આ ભાવ ભજન નામ ફક્ત ભજન ગાવાથી સાર્થક નથી થતું, જો ભજનમાં ભાવ ભળે તો જ ભાવ ભજન કહેવાય, અને ભજન માં ભાવ હોય તો જ ભજન કહેવાય, નહિ તો રાગડા તાણ્યા કહેવાય.
હમણાં મારા એક મિત્ર કે જે ખૂબજ સારા ભજનિક છે, સારા તો ખરા સાથો સાથ ભાવિક અને પ્રેમી પણ ખરાજ, પ્રભુ મય ઓતપ્રોત બનીને ગાય, કોઈ ચાર્જ લેવાની વાત કરો તો કહે " અરે ભજન ના તે કદી ચાર્જ હોય ? એ તો ભાગ્ય હોય તો ગાવા મળે" હું તેમને આગ્રહ કરીને એક મંદિરમાં ભજન ગાવા લઈ ગયો. એક જાણીતા ગાયકથી શરૂઆત થઈ, એક બે ત્રણ ગાયકો આવ્યા, પછી તો એવા મહા ગાયકો આવવા લાગ્યા કે મારા પેલા મિત્રે મને ત્યાંથી રજા લેવા આગ્રહ કર્યો, અને મેં પણ કોઈ પણ આના કાની વિના ત્યાંથી નીકળી જવાનું વધારે યોગ્ય સમજ્યું, મને શરમ તો જરૂર આવી કે આવા ભાવિક ગાયક ને હું અયોગ્ય જગ્યા પર લઈ આવ્યો, પણ મને પણ આવી આશા ન હતી, અને ત્યાંના સંચાલકોએ પણ ખરેખર શરમ અનુભવવી પડી.
ભજન ના નામે ગાતા ફક્ત પોતનો શોખ પૂરો કરતા લોકોએ શ્રોતા જનો ની પસંદ પણ ધ્યાનમાં રાખીને તેમને ત્રાસ આપવો ન જોઈએં, આપણાં મનથી ક્યારેક આપણે સારું ગાતા હોઇએં પણ સાચો જવાબ ફક્ત અને ફક્ત શ્રોતાઓજ આપી શકે, માટે મારા વહાલા ગાયકો ને મારી નમ્ર વિનંતી છે કે અન્યનો વિચાર કરીને ભજન ને માણજો, કોઇ સારા ગાયક નો સમય ઝૂંટવીને પાપ ના ભાગીદાર ન બનજો, કારણ કે કોઇને પણ ભાવ ભજન થી અલિપ્ત રાખવા તે મહા પાપ છે, કેમકે........  


ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, ભાવ વિના તો જાણે ભાંભરે કાને ધરે ન કોય.

પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન લાગે ધ્યાન, બસ વાણી વિલાસ છે, કોણ ધરે એ કાન.

ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

ઢાળ:- રાગ ભૈરવી જેવો

ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હે
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હે...

મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દિખાયા નટવર કો
સમા ગઈ વો મુખ મંડલ મેં,        પ્રભુ પ્રેમે પચાતા હે...

ભિખારી જબ ભીખ કે ખાતિર, ધૂન મચાયે માધવ કિ
કરે કૃપા ના કણ કિ કૃપાલુ, કૌવે કો ખુદ ખિલાતા હે....

ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત સમય હરિ શરને આયા
પ્રેમ પિછાની પ્રિતમ ધાયા,   પલક મેં ચક્ર ચલાતા હે...

રાવન જાને રિપુ રઘુવીર કો,-પર-શરન લગાતા મન મર્કટ કો
અંત સમય પ્રભુ બાણ ચલાકે,     જીવન સે મોક્ષ દિલાતા હે...

ચેત ચેત નર રામ રટિ લે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
દીન " કેદાર " હરિ નામ સુમર લે, અભય પદ આપ દિલાતા હે...

સાર..ભજન-કીર્તન-ગરબા જો ભાવ સાથે ગવાય કે સંભળાય તોજ તેનું સાચું ફળ મળે, જે ક’દિ સ્વપ્ન માં પણ ન આવતો હોય એ ભગવાન ને પણ આવા ગાન સાંભળવા આવવું જ પડે.એવા તો અનેક દાખલા છે કે ભગવાન ભક્તોની પાછળ ઘેલા ઘેલા થઈને ફરતા હોય. 

મીરાંબાઈ એ સર્વે આડંબર ત્યાગ કરી ને નટવર સામે નાચ કર્યા, અને કહેવાય છે કે અંતે દ્વારકા માં ભગવાને તેને પોતાના મુખ માં સમાવી દીધાં અને મૃત્યુનો સામનો ન કરવો પડ્યો. 

ઘણા ભિખારી લોકો આખો દિવસ "હે રામ, હે રામ" નું રટણ કરે છે, પણ તેનો માંહ્યલો તો આવતા જતા લોકો ના હાથે થતા દાન પરજ હોય છે, રામનું નામ છે તેથી રોટલો તો મળે જ, પણ મુક્તિ ન મળે,

ગજેન્દ્ર નામના હાથી એ ક્યારેય પ્રાર્થના કરી હોય એવો કોઈ પ્રસંગ મારા ધારવા પ્રમાણે ક્યાંયે મેં નથી સાંભળ્યો, છતાં જ્યારે મગરમચ્છ સાથે યુદ્ધ થયું ત્યારે હાથીએ અંતરથી પ્રાર્થના કરી, અને તેને સુદર્શન ચક્ર વડે વાર કરીને છોડાવ્યો, કારણ તે આર્તનાદ હતો.  

જય અને વિજય ને એવો શ્રાપ મળ્યો હતો કે તે સાત જન્મ સુધી મનુષ્ય જન્મ ભોગવે પછી ભગવાન મળે. પણ જો વેર ભાવ થી ભગવાન ને ભજે તો ત્રણ જ જન્મમાં મોક્ષ મળે.  ભગવાન ના દ્વારપાળ કે જે સદા ભગવાનના દર્શન કરતા હોય તે સાત જન્મ કેમ દૂર રહી શકે? તેથી તેણે ભગવાન ને જલદી થી મેળવવા ત્રણ જન્મ વેર ભાવે ભજવા નું નક્કી કર્યું, ભગવાન ના ભક્તો માટે આ સહેલું નથી, જેના મન માં અહર્નિશ ભગવાન બિરાજતા હોય, સદા એ તેમનું રટણ ચાલતું હોય, તેના થી વેર કેમ થાય? પણ જય અને વિજયે તેમાં સફળતા મેળવી. પણ અંત સમયે તે મનોમન શ્રી રામ ને નમન કરે છે, અને શ્રીરામ તેને બાણ મારી ને પોતાનું ધામ આપે છે.

અહીં એક હમણાંજ સાંભળેલી વાત લખવા મજબૂર બન્યો છું, આપણા ગરવી ગુજરાતના લોક લાડીલાં અભિનેતા અરવિંદ ત્રિવેદી હાલમાં શ્રી રામ ની અનન્ય ભક્તિમાં વધારે પડતા એટલે લીન છે કે તેમણે રામાયણ સીરીયલ માં શ્રી રામ વિષે ઘણાં અપમાન જનક શબ્દો બોલ્યા છે, જોકે આતો તેમના પાત્રનો એક ભાગ હતો, છતાં તેમને આવા શબ્દો રામ વિષે બોલાયા તેનો પસ્તાવો થયો, તેથી એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તેઓ ક્ષમા યાચના કરી રહ્યા છે. છેને આજના રાવણમાં પણ એજ ભક્તિ કે જે રામાયણના રાવણમાં હતી? અને આપણે ગુજરાતીઓએ પણ ગર્વ લેવા જેવું છેને?  

માટે હે માનવ-હું પણ- રામનું સ્મરણ કર એ તને પાર કરશેજ.. જય શ્રી રામ..

No comments:

Post a Comment