Tuesday, October 11, 2016

ગરબો-શું વખાણું ?

ગરબો-શું વખાણું ?

રાવણ સરીખો રાજિયો હો, જાણે પાપ ની ખાણું
કે રામજી ના રાજ ને વખાણું, કે સીતાજી ના સત ને વખાણું...

રૂસીઓ કેરી રાવ સૂણી ને, શેષ કેરો સંગાથ કરી ને
ભરત શત્રુઘ્ન ભ્રાતા કરી ને,   દશરથ ઘેર પધારે...

વિશ્વામિત્ર નો યજ્ઞ સુધારી, અસુર નારી તાડકા મારી 
શિલા હતી તે અહલ્યા તારી,    જનકપુરી માં પધારે...

વ્યથા જનક ની ઉર માં ધરી ને, શિવ ધનુષ નો ભંગ કરી ને
જનક દુલારી કર ગ્રહી ને,       સીતા રામ કહાવે...

કૂબડી વચને કૈકેઇ લોભાણી, માંગ્યા વચન દયા ઉર ન આણી
પિતાજી કેરી આગ્યા પાળી,      વન વગડા માં પધારે...

પંચવટી વન પાવન કીધાં, સુર્પણખા ના મદ હરિ લીધાં
સીતા રૂપ માયા ના કીધાં,   માયા હરણ કરાવે... 

શબરી કેરો પ્રેમ પિછાણી, એઠાં ફળ ની મીઠપ માણી
સ્નેહ થકી સમર્પિત જાણી,  નવધા ભક્તિ ભણાવે...

બજરંગ જેવા બળિયા મલિયા, વિભીષણ સરીખાં ભક્તો ભળિયા
સુગ્રિવ અંગદ યુદ્ધે ચડિયા,      રાવણ કુળ સંહારે...

અયોધ્યા કેરી ગાદી માંડી, ધોબી વચને વૈદેહી છાંડી
માયા ઉપર મીટ ન માંડી,     " કેદાર " ગુણલા ગાવે... 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment