Tuesday, May 20, 2014

                               નારાયણ બાપુના ભાવ ભજન.


મોરારી બાપુ અલગ અલગ જગ્યાએ રામ કથાને અલગ અલગ નામ આપેછે, જેમ કે માનસ સંત સમાજ, માનસ મહા મુનિ, માનસ પંચવટી, વગેરે વગેરે, એજ રીતે નારાયણ બાપુએ અમુક સમય પછી "રામ ભાવ ભજન" નામ આપેલું, આની પાછળ મને જે સમજાયછે તે અર્થ હું અહીં લખવા માંગુછું.

"રામ" એટલે ચેતના,ચૈતન્ય, ચૈતન્ય એટલે જેમાં જીવ હોય તે, જે વસ્તુ પોતાની મેળે વૃદ્ધિ ક્ષય પામે, અથવા જે અંત:પ્રેરણાએ હાલે ચાલે, ખાય, મળમૂત્ર કરે, જાગે, ઊંઘે, અને સમજી વિચારી શકે. આ દરેક જીવ ના જીવનમાં ભજન દ્વારા મોક્ષ પામવા સુધીની પ્રેરણા પુરી શકે તે "રામ ભાવ ભજન".

કથા કરવી કે ભજન ગાવા સામાન્ય સમજથી ખૂબજ આગળછે, ડોંગરેજી મહારાજ ભાગવત કથા કરે, મોરારી બાપુ રામ કથા કરે કે નારાયણ બાપુ ભજન ગાય, એ જગ્યાએ કોઈ સામાન્ય કથાકાર કથા કરે કે ભજન ગાય તેમાં જમીન આસમાનનો ફરક છે. ગાન કે પ્રવચન તો ઘણા કરી શકતા હોય, પણ એકના એક ભજનો કે કથા સાંભળવા લોકો ગમે તેવી તકલીફો ભોગવીને પણ આવતા હોય અને ભાવ વિભોર બનીને નાચતા હોય કે રડતા હોય તેને ભક્તિ કહેવાય, પણ જો આજ ક્રિયામાં એક ભાવ ન હોય તો તે નાટક જેવું લાગે. ગાનાર કે કથાકારને આંસુ મોટે ભાગે ત્યારેજ આવે જ્યારે તે ભાવમાં ડૂબીને સાક્ષાત્ ઈશ્વરને સમીપ જોવા લાગે, જોકે ઘણા કલાકારોમાં આવા નાટક કરવાની સમર્થતા હોયછે, એવા ઘણા કથાકાર/ભજનીક છે જે માણસોતો કોઇ પણ ભોગે ભેગા કરી શકેછે પણ ભક્તિરસ પિરસી સકતા નથી, આવા લોકો જોક્સ કરીને આનંદ પમાડે કે નખરા કરીને મનોરંજન પુરું પાડિ શકે, ભક્તિ નહીં. જ્યારે સાચા કથાકાર કે ભજનીકને માટે માણસો ભેગા કરવા ન પડે એની સુવાસજ એવી હોય કે લોકો દોડતા આવે.

કથાકાર કે ભજન ગાનારો ભાવમાં ડૂબતો જાય તેમ તેમ તેનામાં ઈશ્વરી કૃપા પ્રવેશ કરતી જાય અને તેની વાણી કે ગાયકીમાં તેનો ભાષ થવા લાગે, નારાયણ બાપુએ શાસ્ત્રીય ગાયકીની કોઈ પરીક્ષા પાસ કરી ન હતી, છતાં એકજ ભજન અનેક રાગોમાં ગાયાના દાખલાછે, તેનો એક દાખલો આપું તો બાપુએ મોરારી બાપુના તલ ગાજરડામાં "ચકવી રૈન પડે તબ રોવે." અનેક રાગોમાં ગાઇને શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવી દીધેલા. મેં તો ત્યાં સુધી શાંભળેલું છે કે ભજન સમ્રાટ અનુપ જલોટએ કબુલ કરેલું કે નારાયણ સ્વામીની હું નકલ પણ ન કરી શકું, આ છે ભજનની ગરિમા. સમય પ્રમાણે ગવાતા રાગોની સમજ નારાયણ બાપુએ મારાઅ જેવા રાગ થી અજાણ લોકોને આપી, એજ રીતે મોરારી બાપુએ તો રામ કૃપાથી વક્તા હોવા છતાં ગાયકીમાં પણ અનેરું યોગ દાન આપ્યુંછે, ઘણા બધા કથાકારોની વક્તૃત્વકલા અલૌકિક હોયછે, પણ ગાયકી બેતાલ કે બેસુર હોયછે, જ્યારે તે બોલતા હોય ત્યારે જે ભાવ પેદા કરી શકતા હોય તે ગાતી વખતે ન પણ આવતો હોય, પણ મારા મતે જો કોઈ ઈશ્વર મય બનીને પ્રયાસ કરે તો એ ભાવ આપ મેળે આવવા લાગેછે. નારાયણ બાપુ કે મોરારી બાપુ "ઓ.......મ. કે જય ગણેશ બોલે ત્યાં જાણે શ્રોતા ગણ સંમોહિત થઈને ભાવ વિભોર બની જાય.

હાલ ગુજરાતમાં મારા મત પ્રમાણે કવિમાં કવી "દાદ" રામ કથામાં પ. પૂ. મોરારી બાપુ, ભાગવત કથામાં ભાઈશ્રી, અને ભજન ગાયકી માં ઓસમાણ મીર આજની તારીખમાં શિરમોર છે. આમાં ભજન ગાયકીમાં નારાયણ સ્વામીજી નું આગવું સ્થાન હતું, પણ ઇશ્વરે આપણને તેનાથી વંચિત કરી દીધા, હવે કદાચ ડુપ્લીકેટ નો જમાનો છે તો છોટે નારાયણ થાય, નાના નારાયણ થાય, પણ નારાયણ સ્વામીનો તો યુગ જ પૂરો થઈ ગયો હવે બીજો નારાયણ સ્વામી થવો આ યુગમાં મને સંભવ નથી લાગતું, હા એમની નકલ કરનારા, ઓછી અક્કલ વાપરીને દેખાવ કરનારા કે પોતાને બાપુ થી પણ ચડીયાતા ગણાવનારા નો પાર નથી અને એવા લોકોને સાંભળ નારા નો પણ પાર નથી પણ પીતળ કદી સોનું નથાય.

નારાયણ બાપુ માં અનેક સદગુણો હતા, સાથોસાથ અનેક પ્રકારના નિયમો પણ હતા, જેમ કે એક એક શબ્દ સમજી ને બોલવો જોઇએં, ભજન માં ભાવ હોવો જોઈએં, ભજન માં ભક્તિનું મહત્વ હોવું જોઈએં નહીં કે પૈસાનું, ભજન ગાનાર કે સાંભળનારને વિક્ષેપ થાય તેમ વાતો ન કરવી જોઈએં જેવા અનેક નિયમો નો ખાસ આગ્રહ તેઓ રાખતા, અને તેથી ઘણા દેખાવ કરનારા લોકો ને બાપુનું વર્તન ગમતું નહીં, અને ક્યાંથી ગમે ? પોતાનો અહમ્ ઘવાતો હોય કે પોતાની અજ્ઞાનતાનું સત્ય સામે આવતું હોય તે કેમ ગમે ?

આવા હતા ભજનાનંદી બાપુ નારાયણ સ્વામી.
વધુ ક્યારેક...
જય નારાયણ.
     

No comments:

Post a Comment