Sunday, February 26, 2017

મિથિલા દર્શન

રામાયણ ના પ્રસંગો ૨

                                    મિથિલા દર્શન

આયે મિથિલા નગર કે માંહી,  રઘુકુલ ભૂષણ રામ દુલારે, સંગ હે લક્ષ્મણ ભાઇ.
આઇ સખીયાં કરતી બતિયાં, સપનેહુ દેખો મેં નાહીં. 
                             એસો બર જો મિલે સીયા કો, ચન્દ્ર ચકોરી મિલ જાઈ.
ગૌર બદન એક શ્યામ શરીરા, એક ચંચલ એક ધીર ગંભીરા.  
                                  એક દેખુંતો ભૂલ જાઉં દુજા, ચલત નહીં ચતુરાઈ.
નર નારી સબ નિરખન લાગે, બર બસ શીશ જુકાઇ.
                                   સૂરજ ચંદા સંગમેં નિકલા, પૂરણ કલા પસરાઈ.
થાલ ભરી પૂજા કો નિકલી, જનક દુલારી લજાઈ.  
                               કંકન કિંક્ની નૂપુર ધુનિ સુનિ, રાઘવ મન લલચાઇ.
લતા ઓટ દેખી શ્રી રઘુબિર, નીમી નેત્ર ભર આઇ.  
                               નેન મિલે જબ મૂંદલી પલકે, છબી નિકસી નહીં જાઈ.
સુર સબ અંબર દેખ સુ અવસર, ફૂલ કુસુમ બરસાઇ.  
                           દીન " કેદાર " યે દિલસે નિહારે, જનમ મરન મીટ જાઈ. 

સાર-શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે મુનિઓના યજ્ઞની રક્ષા ખાતર રાક્ષસોનો નાશ કરીને ગુરુજી વિશ્વામિત્ર ની સાથે મિથિલા નગર માં પધાર્યા એજ વખતે મિથિલા નરેશ જનક રાજાની પુત્રી જાનકીજી ના સ્વયંવરની તૈયારી ચાલતી હોવાથી આખા નગરને શણગારવામાં આવેલ હતું. ગુરૂજી ની આજ્ઞા લઈને બન્ને ભાઈઓ નગર જોવા નીકળ્યા. 
૧-સીતાજી ની સખીઓ આ બન્ને ભાઈઓને જોઇને પરસ્પર વાતો કરવા લાગી કે આવા તેજસ્વિ યુવરાજો તો ક્યારેય સ્વપ્નમાં પણ જોયા નથી. અત્યારે સીતાજી ના લગ્નની તૈયારી ચાલે છે, જો વિધાતા મદદ કરે અને મિથિલા પતી સ્વયંવર ની વાત છોડીને આ યુવરાજને પસંદ કરી લે, તો તો જાણે ચન્દ્ર અને ચકોરી જેવી જોડી મળી જાય. કારણ કે, બન્ને કુમારો એટલાં કોમળ છે કે તેઓ ધનુષ ભંગ તો નહીંજ કરી શકે.
૨-આ ભાઈઓને જોઇ ને નગરજનો એટલાતો પ્રભાવિત થયા કે એક ગૌર વર્ણ લક્ષ્મણ અને એક શ્યામ શરીર વાળા રામ પરથી નજર હટાવી શકતા નથી. એક થોડા ચંચળ લાગે છે, તો બીજા ગંભીર દેખાય છે. કોને જોવા અને કોને ન જોવા એવી વિટંબણામાં પડી ગયા. કોને પહેલાં જોવા અને કોને પછી જોવા તે ચતુરાઈ ચાલતી નથી.
૩-નગરના નર નારી સૌ આ ભાઈઓને જોઇ ને આપમેળે મસ્તક નમાવવા લાગ્યા, એવું લાગે છે જાણે સૂર્ય અને ચન્દ્ર બન્ને એક સાથે પોતાની પૂર્ણ કળા પ્રસરાવીને નીકળ્યા હોય. 
૪-માતા સુનયનાજી ની આજ્ઞાથી સીતાજી ગૌરી પૂજન માટે બાગમાં પુષ્પો લેવા પધારેલા, એજ વખતે શ્રી રામ અને લક્ષ્મણ પણ ગુરુજી માટે પુષ્પો લેવા પધાર્યા,  અનાયાસ શ્રી રામજીના કાને કોઈ કંકણ અને ઝાંઝરનો અવાજ આવતાં એકદમ જાણે અંગે અંગમાં આનંદિત તરંગો દોડવા લાગ્યા, રામજી લક્ષમણને કહેવા લાગ્યા કે આ શું છે? મારું મન આ ઝંકારથી કેમ મોહિત થાયછે? આવો મીઠો મધુરો રણકાર કોના નેપુરનો છે?.
૫-એ સમયે લતાઓની પાછળ સીતાજીની નજરે પુષ્પો ચૂંટતા શ્રી રામજીની છબી દેખાણી, આ અલૌકિક દ્રષ્ય જોઇને સીતાજી ભાવ વિભોર બની ગયા. જેવા શ્રી રામજીના નયનો સાથે સીતાજીની નજર મળી કે તુરંત માતાજીએ આંખો બંધ કરી લીધી, એ દ્ગશ્યને જાણે નયનો માં સદા સમાવી દેવા હોય, ક્યાંક આંખ ૪-માતા સુનયનાજી ની આજ્ઞાથી સીતાજી ગૌરી પૂજન માટે બાગમાં પુષ્પો લેવા પધારેલા, એજ વખતે શ્રી રામ અને લક્ષ્મણ પણ ગુરુજી માટે પુષ્પો લેવા પધાર્યા,  અનાયાસ શ્રી રામજીના કાને કોઈ કંકણ અને ઝાંઝરનો અવાજ આવતાં એકદમ જાણે અંગે અંગમાં આનંદિત તરંગો દોડવા લાગ્યા, મન હર્ષિત થઈ ઊઠ્યું.
૫-એ સમયે લતાઓની પાછળ સીતાજીની નજરે પુષ્પો ચૂંટતા શ્રી રામજીની છબી દેખાણી, આ અલૌકિક દ્રષ્ય જોઇને સીતાજી ભાવ વિભોર બની ગયા. જેવા શ્રી રામજીના નયનો સાથે સીતાજીની નજર મળી કે તુરંત માતાજીએ આંખો બંધ કરી લીધી, એ દ્ગશ્યને જાણે નયનો માં સદા સમાવી દેવા હોય, ક્યાંક આંખ ખુલ્લી રહે અને આ અદ્ભુત દ્ગશ્ય આંખમાંથી સરી ન પડે એ હેતુથી માતાજીએ આંખ બંધ કરી લીધી.
૬-આવો અલૌકિક અવસર જોઇ ને દેવોએ આકાશમાંથી ફૂલોની વર્ષા કરી. કોઈ પણ આ અલભ્ય દ્ગશ્યનું ખરા દિલથી દર્શન કરે તો જન્મ મરણના ફેરા જરૂર મટીજાય.
ફોટો- ગુગલના સહયોગ થી.

No comments:

Post a Comment