Tuesday, February 28, 2017

રામાયણ પ્રસંગ પટ બે વચનો (કૈકેયી ના)

રામાયણ પ્રસંગ પટ 

                બે વચનો (કૈકેયી ના)


મને રાજ રમત માં ફસાવી, મને ભોળી ને ભરમાવી...

સંકટ વેળા સંગે રહીને, બની સારથિ આવી, 
જાણ્યો જ્યારે જીવ જોખમમાં, બગડી બાજી બનાવી..

સ્વાર્થ ભર્યો છે સ્નેહ તમારો, માનેતી કહી ને મનાવી, 
દશ દિવસથી નોબત વાગે, યાદ મારી કાં ન આવી..

બોલ થકીછો આપ બંધાણા, રઘુકુળ રીત તમારી. 
આપો વચનો યાદ કરીને, આજ ઘડી હવે આવી..

ભૂપ ભરત ને રામજી વનમાં, ચૌદ વરષ દે વિતાવી. 
જરકસી જામા પીતાંબર ત્યાગી, તપસી વેશ બનાવી...

રૂઠી કૈકેઈ ને રાજન રડતાં, યાદ અંધોની આવી. 
બ્રહ્મના પિતાની કરુણ કહાની, "કેદાર" કરમે બનાવી...

ભાવાર્થ-અયોધ્યામાં જ્યારે રાજા દશરથજીએ રામના રાજ્યાભિષેક ની ઘોષણા રાજદરબારમાં કરી, ત્યારે અયોધ્યા માંતો આનંદ આનંદ છવાઈ ગયો, પરંતુ ભગવાન રામને પોતાના રામ અવતારનો ઉદ્દેશ્ય પાર પાડવા માટે એક લીલા કરવી પડી. શ્રી રામે સરસ્વતીજીને એવી વિનંતી કરી, કે આપ એવી લીલા કરો કે જેથી મારા રાજ્યાભિષેક ને બદલે મને વનવાસ મળે, જેથી હું રાક્ષસો નો વિનાશ કરીને સામાન્ય જન સહિત, સંતો મહંતો અને રૂષિ મુનિઓને તેના સંકટમાંથી મુક્ત કરી શકું. સરસ્વતીજીએ અનેક ઉપાયો કર્યા, પણ કોઈ પણ અયોધ્યા વાસી તેમની ચાલમાં ફસાયા નહિ. પણ એક મંથરા,કે જે કૈકયીની દાસી હતી તે કૌશલ દેશથી કૈકયીની સાથે આવેલી હતી, તે સરસ્વતીજીની જાળમાં ફસાઈ ગઈ. સરસ્વતીજીએ તેની જીભ પર બેસીને પોતાના ધાર્યા મુજબની વાણી તેના મુખથી બોલાવી. 
મંથરા કૈકેયી પાસે જઈને કહેવા લાગી કે જો રામનો રાજ્યાભિષેક થઈ જશે તો તને અનેક કષ્ટો ભોગવવા પડશે, માટે તું રાજન પાસે એવા બે વચનો માંગીલે જે તને રાજને ગમે ત્યારે આપવાનું વચન આપ્યું છે. ત્યારે કૈકેયી મંથરાની વાત માનીને વચનો માંગે છે.
હે રાજન આપે મને ભોળવી છે, જ્યારે યુદ્ધની અંદર આપના પર સંકટ હતું ત્યારે મેં આપના રથના સારથી બનીને મદદ કરેલી ત્યારે આપે મને વચન માંગવા કહેલું, જે આપે આજ સુધી નથી આપ્યા, મને માનીતી તો કહો છો, પણ આપનો વહેવાર મને સ્વાર્થ ભર્યો લાગે છે. રામને રાજા બનાવવાની વાત દસ દિવસથી ચાલેછે પણ મારાથી છુપાવી ને રાખી છે. માટે આપ મને આપે આપેલા બે વચનો આજેજ આપો, જેમાં પહેલા વચનમાં મરો ભરત રાજા બને, અને રામ ચૌદ વરસ વનવાસ ભોગવે અને તે પણ રાજ્ય પરિવાર જેવા આભૂષણો ત્યાગીને, તપસ્વિ ના વેશમાં રહે.
રાજા દશરથ-કે જે બ્રહ્મ ના પિતા છે- કૈકયીની વાણી સાંભળી ને વિહ્વળ બની ગયા, મનમાં ને મનમાં શ્રવણ ના પિતાએ આપેલા શ્રાપ ને યાદ કરીને પોતાના કર્મોની કરુણતા માટે વ્યથિત બની ગયા.  
ફોટો- ગુગલના સહયોગ થી.

No comments:

Post a Comment