Tuesday, February 6, 2024

અવધમાં લાલા પધાર્યા...

અવધમાં લાલા પધાર્યા...
૨૪.૧.૨૪.
હૈયે મારે હરખ ન માય, અવધમાં લાલા પધાર્યા
આંખોમાં આંસુ ઊભરાય, અવધમાં લાલા પધાર્યા...

સંવત એંસી પોષ માસ સુદ બારના, મૃગશીર્ષ નક્ષત્ર શુભ સોમવારના
અવતરણ કીધાં રઘુરાય, અવધમાં લાલા પધાર્યા...

પાંચ પાંચ સદીઓના વાણા વિતાવ્યા, સાધુ સંત ભક્તોને ખૂબ રડાવ્યા
કીધો કુટીયામાં વાસ, અવધમાં લાલા પધાર્યા...

રાવણ સરીખાંને રણમાં સંહાર્યો, પહાડ સમાણા કુંભકર્ણને છે માર્યો
વિભીષણ ઠરાવ્યો સરદાર, અવધમાં લાલા પધાર્યા...

બાબર મગતરું શું આપના વિસાતમાં, મંદિરનો ધ્વંસ કરે માલ નથી વાતમાં
આપની લીલાનો નહીં પાર, અવધમાં લાલા પધાર્યા...

દાસ "કેદાર"ની અરજી બસ એક છે, અવધપુરીમાં હવે સદા લીલા લહેર છે
વિશ્વ ભરમાં શાંતિ સ્થાપાય, અવધમાં લાલા પધાર્યા...     

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, ૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji લખીને મારા બધા ભજનો વાંચી શકશો, અને YouTube માં kedarsinhji m jadeja સર્ચ કરીને મારા કે મારી રચનાઓના વીડીઓ જોઈ શકશો. મારું ઈ મેઇલ એડ્રેસ kedarsinhjim@gmail.com 
ફોટો-ગુગલના સહયોગ થી.


 

No comments:

Post a Comment