Sunday, May 14, 2023

રામાયણ પ્રસંગ પટ ઋણ

                                     રામાયણ પ્રસંગ પટ    
                                             
ઋણ


ભજન

ભરતજી મને એકજ ઋણ રડાવે,મને પ્રેમ ના આંસુ પડાવે...

વિપ્ર ના વેષે વાનર મલિયો, સુગ્રિવ સા સખા ને મળાવે
સીતા શોધ કાજે સમંદર લાંઘી, લંકામાં લાય લગાવે...

વાનર સેના વનચરે લીધી, સમંદર સેતુ બનાવે
અહીરાવણ નું શીશ ઉડાવી, મહિરાવણ ને મરાવે...

વિભીષણ સરીખો મિત્ર મલાવ્યો મને, રણમાં રાહ બતાવે
રાવણ મારી વૈદેહી કેરો, વસમો વિયોગ મિટાવે...

જેણે જે માંગ્યું તેને તે મેં આપ્યું, પણ હનુમો હાથ હલાવે  
એનો ઉધારી હજીએ રહ્યો છું, એના કરજે કાળજા કંપાવે...

દીન દયાળુ "કેદાર" ના દાતા, દાસ ને દૈવ્ય બનાવે
રઘુ કુળ તેનું ઋણિ રહેશે, રઘુપતિ શાખ પુરાવે...

ભગવાન શ્રી રામ લંકા વિજય પછી અયોધ્યા પધાર્યા અને રાજ્યાભિષેક પછી સભા બોલાવીને યુદ્ધમાં ભાગ લેનાર સર્વે લોકોને જેણે જે માંગ્યું તે યોગ્ય પુરસ્કાર આપવા લાગ્યા, આ સમયે હનુમાનજીને કંઈ પણ માંગવા કહ્યું પણ તેમણે તો સીતા માતાએ આપેલી મોતીઓની માળા પણ "આ મણકામાં મારો રામ નથી" કહીને ન સ્વીકારી, ત્યારે શ્રી રામ ભરતજીને કહેછે કે આ હનુમાને મને ઋણી બનાવી દીધોછે, મારી કેટલી કેટલી મદદ કરી પણ આજે જ્યારે એ બધું ઋણ ચુકાવવાનો વખત આવ્યોછે ત્યારે તે કંઈ પણ લેવાની ના પાડીને આખા રઘુ કુળને ઋણી બનાવી રહ્યોછે.     
ફોટો ગુગલના સહયોગથી સાભાર

No comments:

Post a Comment